કૃષ્ણમૂર્તિ કુલકર્ણી

અમદાવાદ

અમદાવાદ  ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો આ સ્થળની પ્રાચીનતા સાબિત કરે છે.…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન જિયોગ્રાફર્સ : ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા. તેનું મુખ્ય મથક પુણે વિશ્વવિદ્યાલયના ભૂગોળ વિભાગમાં છે. દેશના જાણીતા ભૂગોળ-વિશારદ ડૉ. કે આર. દીક્ષિતની પ્રેરણાથી આ સંસ્થાની સ્થાપના થઈ છે. ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરતી આ સંસ્થાનાં ધ્યેયો તથા હેતુઓ : (1) બધા સ્તરે…

વધુ વાંચો >

ઍલાપ્પુઝા (ઍલેપ્પી)

ઍલાપ્પુઝા (ઍલેપ્પી) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9o 30’ ઉ. અ. અને 76o 20’ પૂ. રે. આજુબાજુનો 1,414 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે થીરુવનંથપુરમથી વાયવ્યમાં 130 કિમી. અંતરે આવેલું છે. તેની ઉત્તરે એર્નાકુલમ્ જિલ્લો, પૂર્વમાં કોટ્ટાયમ્ અને પત્તનમથિતા જિલ્લા,…

વધુ વાંચો >

કણવિભંજનક્રિયા

કણવિભંજનક્રિયા : ખડકોના અપક્ષયની પ્રક્રિયા. ખડકોની સપાટીના ધોવાણ પૂર્વે વિયોજન તથા વિઘટનની પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. આ બંને પ્રક્રિયાઓ સમન્વિત (integrated) સ્વરૂપની હોય છે. વિયોજન એ ખડકોના નૈસર્ગિક વિભંજનની પ્રક્રિયા છે જ્યારે વિઘટન તેનાં ખનિજોના રાસાયણિક ફેરફાર સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે તથા તે…

વધુ વાંચો >

કલ્યાણ ભૂગોળ

કલ્યાણ ભૂગોળ : ભૌગોલિક પરિબળોના પરિપ્રેક્ષ્યમાં સામાજિક સુખાકારી કે કલ્યાણની વિચારણા કરતી ભૂગોળની વિશિષ્ટ શાખા. માનવભૂગોળના ક્ષેત્રમાં વિકાસ પામતી આ શાખા પ્રમાણમાં નવી છે. ‘સામાજિક કલ્યાણ’ની વિભાવના પ્રાકૃતિક વાતાવરણ, રહેઠાણ, રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ, સમૃદ્ધિ, આરામ તથા સામાજિક સગવડોના સંદર્ભમાં નિશ્ચિત કરવાનો પ્રયાસ થયો છે. સામાજિક કલ્યાણ એ વસ્તુલક્ષી તથા આત્મલક્ષી…

વધુ વાંચો >

કળણભૂમિ (ભૂગોળ)

કળણભૂમિ (ભૂગોળ) : પાણીના ભરાવાવાળો, કાદવકીચડ અને ભેજવાળી ભૂમિનો પ્રદેશ. તેમાં સંપૂર્ણપણે અથવા અંશત: પાણી, તાજી અથવા સડેલી વનસ્પતિ તથા જમીનના બનેલા વિશાળ કાંઠાળ વિસ્તારો હોય છે. સપાટી પર તેમાં પાણીના સમતલ પ્રદેશનો ભાસ થાય છે. કળણભૂમિના પ્રદેશમાં વૃક્ષો તથા જંગલો હોય છે તો કાદવવાળી, નીચાણની ભેજવાળી જમીન અને પોચી…

વધુ વાંચો >

કાર્લ રીટર

કાર્લ રીટર (જ. 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 1859) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો. માનવ અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક, જન્મજાત…

વધુ વાંચો >

કેન્દ્રગામી જળપરિવાહ

કેન્દ્રગામી જળપરિવાહ : પાણીનો પ્રવાહ કેન્દ્ર તરફ વહે તેવા જળપરિવાહ(drainage)નો પ્રકાર. સામાન્ય રીતે સૂકા અથવા અર્ધ કે અંશત: સૂકા પ્રદેશો કે જ્યાં આવાં મધ્યવર્તી બિંદુ કોઈ જળાશય, સરોવર કે અંત:સ્થલીય (inland) સમુદ્ર દ્વારા પૂરાં પાડવામાં આવે છે ત્યાં આ પ્રકારના જળપરિવાહ જોવા મળે છે. આવા પ્રદેશોને આંતરિક જળપરિવાહના વિસ્તારો તરીકે…

વધુ વાંચો >

કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત

કેન્દ્રીય સ્થાન સિદ્ધાંત : તાર્તીયીક (tertiary) એટલે કે ઉચ્ચ પંક્તિની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે વિકાસ પામેલી શહેરી પદ્ધતિઓની સમજ આપતો સિદ્ધાંત. બવેરિયાના વતની અને જર્મન વિદ્વાન વૉલ્ટર ખ્રિસ્ટૅલરે નગરોની સંખ્યા, કદ અને વહેંચણીને નિયંત્રિત કરતા નિયમોના સંશોધન દરમિયાન 1933માં આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. જે વસાહત કોઈ પ્રદેશ કે વિસ્તારની પ્રવૃત્તિઓના…

વધુ વાંચો >

કૉરિયોલિસ બળ

કૉરિયોલિસ બળ : પૃથ્વીના પશ્ચિમથી પૂર્વ દિશાના દૈનિક ધરી-ભ્રમણને લીધે પવન ઉપર લાગતું બળ. ફ્રેંચ ગણિતજ્ઞ કૉરિયોલિસે આ પ્રકારના બળ વિશે સૌપ્રથમ ધ્યાન દોર્યું હતું આથી એને કૉરિયોલિસ બળ નામ આપવામાં આવ્યું છે. આ બળ પવનનો વેગ, પૃથ્વીની ધરી-ભ્રમણની ગતિ અને જે તે સ્થળના અક્ષાંશના સીધા પ્રમાણમાં હોય છે. વિષુવવૃત્ત…

વધુ વાંચો >