Posts by Jyotiben
જૈવરસાયણ (biochemistry)
જૈવરસાયણ (biochemistry) : વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમજ સૂક્ષ્મજીવાણુઓમાં જોવા મળતા રાસાયણિક પદાર્થો અને રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનની શાખા. આધુનિક કાર્બનિક રસાયણની ઉપશાખા તરીકે વિકસેલી છે. તેમાં ભૌતિક વિદ્યાઓ અને જીવશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. તે મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોને આવરી લે છે : (1) જૈવિક ક્રિયાઓ સાથે સંકળાયેલા રાસાયણિક પદાર્થોની કાર્યપદ્ધતિ અને ક્રિયાઓમાં થતાં…
વધુ વાંચો >જૈવરાસાયણિક ઑક્સિજન માંગ
જૈવરાસાયણિક ઑક્સિજન માંગ (biochemical oxygen demand — BOD) : સ્યૂએઝ(વાહિતમળમૂત્ર)માં રહેલ વિવિધ કાર્બનિક પદાર્થોના સૂક્ષ્મજીવો દ્વારા થતા જારક વિઘટન-ઉપચયન (oxidation) માટેની પ્રાણવાયુની જરૂરિયાતને જૈવરાસાયણિક ઑક્સિજન માંગ કહે છે. ઑક્સિજનની આ જરૂરિયાત સ્યૂએઝમાં રહેલ કાર્બનિક પદાર્થના પ્રમાણના અનુસંધાનમાં બદલાતી રહે છે. કાર્બનિક પદાર્થોનું વધુ પ્રમાણ ધરાવતી તીવ્ર અને મધ્યમ સ્યૂએઝનો જૈવરાસાયણિક ઑક્સિજન માંગનો આંક ઊંચો; જ્યારે…
વધુ વાંચો >જૈવરાસાયણિક જનીનવિદ્યા
જૈવરાસાયણિક જનીનવિદ્યા : જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેવી જનીનવિદ્યાની શાખા. આનુવંશિક લક્ષણોના સંચારણમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે. વારસા રૂપે માતા-પિતાનાં શરીરમાં આવેલા જનીનો સંતાનોમાં ઊતરે છે. જનીનોમાં આનુવંશિક લક્ષણો સાથે સંકળાયેલી માહિતી સંકેત રૂપે આવેલી હોય છે. ગર્ભની વિકાસાવસ્થા દરમિયાન સંકેતોના લિપ્યંતરથી, કોષો વિશિષ્ટ જૈવરસાયણોનું સંશ્લેષણ કરે છે. પરિણામે કોઈ પણ…
વધુ વાંચો >જૈવરાસાયણિક નિક્ષેપો
જૈવરાસાયણિક નિક્ષેપો (biochemical deposits) : જીવંત જીવનસ્વરૂપોની પ્રવૃત્તિઓ દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા નિક્ષેપો. જીવનસ્વરૂપોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સીધી કે આડકતરી રીતે પરિણમતા અવક્ષેપિત નિક્ષેપોનો પણ આ પર્યાય હેઠળ સમાવેશ થાય છે; જેમ કે, બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજનિક્ષેપો અને ચૂનાખડકો. પાણીમાં રહેલા દ્રાવ્ય ઘટકો વચ્ચે અવક્ષેપણ થવાના સંજોગો હેઠળ પ્રક્રિયાઓ થાય તો રાસાયણિક નિક્ષેપ બની…
વધુ વાંચો >જૈવ વર્ણપટ
જૈવ વર્ણપટ (biological spectrum) : કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં અથવા નિયત નિવસનતંત્રની પરિસીમામાં વિકાસ પામતા વનસ્પતિ અને પ્રાણીના સમુદાય. ઉદાહરણ તરીકે, જંગલમાં આવેલાં વૃક્ષો, ક્ષુપ, છોડ, વેલી-મહાકાય લતા, પરરોહી છોડ તથા આ વનસ્પતિઓ પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, જીવ-જંતુઓ, ફૂગ તથા જીવાણુઓ વગેરે એકકોષી સજીવોથી માંડી બહુકોષી મહાકાય સજીવો જૈવ સમુદાય (bio-community) બનાવે છે. વનસ્પતિઓ…
