Sanskrit literature
શર્મા, ચંદ્રધર
શર્મા, ચંદ્રધર (જ. 31 જાન્યુઆરી 1920, કોટા, રાજસ્થાન) : હિંદી તથા સંસ્કૃત પંડિત. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે 1942માં એમ.એ.; 1944માં એલએલ.બી.; 1947માં ડી.ફિલ.; 1951માં ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1960-80 દરમિયાન જબલપુર યુનિવર્સિટીમાંથી ફિલસૂફી વિભાગના પ્રાધ્યાપક તથા વડા; 1963-64 અમેરિકામાં વ્હિટની ખાતે મુલાકાતી પ્રાધ્યાપક; 1980માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી મુલાકાતી પ્રાધ્યાપક…
વધુ વાંચો >શર્મા, રામકરણ
શર્મા, રામકરણ (જ. 20 માર્ચ 1927, શિવપુર, જિ. સારન, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. પટના યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ.; આ ઉપરાંત ‘સાહિત્યાચાર્ય’, વ્યાકરણશાસ્ત્રી તથા વેદાંતશાસ્ત્રી. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અધ્યાપન, સંશોધન અને લેખન તેમની મુખ્ય પ્રવૃત્તિ. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘સંધ્યા’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત…
વધુ વાંચો >શર્વવર્મન્
શર્વવર્મન્ : કાતંત્ર નામના સંસ્કૃત ભાષાના વ્યાકરણના લેખક. તેમના જીવન વિશે કશી માહિતી મળતી નથી. તેઓ આશરે સાતમી સદીમાં થયેલા રાજા સાતવાહનના રાજદરબારના કવિ ગુણાઢ્યના સમકાલીન હતા. તેઓ પાણિનીય વ્યાકરણના અભ્યાસી હતા. પાણિનીય વ્યાકરણની કઠિનતાને દૂર કરવા ‘કાતંત્ર’ અથવા ‘કૌમાર’ નામના વ્યાકરણની રચના કરેલી. બાળકોને સમજાય તેવા સરળ વ્યાકરણની રચના…
વધુ વાંચો >શાકલ સંહિતા
શાકલ સંહિતા : જુઓ ઋગ્વેદ.
વધુ વાંચો >શાલીહાસ, રમેશચંદ્ર
શાલીહાસ, રમેશચંદ્ર (જ. 25 જુલાઈ 1925, સિરસા, હરિયાણા) : હિંદી અને સંસ્કૃત કવિ તથા પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ (1943); ‘સાહિત્યરત્ન’ (1969); ‘આયુર્વેદરત્ન’ (1970, પ્રયાગ)ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેમણે અધ્યાપન સાથે લેખનકાર્ય આરંભ્યું. લુપ્ત સરસ્વતી અભિયાનના જિલ્લા-સંગઠક (ઑર્ગેનાઇઝર) તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના જિલ્લા પ્રમુખ; મુંબઈની…
વધુ વાંચો >શાસ્ત્રી, અમીરચંદ્ર
શાસ્ત્રી, અમીરચંદ્ર [જ. 15 જુલાઈ 1918, અહમદપુર સ્યાલ, જિ. જંગ (હાલ પાકિસ્તાનમાં)] : સંસ્કૃત પંડિત અને લેખક. તેમણે સરકારી સંસ્કૃત કૉલેજ, વારાણસીમાંથી 1933માં શાસ્ત્રી અને 1936માં આચાર્યની પદવી મેળવી. ઋષિકુળ વિદ્યાપીઠ, હરદ્વારમાંથી 1933માં વિદ્યાકલાનિધિ, 1936માં વિદ્યાભાસ્કર, 1964માં વિદ્યાવાચસ્પતિની પદવીઓ મેળવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : મહાવીર સંસ્કૃત મહાવિદ્યાલય, જંગ(હાલ…
વધુ વાંચો >શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા. 1923માં માંગરોળ (સોરઠ) નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી…
વધુ વાંચો >શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ
શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ (જ. 1936, જયપુર, રાજસ્થાન) : સંસ્કૃત, હિંદી તથા અંગ્રેજી લેખક. તેમને તેમની કૃતિ ‘આખ્યાનવલ્લરી’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજીમાં એમ.એ. અને સંસ્કૃત તથા ભાષાવિજ્ઞાનમાં સાહિત્યાચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ રાજસ્થાની, હિંદી, ગુજરાતી, બંગાળી, વ્રજ અને પ્રાકૃત ભાષાની જાણકારી ધરાવે…
વધુ વાંચો >શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય
શાસ્ત્રી, વી. સુબ્રમણ્ય (જ. 1907) : સંસ્કૃતના વિદ્વાન લેખક. સંસ્કૃતના પંડિતોના જાણીતા પરિવારમાં જન્મ. નાનપણથી જ પાંડિત્યવાળા વાતાવરણમાં ઉછેર થવાથી કિશોરાવસ્થામાં જ તેઓ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યથી સુપરિચિત થયા હતા. મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીની ‘ન્યાયશિરોમણિ’ની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા અને પિટ્ટી મુનુસ્વામી ચેટ્ટી સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. એ ઉપરાંત કાંચીના શંકરાચાર્ય,…
વધુ વાંચો >શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર
શાસ્ત્રી, શંકરલાલ માહેશ્વર (જ. 1844, જામનગર; અ. 1917) : સંસ્કૃત ભાષાના ગુજરાતના અગ્રણી કવિ અને નાટ્યકાર. તેમના પિતાનું નામ મહેશ્વર કે માહેશ્વર ભટ્ટ અને તેમનાં માતાનું નામ મોંઘીબહેન હતું. તેઓ ભારદ્વાજ ગોત્રના પ્રશ્ર્નોરા નાગરજ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમનું વતન સૌરાષ્ટ્રમાં જામનગર હતું, પરંતુ તેમની કર્મભૂમિ મોરબી શહેર હતું. તેઓ કેશવજી મોરારજી…
વધુ વાંચો >