Political science

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947 : 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિલીનીકરણની સમસ્યા સૌથી વધારે ઉગ્ર બનતી રહી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોમાં તે આડખીલીરૂપ બની રહેલી છે. ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965 : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલું બીજું ખુલ્લું યુદ્ધ. ભારત પર પાકિસ્તાનના લશ્કરી આક્રમણને કારણે બંને દેશો વચ્ચેની સરહદો સળગી ઊઠી. પ્રારંભે એપ્રિલ, 1965માં પાકિસ્તાને કચ્છના રણના વિસ્તારમાં આક્રમણ કર્યું અને પછી પાકિસ્તાનના લાહોર-સિયાલકોટ અને ભારતના છાંબ-જોરિયન વિસ્તાર સુધી ઑગસ્ટમાં આ સંઘર્ષ વિસ્તર્યો. ભારતીય સૈન્ય લાહોર…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971

ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971 : બાંગ્લાદેશના મુક્તિ આંદોલનના પરિપ્રેક્ષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ. 1947માં ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રોના ઉદય પછી પશ્ચિમ પાકિસ્તાને સરકારી હોદ્દાઓ પરની નિમણૂકો, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, અંદાજપત્રીય ફાળવણી વગેરેમાં ભેદભાવભરી નીતિઓ અખત્યાર કરી. પૂર્વ પાકિસ્તાનના નાગરિકો જાણે કે બીજા દરજ્જાના નાગરિકો હોય અને…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999

ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999 : આ યુદ્ધ મુખ્યત્વે કાશ્મીરના કારગિલ અને દ્રાસ વિસ્તારમાં લડાયું. કાતિલ ઠંડીને કારણે કારગિલ વિસ્તાર સાથેનો સંપર્ક શિયાળામાં તૂટી જતો. અતિશય ઠંડીને કારણે દર વર્ષની જેમ 1998ના શિયાળામાં આ વિસ્તારમાંથી ભારતીય લશ્કરી પહેરો ખસેડી લેવાયો હતો, જેને કારણે પાકિસ્તાનની ઘૂસણખોરી માટે આ વિસ્તાર સાવ ખુલ્લો…

વધુ વાંચો >

ભારતમાં અંગ્રેજી રાજ

ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ. ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ,…

વધુ વાંચો >

ભારતીય જનતા પક્ષ

ભારતીય જનતા પક્ષ : બહોળા અર્થમાં હિંદુત્વમાં શ્રદ્ધા ધરાવતો તથા દેશની સ્વતંત્રતા અને અખંડિતતાને વરેલો જમણેરી રાજકીય પક્ષ. તેની આગવી વિચારસરણી અને સંગઠનની વિશેષતાને લીધે ભારતીય રાજકારણમાં તે ચોક્કસ સ્થાન ધરાવે છે. આ પક્ષનો ચિંતનસ્રોત ઓગણીસમી સદીના પ્રારંભે શરૂ થયેલા પુનરુત્થાનવાદીઓના વિચારોમાં રહેલો જણાય છે. આ ચિંતકોનું માનવું હતું કે…

વધુ વાંચો >

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ : જુઓ કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)

વધુ વાંચો >

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ

ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ : જુઓ ઇન્ટુક

વધુ વાંચો >

ભિંડરાનવાલે, જરનૈલસિંઘ

ભિંડરાનવાલે, જરનૈલસિંઘ (જ. 1947, પંજાબ; અ. 4 જૂન 1984, અમૃતસર) : પંજાબના ખાલિસ્તાનવાદી કટ્ટર નેતા. શીખ ખેડૂત કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમણે શીખ ધર્મનું શિક્ષણ દમદમી તકસાલમાં મેળવ્યું અને ત્યારબાદ ત્યાં જ શીખ ધર્મગુરુ નિમાયા. 1971માં તેઓ મુખ્ય ધર્મગુરુ બન્યા. આ સમયે તેમને ભિંડરાનવાલે અટક મળી. શીખ ધર્મ ઉત્તમ…

વધુ વાંચો >

ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી

ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી (જ. 5 જાન્યુઆરી 1928, લારખાના, સિંધ; અ. 4 એપ્રિલ 1979, રાવલપિંડી) : પાકિસ્તાનના પ્રમુખ અને વડાપ્રધાન. ઝુલ્ફિકાર અલીના પિતા શાહનવાઝ ભુટ્ટો જાગીરદાર હતા. જૂનાગઢ(ગુજરાત)ના નવાબ મહોબતખાન ત્રીજા(1911–1948)ના દીવાન તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ઝુલ્ફિકારનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. ભારતના ભાગલા પછી જૂનાગઢના નવાબ મહોબતખાન પાકિસ્તાન ચાલ્યા ગયા…

વધુ વાંચો >