Philosophy

ઉપાધિ (ન્યાયદર્શન)

ઉપાધિ (ન્યાયદર્શન) : સમીપવર્તી વસ્તુને પોતાનો ગુણધર્મ આપે તે. જેમ કે સામે મૂકેલા લાલ ફૂલથી શ્વેત સ્ફટિક પણ લાલ લાગે છે. ત્યાં લાલ ફૂલ ઉપાધિ કહેવાય. ન્યાયદર્શનોમાં ઉપાધિનો સંદર્ભ અનુમાનપ્રમાણ સાથે છે. અનુમાનનો આધાર વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે હેતુ અને સાધ્ય વચ્ચેનો નિયત સ્વાભાવિક સંબંધ. ‘જ્યાં ધૂમ ત્યાં અગ્નિ’ એ…

વધુ વાંચો >

ઉપાધ્યાય બલદેવ

ઉપાધ્યાય બલદેવ (જ. 10 ઑક્ટોબર 1899, સોનબરસા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1999, વારાણસી) : ભારતીય દર્શન અને સાહિત્યના પ્રકાંડ પંડિત. કાશી વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા પછી ત્યાં સંસ્કૃતના અધ્યાપક થયા. પોતે દર્શન અને સૈદ્ધાંતિક સાહિત્ય સમીક્ષાના ક્ષેત્રમાં સંસ્કૃત વાંઙમયના ઉપલબ્ધ આકર ગ્રંથોનો ઉપયોગ કરીને હિંદીને સમૃદ્ધ કરવાની દિશામાં મહત્વનાં…

વધુ વાંચો >

ઉમર ખય્યામ

ઉમર ખય્યામ (જ. 18 મે 1048, નીશાપુર (ઈરાન); અ. 4 ડિસેમ્બર 1122, નીશાપુર) : અરબી ભાષાના વિશ્વવિખ્યાત કવિ તેમજ પ્રખર ફિલસૂફ, તર્કશાસ્ત્રી, ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી. આખું નામ અબુ અલ-ફતહ બિન ઇબ્રાહીમ અલ ખય્યામ. કૌટુંબિક વ્યવસાયને લઈને જ ખય્યામ એટલે કે તંબૂ બનાવનાર કહેવાયા. ખગોળ અને અંકશાસ્ત્રના વિશારદ અબૂલ હસન અલ…

વધુ વાંચો >

ઊનામૂનો (ય જુગો)

ઊનામૂનો (ય જુગો) મિગ્વેલ દ (જ. 21 સપ્ટેમ્બર 1864, બિલ્બાઓ, સ્પેન; અ. 31 ડિસેમ્બર 1936, સૅલમૅન્ક) : સ્પૅનિશ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને કેળવણીકાર. તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક હતા. સ્પેનના તેમના સમયના સૌથી મહાન લેખક તરીકે તેમની ગણના થતી હતી. બિલ્બાઓમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને તેઓ 1880માં મૅડ્રિડ યુનિવર્સિટીમાં જોડાયા…

વધુ વાંચો >

એકેશ્વરવાદ

એકેશ્વરવાદ (monotheism) : ‘ઈશ્વર એક અને અદ્વિતીય છે’ એવી માન્યતાનું સમર્થન કરતી વિચારસરણી. ધર્મોના ઇતિહાસની ર્દષ્ટિએ એકેશ્વરવાદ એ અનેકદેવવાદ(polytheism)નો વિરોધી વાદ છે. યહૂદી અને ઇસ્લામ ધર્મમાં એકેશ્વરવાદનું પ્રતિપાદન અનેકદેવવાદના સ્પષ્ટ ખંડન સાથે થયેલું છે. વૈદિક ધર્મમાં અનેક દેવોના અસ્તિત્વનો સ્વીકાર થયેલો છે એ હકીકતની સાથે એ પણ નોંધપાત્ર છે કે…

વધુ વાંચો >

ઍક્વાયનસ, ટૉમસ

ઍક્વાયનસ, ટૉમસ (જ. 1225, રોકેસેકા, નેપલ્સ પાસે; અ. 7 માર્ચ 1274, ફોસાનૌઆ, ઇટાલી) : યુરોપના મધ્યયુગના મહાન ચિંતક. 1244માં ખ્રિસ્તી ધર્મના ડૉમિનિકન ઑર્ડરના સભ્ય થયા પછી તેમણે પૅરિસ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ ‘ઍન્જેલિક ડૉક્ટર’ તરીકે જાણીતા હતા. તેરમી સદી યુરોપનો સંક્રાંતિકાળ હતો, તેમાં ગ્રીક ફિલસૂફીનો અનુવાદ સુલભ બન્યો તેનો…

વધુ વાંચો >

એનેક્સાગોરાસ

એનેક્સાગોરાસ (ઈ. પૂ. પાંચમી સદી) : ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞ, ચિંતક, ખગોળશાસ્ત્રી અને ઍથેન્સના પેરિક્લીઝનો સૉફિસ્ટ શિક્ષાગુરુ. તેણે ખગોળશાસ્ત્ર પર, ‘ઑન નેચર’ નામે ગ્રંથ લખીને ‘હવામાનશાસ્ત્ર’નો પાયો નાખ્યો. તેના જીવનનું ધ્યેય સૂર્ય, ચંદ્ર અને સ્વર્ગની માહિતીની શોધ હતું. તે કહેતો કે, ‘પૃથ્વીની નજીક આવેલા, પરપ્રકાશિત ચંદ્ર પર પર્વતો, ખીણો અને મેદાનો…

વધુ વાંચો >

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર (જ. 12 ફેબ્રુઆરી 1871, ન્યૂકેસલ-ઑનેટાઇન, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1940, કોલકાતા) : દીનબંધુ ઍન્ડ્રૂઝ તરીકે જાણીતા, ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક તથા ગાંધીજીના નિકટના સાથી. તેમના પિતા ધર્મોપદેશક હતા. તેમનું શાળાકીય શિક્ષણ બર્મિંગહામમાં તથા ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજમાં. તેમણે ત્રણ પ્રશિષ્ટ વિષયો (classical tripos) સાથે પ્રથમ વર્ગમાં પદવી મેળવી…

વધુ વાંચો >

એપિક્યુરસ

એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270 એથેન્સ, ગ્રીસ) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ…

વધુ વાંચો >

એબેલાર્ડ, પીટર

એબેલાર્ડ, પીટર (જ. 1090; અ. 21 એપ્રિલ 1142) : ફ્રાન્સનો ઈશ્વરશાસ્ત્રવેત્તા (theologian). પીટર બ્રિટ્ટાનીના લેપેલેના ઉમરાવના પુત્ર. રોસ્કેલિન અને ચેમ્પોના હાથ નીચે લોચીસ અને પૅરિસમાં તેમણે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેલૂન, કોર્બીલ, બ્રિટ્ટાની, પૅરિસ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે તેમણે સેવા આપી. ફુલ્બર્ટની તેજસ્વી ભત્રીજી હેલોઇઝ સાથે તેમણે ખાનગીમાં લગ્ન કર્યાં એટલે…

વધુ વાંચો >