Political science

મજૂર મહાજન સંઘ

મજૂર મહાજન સંઘ : ગાંધીવાદી વિચારસરણીને વરેલું અમદાવાદના મિલ-કામદારોનું સંગઠન. 1914થી મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં મોટાં બહેન અનસૂયાબહેન મજૂરો અને તેમનાં કુટુંબીઓની સ્થિતિસુધારણા માટે પ્રયત્નશીલ હતાં. તેમના પ્રયત્નોમાં ગાંધીજીના મજૂર-વિષયક વિચારો – સિદ્ધાંતોનો રચનાત્મક અમલ જણાતો હતો. આ પ્રયત્નોને સંગઠિત રૂપ આપવાના હેતુથી 1920માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. 1920ના ફેબ્રુઆરી…

વધુ વાંચો >

મણિપુર

મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો…

વધુ વાંચો >

મતાધિકાર

મતાધિકાર : લોકશાહી શાસનવ્યવસ્થામાં પુખ્તવયના સર્વ નાગરિકોને બંધારણ દ્વારા પ્રાપ્ત થતો મુખ્ય રાજકીય અધિકાર. વ્યક્તિનું વ્યક્તિત્વ વિકસે, ગૌરવ વધે અને નાગરિક રાજકીય જીવનમાં સક્રિય બને તથા નાગરિકતાનો વિકાસ થાય તે માટે અધિકારો આપવામાં આવે છે. આવા અધિકારો મૂળભૂત અધિકાર હોવાથી તેનો સમાવેશ જે તે દેશના બંધારણમાં કરવામાં આવે છે. બંધારણ…

વધુ વાંચો >

મત્સ્યન્યાય

મત્સ્યન્યાય : રાજ્ય અથવા શાસક (રાજા) ન હોય ત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તતી હોય તે દર્શાવવા માટે ભારતીય પ્રાચીન ચિંતનમાં થતો શબ્દપ્રયોગ. તેનો અર્થ છે, મોટી માછલી નાની માછલીને ગળી જાય એવી પરિસ્થિતિ. તેને મત્સ્યગલાગલ કહે છે. ‘બળિયાના બે ભાગ’ અથવા ‘મારે તેની તલવાર’ અથવા ‘શેરને માથે સવા શેર’ જેવી ગુજરાતી…

વધુ વાંચો >

મથાઈ, જૉન

મથાઈ, જૉન (જ. 10 જાન્યુઆરી 1886; અ. 2 નવેમ્બર 1969, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણામંત્રી. ચેન્નઈની કિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. અને ત્યારબાદ બી.એલ. થયા. ઑક્સફર્ડ અને પછીથી લંડન સ્કૂલ ઑવ્ ઈકોનૉમિક્સમાં અભ્યાસ કર્યો. પ્રારંભે 1910થી ’14 સુધી ચેન્નઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1918માં ચેન્નઈની પ્રેસિડન્સી કૉલેજમાં…

વધુ વાંચો >

મધ્યસ્થી

મધ્યસ્થી (mediation) : પક્ષકારો વચ્ચેના મતભેદોનું નિરાકરણ કરવાના આશયથી ત્રીજા તટસ્થ પક્ષની દરમિયાનગીરી. ‘મધ્યસ્થી’ શબ્દ લૅટિન શબ્દ ‘mediare’ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે ઝઘડાના પક્ષકારોની વચ્ચે પડવાની પ્રક્રિયા; જેનો હેતુ પક્ષકારો વચ્ચેના મતભેદો ઉકેલવાનો છે. ત્રીજા પક્ષ દ્વારા વચ્ચે પડીને ઝઘડા ઉકેલવાની તકનીકના વિવિધ પ્રકારો છે, જેમાં લવાદી…

વધુ વાંચો >

મન કી બાત

મન કી બાત  : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >

મરે, પૉલી

મરે, પૉલી (જ. 20 નવેમ્બર 1910, બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકાનાં અશ્વેત વકીલ, લેખિકા, નાગરિક હકના આંદોલનકર્તા અને મહિલા સમાન હકનાં પ્રારંભિક પુરસ્કર્તા. 1977માં તેઓ એપિસ્કોપલ પાદરી તરીકે દીક્ષાસંસ્કાર પામનારાં સર્વપ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હતાં. વૉશિંગ્ટન ડી. સી. ખાતેની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓ કાયદાનાં વિદ્યાર્થી હતાં, ત્યારે 1940ના દશકામાં નાગરિક હકો…

વધુ વાંચો >

મર્ડેલ, આલ્વા

મર્ડેલ, આલ્વા (જ. 31 જાન્યુઆરી 1902, ઉપાસલા, સ્વીડન; અ. 2 ફેબ્રુઆરી 1986, સ્ટૉકહોમ) : સ્વીડનનાં રાજકારણી મહિલા, શાંતિવાદી સુધારાનાં પ્રણેતા અને સમાજવિજ્ઞાની. તેમણે ઉપાસલા, સ્ટૉકહૉમ અને જિનીવા ખાતેની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. 1982માં તે નોબેલ શાંતિ પુરસ્કારનાં સહવિજેતા બન્યાં. સામાજિક જાગરુકતા ધરાવતા મધ્યમવર્ગીય પરિવારમાં તેમનો ઉછેર થયેલો. શિક્ષિકા તરીકેની લાંબી કારકિર્દી…

વધુ વાંચો >

મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ

મલિક, જૅકબ ઍલેક્ઝૅન્ડ્રોવિચ (જ. 1906, યુક્રેન, રશિયા; અ. 1980) : સોવિયેત દેશના રાજકારણી. તેઓ સ્ટેલિનના કૃપાપાત્ર ગણાતા હતા. 1942થી ’45 દરમિયાન તેમણે જાપાન ખાતે એલચી તરીકે કામગીરી બજાવી. 1946માં તેઓ નાયબ વિદેશપ્રધાન નિયુક્ત થયા. આન્દ્રે ગૉમિકોના અનુગામી તરીકે તેઓ 1948માં રાષ્ટ્રસંઘ ખાતે સોવિયેત દેશના પ્રવક્તા બની રહ્યા. 1953થી ’60 સુધી…

વધુ વાંચો >