Sociology

સિંહા અનુગ્રહ નારાયણ

સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…

વધુ વાંચો >

સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC)

સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC) : ગ્રાહક શિક્ષણ, સંશોધન અને સુરક્ષાને વરેલી અમદાવાદ ખાતેની વિશ્વભરમાં વિખ્યાત બનેલી સંસ્થા. સ્થાપના : 1978. પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને લગતા કાયદા હેઠળ તેની નોંધણી થયેલી છે. સંશોધન-સંસ્થા તરીકે તે માન્યતા ધરાવે છે. બિન-નફાલક્ષી ધોરણે તે પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. ગ્રાહક-સુરક્ષા અંગે…

વધુ વાંચો >

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (જ. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં. તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે.…

વધુ વાંચો >

સેડલર માઇકલ થૉમસ

સેડલર, માઇકલ થૉમસ (જ. 3 જાન્યુઆરી 1780, સ્નેલસ્ટન, ડર્બીશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1835, બેલફાસ્ટ, અલસ્ટર, આયર્લૅન્ડ) : ઉદ્દામવાદી રાજનીતિજ્ઞ, ઉદાર વ્યાપારી અને ફૅક્ટરીસુધાર આંદોલનના નેતા. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પગલે આર્થિક ઉત્પાદનના વિકાસ સાથે ઘણી નવી સમસ્યાઓ પણ ઇંગ્લૅન્ડમાં ઊભી થઈ. ઇંગ્લૅન્ડ ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું; એથી આ સમસ્યાઓ…

વધુ વાંચો >

સેન કેશવચંદ્ર

સેન, કેશવચંદ્ર (જ. 1838; અ. 1884) : 19મી સદીની ભારતની ધાર્મિક અને સામાજિક નવજાગૃતિના જાણીતા ચિંતક અને ‘બ્રહ્મોસમાજ’ સંસ્થાના એક અગ્રગણ્ય કાર્યકર. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજનું નેતૃત્વ કેશવચંદ્રે 1857થી લીધું. તેમનાં વિચાર અને પ્રવૃત્તિથી શરૂઆતમાં સંસ્થાને વેગ મળ્યો. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ ચલાવવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ…

વધુ વાંચો >

સેનાપતિ ગોપીનાથ

સેનાપતિ, ગોપીનાથ (જ. 24 નવેમ્બર 1915, બનપુર, ઓરિસા) : ઊડિયા કવિ. આયુર્વેદિક ચિકિત્સાકાર્ય સાથે તેમણે સામાજિક સેવા કરી. તેમણે સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો. ગોદાવરીશ કૉલેજમાં વ્યવસ્થાપક મંડળના સભ્ય; મોહપાત્ર સાહિત્યચક્ર; બનપુરના સેક્રેટરી; ઓરિસા રાજ્ય પાલગાયક પરિષદના સલાહકાર. તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘પ્રમાદ વારા’ (1981); ‘શાલિયા નૈરા ધેવ’ (1982) અને…

વધુ વાંચો >

સેવા (Self-Employed Womens’ Association – SEWA)

સેવા (Self-Employed Womens’ Association – SEWA) : અસંગઠિત ક્ષેત્રે કામ કરતી ગરીબ, સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન, જે મુખ્યત્વે ગાંધીવાદી શૈલીથી મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે. 1947માં સર્વોચ્ચ સ્થાને મૂકી શકાય તેવી રાજકીય આઝાદી પ્રાપ્ત કર્યા પછી વર્ષો સુધી દેશની અગણિત ગરીબ મહિલાઓ માટે ખાસ કોઈ કામ થયું નહોતું. આર્થિક સ્વાવલંબન…

વધુ વાંચો >

સેવા-ઉદ્યોગો

સેવા-ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન, તેના પર પ્રક્રિયા કે વિનિમય સિવાયની ફક્ત સેવા દ્વારા આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ; દા.ત., દૂરસંચાર, સંદેશાવ્યવહાર, માહિતી તકનીકી (I.T.), બૅંકો, વીમો, મૂડીબજાર, પ્રવાસન, મનોરંજન, શિક્ષણ, સુખાકારી, કાનૂની સેવા વગેરે. આ પ્રકારની સેવાઓમાં શારીરિક શ્રમને બદલે માનસિક કાર્ય વધુ રહે છે. તેથી ક્વચિત્ તે જ્ઞાન-ઉદ્યોગો તરીકે પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

સોરોકિન મિતિરિમ એ

સોરોકિન મિતિરિમ એ. (જ. 1899; અ. 1968) : મૂળ રશિયાના પણ અમેરિકામાં સ્થાયી થયેલા સમાજશાસ્ત્રી. સોરોકિનનો જન્મ ઉત્તર રશિયાના એક નાના ગામડામાં થયો હતો. પૂર્વજોનો વ્યવસાય ખેતીનો હતો. પિતા શ્રમજીવી હતા. ત્રણ વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયા પછી માસીને ત્યાં ઊછર્યા. વીસ વર્ષે ઝાર સામેની ક્રાંતિમાં ઝંપલાવ્યું. સ્વાધ્યાયનાં પચાસ વર્ષના…

વધુ વાંચો >

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957)

સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ (SID) (1957) : એક બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ સભ્યપદ મેળવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય માટે તેમજ લોકશાહીકરણ માટે પ્રયત્નશીલ રહેવાનો છે. વિશ્વભરમાં જ્ઞાનવિતરણ તથા સંવાદની ભૂમિકા સર્જવામાં અને સમૂહોની સંઘર્ષશક્તિમાં બળ પૂરવાનું કામ કરવાનો આ સંસ્થાનો ઉદ્દેશ છે. બહુમુખી ક્ષેત્રોના…

વધુ વાંચો >