ગૌરાંગ જાની

જ્ઞાતિ

જ્ઞાતિ : હિંદુઓની સમાજરચના અંગેની એક વ્યવસ્થા. માનવ- ઇતિહાસના કોઈ પણ તબક્કાને તપાસીએ તો સમાજનું કોઈ ને કોઈ રીતે વિભાગીકરણ થયેલું જણાશે. આ વિભાગીકરણ સામાન્ય રીતે સામાજિક અને આર્થિક સંદર્ભે થયું છે. ભારતીય સંદર્ભમાં ખાસ કરીને હિંદુ સમાજ જ્ઞાતિના આધારે અસમાન રીતે વિભાજિત રહ્યો છે. જ્ઞાતિવ્યવસ્થાના મૂળમાં રહેલી સામાજિક-આર્થિક અસમાનતાને…

વધુ વાંચો >

ઝૂંપડપટ્ટી

ઝૂંપડપટ્ટી : આર્થિક કંગાલિયતની કાયમી પરિસ્થિતિમાં જીવતા લોકોના વસવાટોનો સમૂહ. વિશ્વમાં માનવજીવનના પ્રારંભથી આશ્રયસ્થાન, રહેઠાણ કે આવાસ વ્યક્તિ અને કુટુંબના કેન્દ્રમાં રહેલ છે. સામંતશાહીનો અસ્ત, વિશ્વભરના મૂડીવાદી દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ત્રીજા વિશ્વના દેશોમાં શહેરીકરણને કારણેઝૂંપડપટ્ટીનો ઉદભવ એક અનિવાર્ય ઘટના બની. તેણે અનેક સમસ્યાઓ સર્જી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પ્રમાણે…

વધુ વાંચો >

ડાહરેનડોર્ફ, રાલ્ફ

ડાહરેનડોર્ફ, રાલ્ફ (જ. 1 મે, 1929, હેમ્બર્ગ, જર્મની; અ. 17 જૂન 2009, કોલોજન, જર્મની) : જાણીતા જર્મન સમાજશાસ્ત્રી. કિશોરાવસ્થા દરમિયાન રાલ્ફે રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. નાઝીઓના રાજકીય વિરોધી હોવાને નાતે કિશોર ડાહરેનડોર્ફને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયા હતા. રાજકારણની આવી તાલીમ તેઓને સમગ્ર કારકિર્દી દરમિયાન ઉપયોગી બની. પાછળથી પશ્ચિમ જર્મનીની ધારાસભા…

વધુ વાંચો >

દત્તકપ્રથા

દત્તકપ્રથા : પુત્રવિહીન દંપતીના કાયદેસરના અધિકારો તથા ફરજો અપરિણીત સગીરને પ્રદાન કરવાની વિધિ. તે દત્તકગ્રહણ (adoption) દ્વારા પ્રદાન કરવામાં આવે છે. દત્તકગ્રહણ એ એક સામાજિક પ્રથા છે, જેના દ્વારા વ્યક્તિ જન્મદત્ત સગાઈસંબંધોને સ્થાને અન્ય (બિનજન્મદત્ત) સગાઈસંબંધો પ્રાપ્ત કરે છે, જોકે તે સામાજિક રીતે લોહીના સંબંધોને સમકક્ષ ગણાય છે. દત્તકપ્રથામાં કઈ…

વધુ વાંચો >

દહેજ

દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય.…

વધુ વાંચો >

દિયરવટું

દિયરવટું : પતિના મૃત્યુ બાદ તેની વિધવા સાથે પતિનો નાનો ભાઈ એટલે કે દિયર પરણે એવી પ્રથા. આ પ્રથા સદીઓથી વિભિન્ન સમાજોમાં જોવા મળે છે. દિયરવટાની પ્રથા વધુ સ્પષ્ટ રીતે વિધવાવિવાહની સાથે સંકળાયેલી છે. ભારતમાં વેદકાળમાં વિધવાને પોતાની મરજી મુજબ પુનર્વિવાહ કે નિયોગ કરવાની કે એકલી રહીને જીવવાની તક મળતી.…

વધુ વાંચો >

દુર્ખીમ, એમિલ

દુર્ખીમ, એમિલ (જ. 15 એપ્રિલ 1858, એપિનલ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1917) : સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનું પ્રદાન કરનાર ફ્રાંસના સમાજશાસ્ત્રી. વીસમી સદીની શરૂઆતમાં આધુનિક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના ઘડવૈયાઓમાં ફ્રાંસના એમિલ દુર્ખીમ અને જર્મનીના મૅક્સવેબરનો સમાવેશ થાય છે. દુર્ખીમનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. દુર્ખીમના પરિવારમાં યહૂદીઓના પુરોહિત…

વધુ વાંચો >

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ (જ. 16 એપ્રિલ 1915, નડિયાદ; અ. 12 ઑક્ટોબર 1994, વડોદરા) : ભારતના પ્રખર માર્કસવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ તેમના પિતા. તેમના બાળપણમાં જ માતા કૈલાસબહેનનું અવસાન થયેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હડતાળ પડાવવાને કારણે તેમને યુનિવર્સિટી છોડવી પડી અને વડોદરાથી મુંબઈ જવું પડ્યું. મુંબઈમાં…

વધુ વાંચો >

નારીવાદી આંદોલનો

નારીવાદી આંદોલનો : સ્ત્રી-પુરુષ વચ્ચેની સામાજિક અસમાનતાઓ નાબૂદ કરવા માટેના વૈચારિક, સંગઠનાત્મક અને કાનૂની પ્રયાસો. માનવસમાજમાં અનેક પ્રકારનાં ભેદ અને અસમાનતા જોવા મળે છે. વર્ગભેદ, જ્ઞાતિભેદ, રંગભેદ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની અસમાનતાઓ ઉપરાંત સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા અંગે માહિતી અને જાગૃતિ વીસમી શતાબ્દીમાં ધ્યાનાકર્ષક બની…

વધુ વાંચો >

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ ભારતીય સમાજના ઇતિહાસને તપાસીએ ત્યારે એક મહત્ત્વના પાસા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પાસું તે જ્ઞાતિ/ધર્મ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ. આ સંબંધને જ્યારે ગ્રામ અને ગ્રામસમાજ સાથે સાંકળીએ ત્યારે વ્યવસાય કે હુન્નરઉદ્યોગની પરંપરા અને તેના સાતત્યને સમજી શકાય છે. કોટિક્રમિક હિંદુ સમાજનું સંચાલન કરતી…

વધુ વાંચો >