વધુ વાંચો >જૈવરાસાયણિક શ્વસન
જૈવરાસાયણિક શ્વસન (biochemical oxidation) : સજીવોમાં શક્તિ ઉત્પન્ન કરતી અગત્યની જૈવરાસાયણિક પ્રક્રિયા. સજીવો વૃદ્ધિ દરમિયાન આ ક્રિયા દ્વારા વિવિધ પોષક દ્રવ્યોનું ઑક્સિડેશન-વિઘટન કરી શક્તિદાતા અણુ-એટીપી (ATP) ઉત્પન્ન કરે છે. ઑક્સિડેશન દરમિયાન પોષક દ્રવ્યના અણુમાંથી હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે, જેનું પરિવહન વિશિષ્ટ શૃંખલા દ્વારા થઈ, અંતે શૃંખલાના અંતિમ ઘટક દ્વારા ઇલેક્ટ્રૉન ગ્રાહ્ય થાય છે.…
વધુ વાંચો >જૈવ-સમાજો
જૈવ-સમાજો (biotic communities) : વિશિષ્ટ પર્યાવરણમાં સ્થાયી જીવન પસાર કરનાર સજીવોનો સમૂહ. મોટા ભાગના સજીવો માત્ર વિશિષ્ટ નિવસનતંત્રમાં રહેવા અનુકૂલન પામેલા હોય છે. સફેદ રીંછ માત્ર ઉત્તર ધ્રુવપ્રદેશમાં, જ્યારે પૅંગ્વિન પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. સામાન્ય રીતે હાથી ગીચ જંગલમાં અને ઊંટ રણમાં રહેવાનું પસંદ કરે છે. સમુદ્ર, નાનાંમોટાં સરોવરો, નદીના મુખપ્રદેશો, ઘાસનાં…
વધુ વાંચો >જૈવ-સંશ્લેષણ
જૈવ-સંશ્લેષણ (biosynthesis) : સજીવોના શરીરમાં થતી ચયીન (anabolic) પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓને અનુક્રમે (1) અકાર્બનિક તત્વોમાંથી ઉત્પાદન પામતાં પ્રાથમિક સ્વરૂપનાં કાર્બનિક સંયોજનો, (2) અકાર્બનિક અને પ્રાથમિક કાર્બનિક રસાયણોમાંથી બહુશર્કરા (polysaccharides), સંકીર્ણ સ્વરૂપનાં લિપિડો, પ્રોટીનો, ન્યૂક્લિઇક ઍસિડો, વિટામિનો જેવા સંકીર્ણ સ્વરૂપના જૈવરસાયણિક પદાર્થોનું નિર્માણ અને (3) અન્યોન્ય રૂપાંતરણથી ઉત્પન્ન થતા પ્રાથમિક ખાદ્ય પદાર્થો આમ ત્રણ પ્રકારમાં વહેંચી…
વધુ વાંચો >જૈવિક અંકશાસ્ત્ર (vital statistics)
જૈવિક અંકશાસ્ત્ર (vital statistics) : જન્મ, મૃત્યુ વગેરે જીવનના અગત્યના બનાવોની માહિતીનું એકત્રીકરણ અને અર્થઘટન કરતી વિદ્યાશાખા. વસ્તીગણતરી (census) – એ લગભગ દશકા પછી થતી સમયાંતરિત પ્રક્રિયા છે; જ્યારે જન્મનોંધણી, મૃત્યુનોંધણી વગેરે વિવિધ પ્રકારની નોંધણીઓ વસ્તીઆલેખન(demographic)ના કાર્યને સરળ, ચોક્કસ, સંપૂર્ણ અને વિશ્વસનીય બનાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જૈવિક પ્રસંગો(vital events)ની નોંધણીના યંત્રની વ્યાખ્યા કરતાં જણાવ્યું…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું. વર્ધામાં વિદ્વાનોએ પરિષદ ભરેલી તેથી…
વધુ વાંચો >