Religious mythology
ગુરુવાયુર મંદિર
ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…
વધુ વાંચો >ગોકર્ણ
ગોકર્ણ : શિવનો એક અવતાર. સિદ્ધના પ્રસાદથી ગાયના પેટે જન્મેલ એક સિદ્ધ પુરુષ. તે નામનું એક પ્રસિદ્ધ જ્યોતિર્લિગ તીર્થ કર્ણાટકમાં કારવાર અને તંદ્રી બંદરોની વચ્ચે આવેલું છે. સૃષ્ટિના આરંભે પ્રજાપતિ બ્રહ્માએ શિવને સૃષ્ટિ રચવાનું કામ સોંપ્યું, પણ તેમણે તે કામ કર્યું નહિ. તેથી સ્વયં બ્રહ્માએ પૃથ્વી રચી. શિવને એ ગમ્યું…
વધુ વાંચો >ગોત્ર-પ્રવર
ગોત્ર-પ્રવર : ગોત્ર એટલે પ્રાચીન ઋષિકુળ અને પ્રવર એટલે ગોત્રના પ્રાચીન ઋષિ એવો અર્થ આજે રૂઢ થયેલો છે. મૂળમાં ગોત્ર શબ્દનો અર્થ ‘गाव: त्रायन्ते अत्र इति गोत्रम् — એ વ્યુત્પત્તિ અનુસાર ગાયની ગમાણ કે વાડો એવો થતો હતો. પ્રાચીન વૈદિક કાળમાં ઋષિઓ પોતાના આશ્રમોમાં મોટી સંખ્યામાં ગાયો પાળતા. તે ગાયોના…
વધુ વાંચો >ગોપથ બ્રાહ્મણ
ગોપથ બ્રાહ્મણ : અથર્વવેદ(પૈપ્પલાદ અને શૌનક શાખા)નો એકમાત્ર ઉપલબ્ધ બ્રાહ્મણ. તેના સંકલનકાર આચાર્ય ગોપથ પૈપ્પલાદ શાખાના અને મધ્ય દેશના નિવાસી હોવાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે. અથર્વ પરિશિષ્ટ (4.5) અનુસાર ગોપથ બ્રાહ્મણ 100 પ્રપાઠકોનું હતું. સાંપ્રત ઉપલબ્ધ ગોપથ બ્રાહ્મણ કેવળ 11 પ્રપાઠકોનું જ છે. આ સંક્ષિપ્ત સંકલન પાછળના સમયમાં થયેલું છે.…
વધુ વાંચો >ગોપસખા
ગોપસખા : શ્રીકૃષ્ણની સખાભાવની ભક્તિ કરનારા મોટા-નાના સખાઓ. જેમ ગોપીભાવની ભક્તિ પોતાને સખી રૂપે કલ્પીને કરવામાં આવે છે તેમ સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપ-સખાના રૂપે કલ્પીને કરે છે. શ્રીકૃષ્ણની બાળલીલા અને કિશોરલીલાના ગોપસખાઓ વય પ્રમાણે ત્રણ પ્રકાર મનાય છે. શ્રીકૃષ્ણથી વયમાં થોડા મોટા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે સખાભાવે ગોચારણ…
વધુ વાંચો >ગોપી
ગોપી : પશુપાલક જાતિની સ્ત્રી. ઋગ્વેદ(1-155-5)માં વિષ્ણુ માટે પ્રયોજાયેલ ‘ગોપ’, ‘ગોપતિ’ અને ‘ગોપા’ શબ્દ ગોપ-ગોપી પરંપરાનું પ્રાચીનતમલિખિત પ્રમાણ છે. એમાં વિષ્ણુને ત્રિપાદ-ક્ષેપી કહ્યા છે. મેકડૉનલ્ડ, બ્લૂમફિલ્ડ વગેરે વિદ્વાનોએ આથી વિષ્ણુને સૂર્ય માન્યો છે જે પૂર્વ દિશામાં ઊગીને અંતરીક્ષને માપીને ત્રીજા પાદ-ક્ષેપ વડે આકાશમાં ફેલાઈ જાય છે. આના અનુસંધાનમાં કેટલાક વિદ્વાનોએ…
વધુ વાંચો >ગોપીનાથ કવિરાજ
ગોપીનાથ કવિરાજ (જ. 7 સપ્ટેમ્બર 1887, ધામરાઈ, પ. બંગાળ; અ. 12 જૂન 1976, વારાણસી) : 20મી સદીના આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનના ઋષિતુલ્ય પંડિત પ્રવર. એમનો જન્મ મોસાળમાં હાલના બંગલા દેશમાં ઢાકા જિલ્લાના ધામરાઈ ગામમાં થયો હતો. પિતાનું નામ ગોકુલનાથ કવિરાજ હતું. બાલ્યાવસ્થામાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલ હોઈ મામા કાલાચંદ સાન્યાલને ત્યાં કાંટાલિયા(જિ. મૈમનસિંહ)માં લાલનપાલન…
વધુ વાંચો >ગોમટેશ્વર
ગોમટેશ્વર : પહેલા તીર્થંકર ઋષભદેવના પુત્ર બાહુબલિ. ઋષભદેવને બે પુત્રો, ભરત અને બાહુબલિ. ઋષભદેવે પોતાનું રાજ્ય પુત્રોને વહેંચી આપીને સંન્યસ્ત લીધું. વખત જતાં ભરતે દિગ્વિજય માટે નીકળવા તૈયારી કરી. બાહુબલિએ તેથી અનેક જીવોની હિંસા થવાની હોવાથી વિરોધ કર્યો. વાદવિવાદ થતાં બંને ભાઈઓએ યુદ્ધ કર્યું. જીત્યા છતાં ભરતને રાજ્ય સોંપી બાહુબલિ…
વધુ વાંચો >ગોરખનાથ (ગોરક્ષનાથ 1)
ગોરખનાથ (ગોરક્ષનાથ 1) (ઈ. સ.ની દસમી કે અગિયારમી સદી) : ગુજરાતમાં સોલંકીકાળ દરમિયાન પ્રચલિત બનેલા સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક. આ સંપ્રદાયના સાધુઓના નામાન્તે ‘નાથ’ શબ્દ પ્રયોજાતો. નાથ એટલે અનાદિ ધર્મ. ‘નાથ’ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીન કાળથી આ સંપ્રદાય સિદ્ધમતને નામે…
વધુ વાંચો >ગોવિંદસિંઘ, ગુરુ
ગોવિંદસિંઘ, ગુરુ (જ. 22 ડિસેમ્બર 1666, પટના, બિહાર; અ. 7 ઑક્ટોબર 1708, નાંદેડ, મહારાષ્ટ્ર) : શીખોના દસમા ગુરુ. તેમનું બચપણનું નામ ગોવિંદરાય હતું. તેમના પિતા તેગબહાદુર શીખોના નવમા ગુરુ હતા. તેમનાં માતાનું નામ ગુજરીજી હતું. 1675માં તેઓ આનંદપુર, જિ. હોશિયારપુર, પંજાબ મુકામે ગુરુ નાનકના સિંહાસન પર દસમા ગુરુ તરીકે બિરાજમાન…
વધુ વાંચો >