Search Results: પુષ્કર ચંદરવાકર
ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)
ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી આ પ્રદેશ આનર્ત નામે જાણીતો…
વધુ વાંચો >ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર
ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર (જ. 16 ફેબ્રુઆરી 1921, ચંદરવા, જિ. અમદાવાદ; અ. 16 ઑગસ્ટ 1995, અમદાવાદ) : ‘ર. ર. ર.’, ‘પુષ્પજન્ય’, ‘સુધીર ઘોષ’ તખલ્લુસો. ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક. તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં. 1939માં મૅટ્રિક થયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે 1944માં બી.એ. તથા ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક ભવનમાંથી…
વધુ વાંચો >કુમાર
કુમાર : કુમારોને જીવનદૃષ્ટિ આપતું ગુજરાતી માસિક. ‘ઊગતી પ્રજા – કુમારોને જીવનર્દષ્ટિ આપતી કશી જ સામગ્રી નથી એ ઊણપ પૂરવાનો આ પ્રયાસ છે.’ – એવી પ્રથમ અંકના તંત્રીલેખમાં આદ્યતંત્રી રવિશંકર રાવળે જાહેરાત કરીને જાન્યુઆરી 1924માં ‘કુમાર’ માસિકનો એમના અંગત સાહસ તરીકે અમદાવાદમાંથી આરંભ કરેલો. ‘વીસમી સદી’ની સચિત્રતાના ઢાંચા પર શરૂ થયેલું આ માસિક ઉત્તરોત્તર કાઠું…
વધુ વાંચો >ગુજરાતી ગદ્ય
ગુજરાતી ગદ્ય : ગુજરાતી ગદ્ય મધ્યકાલીન તેમજ અર્વાચીન સ્વરૂપે ઉદભવ્યું અને લલિત-લલિતેતર એવી બે તરાહ(pattern)માં વિકસ્યું. ગુજરાતી ગદ્યનો આરંભ તેરમી સદીમાં જૈન સારસ્વતોએ ધર્મનીતિ પ્રબોધવા નિમિત્તે કર્યો. ત્યારથી લગભગ 1850 સુધીમાં ખેડાયેલું ઉપલબ્ધ મધ્યકાલીન ગદ્ય મુખ્યત્વે ‘બાલાવબોધ’ કે ‘સ્તબક’, ‘ઔક્તિક’ અને ‘વર્ણક’ પ્રકારોમાં ખેડાયું, જે બહુધા શુષ્ક, રૂઢ અને અણઘડ હતું. સાહિત્યિક ર્દષ્ટિએ નોંધપાત્ર ‘પૃથ્વીચંદ્રચરિત’(1422)નું…
વધુ વાંચો >એકાંકી
એકાંકી એક અંકવાળું નાટક. અંગ્રેજી ઉપરાંત અર્વાચીન ભારતીય ભાષાઓમાં જોવા મળતા એકાંકીના સ્વરૂપની રચના પશ્ચિમને આભારી છે. તેના વિકાસનો ઇતિહાસ સોએક વર્ષથી વધુ જૂનો નથી. સંસ્કૃતમાં ચૌદ જેટલા એક-અંકી પ્રકારોની ગણતરી કરવામાં આવી છે. એમાં ભાણ, વીથિ, અંક, વ્યાયોગ, પ્રહસન, ઇહામૃગ, રાસક, વિલાસિકા, ઉલ્લાપ્ય, શ્રીગદિત વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આજનું એકાંકી પશ્ચિમમાં ત્રિઅંકી અથવા…
વધુ વાંચો >ટૂંકી વાર્તા
ટૂંકી વાર્તા : અર્વાચીન લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ. અંગ્રેજી ‘શૉર્ટ સ્ટોરી’ના ગુજરાતી પર્યાય રૂપે યોજાતી સંજ્ઞા. ‘નવલિકા’ સંજ્ઞા પણ ઘડાયેલી છે. આધુનિક કળાસ્વરૂપ લેખે ટૂંકી વાર્તાનો ઉદભવ, પશ્ચિમના સાહિત્યમાં 19મી સદીમાં થયો, પણ તે પછી દોઢ-બે સૈકા જેટલા સમયગાળામાં વિશ્વભરના સાહિત્યમાં ઝડપથી એ સ્વરૂપનું ખેડાણ વિસ્તર્યું છે. આધુનિક માણસના જીવનસંયોગોની વિષમતા અને જટિલતાનું તેમ તેના અંતરની ગહનગંભીર…
વધુ વાંચો >રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત
રજની પારેખ આર્ટ્સ કૉલેજ મ્યુઝિયમ, ખંભાત : છઠ્ઠીથી સત્તરમી સદી વચ્ચેના શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સૌર સંપ્રદાયને લગતા પ્રાગ્-ઐતિહાસિક અને મધ્યકાલીન અવશેષો ધરાવતું સંગ્રહસ્થાન. તે 929 ચોમી. વિસ્તાર આવરી લે છે. પ્રારંભમાં 1960થી શિલ્પ-કલાકૃતિઓ શ્રી રજની પારેખ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં સંગૃહીત કરવામાં આવેલી. પાછળથી તેને માટેનું નવું મકાન 1996માં બાંધવામાં આવ્યું. મુખ્યત્વે નાગર અને…
વધુ વાંચો >નવલકથા
નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં વિવિધ વિશ્લેષણ, વ્યાખ્યા તથા ચર્ચા…
વધુ વાંચો >સ્ત્રીજીવન (સામયિક)
સ્ત્રીજીવન (સામયિક) : સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતું સામયિક. મહિલાઓ માટેના પત્રકારત્વની ‘સ્ત્રીબોધ’ની પરંપરામાં તેના એક સમયના સંપાદક શ્રી મનુભાઈ જોધાણીએ ‘સ્ત્રીજીવન’ સામયિકની શરૂઆત કરી. 20–22 વર્ષની ઉંમરથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહેલા મનુભાઈ જોધાણી જીવણલાલ અમરશીની કંપની અમદાવાદ ખાતેથી પ્રકાશિત થતા ‘સ્ત્રીબોધ’ના સહતંત્રી રહેલા. મહિલા-સામયિકોની સામગ્રી અને તેના લેઆઉટ અંગેની તેમની સમજ આ સમય દરમિયાન…
વધુ વાંચો >સંશોધન (Research)
સંશોધન (Research) જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ; જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની, જે તે સંશોધનવિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની, તેની સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુતતા-સંગતતા વગેરે તારવી…
વધુ વાંચો >