ગૌરાંગ જાની

પ્રેતભોજન

પ્રેતભોજન : મરણ પછી બારમા દિવસે હિંદુ પરંપરા મુજબ અપાતું સમૂહભોજન. પુરાણ પ્રમાણે મરેલ મનુષ્યનો દેહ બળી ગયા પછી તે અતિવાહિક કે લિંગશરીર ધારણ કરે છે. જ્યારે તેને અનુલક્ષીને પિંડ વગેરે દેવામાં આવે છે ત્યારે તેને પ્રેતશરીર કે ભોગશરીર પ્રાપ્ત થાય છે. આ શરીર સપિંડીકરણ સુધી રહે છે અને પછી…

વધુ વાંચો >

બહુજનસમાજ

બહુજનસમાજ : દલિતો સહિતના નિમ્ન ગણાતા શોષિતો-પીડિતોનો સમુદાય. બહુજનસમાજનો ખ્યાલ ઐતિહાસિક રીતે ગૌતમ બુદ્ધના સમયથી પ્રચલિત છે. પરંતુ વીસમી સદીના અંતિમ દાયકામાં ‘દલિત-બહુજન’ એ રીતે આ ખ્યાલ પ્રચલિત બન્યો છે. ‘બહુજનહિતાય, બહુજન સુખાય’ – એવી ભાવના અને વિચારસરણી સ્થાપિત અસમાનતાને પોષતી હિંદુ સમાજવ્યવસ્થામાં માળખાગત પરિવર્તનો માટેનો બુદ્ધ–મહાવીરનો પ્રયાસ હતો. બ્રાહ્મણવાદી…

વધુ વાંચો >

બેટેલી આંદ્રે

બેટેલી આંદ્રે : ભારતમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં અગ્રગણ્ય ભૂમિકા ભજવનાર અધ્યાપક અને સંશોધક. 1959થી દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અધ્યાપક. હાલ નિવૃત્ત. તેમના મહત્વના સંશોધન-વિષયોમાં સામાજિક સ્તરીકરણ, ખેડૂત-આંદોલન, પછાત વર્ગો અને રાજકીય સમાજશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1968માં તેમને નેહરુ ફેલોશિપ એનાયત થઈ હતી. આ ફેલોશિપના ભાગ રૂપે ગ્રામીણ કૃષિવિષયક સામાજિક…

વધુ વાંચો >

મિલ્સ, ચાર્લ્સ રાઇટ

મિલ્સ, ચાર્લ્સ રાઇટ [જ. 28 ઑગષ્ટ 1916, વીકો, ટેક્સાસ; અ. 20 માર્ચ 1962, વેસ્ટ ન્યાક(West Nyack), ન્યૂયૉર્ક] : વીસમી સદીના પાંચમા અને છઠ્ઠા દાયકામાં અમેરિકન સમાજના વિશ્લેષણમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અમેરિકન સમાજશાસ્ત્રી. તેમણે ટૅક્સાસ તથા વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો તથા વિસ્કૉન્સિન અને મેરિલૅન યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું હતું. 1946–62ના ગાળામાં…

વધુ વાંચો >

મીડ, માર્ગારેટ

મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

મુખરજી, રામકૃષ્ણ

મુખરજી, રામકૃષ્ણ (જ. 1919) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય સમાજશાસ્ત્રી. વર્તમાન સમાજશાસ્ત્રના વિકાસમાં તેમનું અનેકવિધ પ્રદાન છે. કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1941માં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવા ગયા અને ત્યાં 1948માં પીએચ.ડીની પદવી મેળવી. કૉલકાતાની ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સમાજવૈજ્ઞાનિક રીતે વર્ષો સુધી સંશોધન અને લેખન કર્યું. માત્ર…

વધુ વાંચો >

મુલાકાત

મુલાકાત : સામાજિક વિજ્ઞાનોના સંશોધન દરમિયાન માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ અથવા સાધન. દેશવ્યાપી સંશોધન કરવાનું હોય કે અંતરિયાળ પ્રદેશોમાં જઈને માહિતી મેળવવાની હોય, મુલાકાત સમષ્ટિ સર્વેક્ષણ (census survey) અને નિદર્શ સર્વેક્ષણ (sample survey) માટે અત્યંત ઉપયોગી છે. મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા એવા પ્રકારો ધરાવતી આ પ્રક્રિયા ઔપચારિક કે…

વધુ વાંચો >

યોદ્ધા, ચારુમતી

યોદ્ધા, ચારુમતી (જ. 25 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 1981, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતમાં મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની લડત અને પ્રવૃત્તિઓનાં અગ્રણી મહિલા કાર્યકર. મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી અમદાવાદમાં 1934માં સ્થપાયેલી મહિલાસંસ્થા ‘જ્યોતિસંઘ’ની સ્થાપનાથી શરૂ કરી આજીવન ચારુમતીબહેને સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન કર્યું. જ્યોતિસંઘના રાહતવિભાગ દ્વારા કૌટુંબિક પ્રશ્નોથી…

વધુ વાંચો >

રિમાન્ડ હોમ

રિમાન્ડ હોમ : અપરાધી બાળકોને સુધારણા માટે અલાયદાં રાખવાની વ્યવસ્થા. તેને ‘સંભાળગૃહો’ કહી શકાય. ભારતના બંધારણના ચોથા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 39 (એફ) પ્રમાણે બાળકોના શોષણ વિરુદ્ધ જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓમાં : (1) તેમનાં જીવન અને તંદુરસ્તીનું જતન થાય અને વિકાસ થાય. (2) કોઈ પણ રીતે તેમનું…

વધુ વાંચો >

લગ્ન (આધુનિક સંદર્ભમાં)

લગ્ન (આધુનિક સંદર્ભમાં) :  માનવસમાજની પાયાની સંસ્થા. કુટુંબ, ધર્મ અને ભારતીય ઇતિહાસમાં જ્ઞાતિ લગ્ન સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મહત્વની સામાજિક સંસ્થાઓ છે. લગ્નસંસ્થાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ખાસ કરીને નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ લગ્નના ખ્યાલને સગાઈસંબંધોની વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘‘લગ્ન એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનો એવો…

વધુ વાંચો >