Religious mythology
શસ્ત્ર
શસ્ત્ર : યજ્ઞમાં હોતાએ બોલવાનો ઋગ્વેદનો સ્તુતિમંત્ર, જે છ પ્રકારનો છે. વૈદિક યુગમાં યજ્ઞ-પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર ઋત્વિજો હતા : હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા; આ ચારેયના અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ હતા. આમાંથી આ સમયે ઉદ્ગાતા જેનું ઉચ્ચારણ કરે છે તે સ્તોત્ર છે. તેની જેમ હોતા, જેનું ઉચ્ચારણ…
વધુ વાંચો >શહીદ
શહીદ : મૂળમાં ઇસ્લામ ધર્મનો એક ખ્યાલ. શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ ‘શહીદ’નો મૂળ અર્થ ‘સાક્ષી આપનાર’ થાય છે. આમાંથી બનેલ શબ્દ ‘શાહેદ’ અથવા ‘સાહેદ’ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં ‘શહીદ’ તથા તેનું બહુવચન ‘શોહદા’, ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં…
વધુ વાંચો >શંકરાચાર્ય (આદ્ય)
શંકરાચાર્ય (આદ્ય) (અંદાજે સાતમી-આઠમી સદી) : ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય. તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને એ ઋણ શંકરાચાર્યે માતાના અંતકાળ સુધી સ્વીકાર્યું. શંકરે…
વધુ વાંચો >શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી
શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી (જ. માર્ચ 1884, તિનીવેલી, ચેન્નાઈ; અ. 2 ફેબ્રુઆરી 1960, મુંબઈ) : હિન્દુ ધર્મના પાંચ સર્વોચ્ચ ગુરુઓમાંના એક. મૂળ નામ : વેંકટ રામન, પિતા પી. નરસિંહ શાસ્ત્રી, તિનીવેલી(ચેન્નાઈ ઇલાકો)ના તહસીલદાર, નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા. કાકા વિજયનગરમની કૉલેજના આચાર્ય અને દાદા રંગનાથ શાસ્ત્રી ચેન્નાઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. વિદ્યાભ્યાસ દરમિયાન…
વધુ વાંચો >શંખેશ્વર
શંખેશ્વર : ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મહામંત્રી સજ્જનશાહે…
વધુ વાંચો >શંબર
શંબર : રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાણીતો રાક્ષસ. (1) રામાયણ અને મહાભારતમાંથી તેની વિગતો મળે છે. તે મુજબ દક્ષિણમાં દંડકદેશની નગરી વૈજયન્તનો રાજા તિમિધ્વજ હતો. આ પ્રદેશ અત્યારનો, બિલિમોરા પાસેનો ડાંગ જિલ્લાનો વિસ્તાર છે. આ તિમિધ્વજ ‘શંબર’ તરીકે વિખ્યાત હતો. તેને સેંકડો માયાવી વિદ્યાઓનું જ્ઞાન હતું. દેવો સમૂહમાં રહે, તોપણ…
વધુ વાંચો >શાકલ્ય
શાકલ્ય : ઋગ્વેદની સંહિતાની એક ઉપલબ્ધ શાખા. ભગવાન પતંજલિના મહાભાષ્યના ‘પસ્પશાહિનક’માં જણાવ્યા મુજબ ઋગ્વેદની 21 શાખાઓ હતી. एकविंशतिधा बाह्वृचम् । શૌનકના ‘ચરણવ્યૂહ’માં પાંચ શાખાનાં નામ આપ્યાં છે. તેમના સમયમાં ઋગ્વેદ પાંચ શાખાઓમાં હતો : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકાયન. વર્તમાન સમયમાં ઉપલબ્ધ શાખા કેવળ એક છે : શાકલ્ય. ઉપલબ્ધ…
વધુ વાંચો >શાકંભરી
શાકંભરી : મહાભારત અને પુરાણો અનુસાર એક દેવી. આ દેવીએ હજાર દિવ્ય વર્ષો સુધી, મહિનાના અંતે એક વાર શાકનો આહાર કરીને તપ કર્યું હતું. ઋષિઓ તેમની પાસે આવ્યા ત્યારે તેઓનું આતિથ્ય પણ શાકથી કર્યું હતું. ત્યારથી તેમનું નામ શાકંભરી પડ્યું. ઉત્તરપ્રદેશના સહરાનપુર જિલ્લામાંના એક તીર્થમાં શાકંભરી દેવીની સ્વયંભૂમૂર્તિ છે. એવી…
વધુ વાંચો >શાન્ત્યાચાર્ય
શાન્ત્યાચાર્ય (સમય 11મી સદી) : જૈન ધર્મના આચાર્ય અને ટીકાલેખક. વિદ્વાન. ચાન્દ્રકુલ થારાપદ્રગચ્છના આચાર્ય વિજયસિંહના શિષ્ય. ગૃહસ્થાશ્રમમાં તેઓ રાધનપુર નજીક ઉન્નાતાયુ(ઉણગામ)ના નિવાસી શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનશ્રી હતું. ગૃહસ્થ જીવનમાં તેમનું નામ ભીમ હતું. તેમણે નાની ઉંમરમાં જ આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. દીક્ષા ગ્રહણ…
વધુ વાંચો >શાર્યાતો
શાર્યાતો : મનુના દશ પુત્રોમાંના એક શર્યાતિના વંશજો. પૌરાણિક અનુશ્રુતિ મુજબ વૈવસ્વત અર્થાત્ વિવસ્વત(સૂર્ય)ના પુત્ર મનુના દશ પુત્રોમાંના એક પુત્ર શર્યાતિને હાલ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશનું રાજ્ય મળ્યું હતું. વૈદિક સાહિત્યમાં આ રાજા શર્યાતિનો ઉલ્લેખ શાર્યાત તરીકે આવે છે. રાજવંશોના નિરૂપણમાં પુરાણો અને મહાભારતની પુરવણીરૂપ હરિવંશ શાર્યાત વંશની માહિતી આપે…
વધુ વાંચો >