Political science
સાવરકર વિનાયક દામોદર
સાવરકર, વિનાયક દામોદર (જ. 23 મે 1883, ભગૂર, તાલુકો દેવળાલી, જિલ્લો નાશિક, મહારાષ્ટ્ર; અ. 27 ફેબ્રુઆરી 1966, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની, પ્રખર ક્રાંતિકારક, કટ્ટર હિંદુત્વવાદી, અગ્રણી સાહિત્યકાર તથા સમાજસુધારક. નિકટના વર્તુળમાં ‘તાત્યારાવ’ ઉપનામથી જાણીતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચ શિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં…
વધુ વાંચો >સાવળારામ પી.
સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે.…
વધુ વાંચો >સાવેંદ્રા લામાસ કાર્લોસ
સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. લામાસ…
વધુ વાંચો >સાંપ્રદાયિક રાજ્ય (theocratic state)
સાંપ્રદાયિક રાજ્ય (theocratic state) : કોઈ એક ચોક્કસ, નિશ્ચિત અને માન્ય ધર્મ સ્વીકારીને તેને સર્વોચ્ચ સ્થાને સ્થાપીને કાર્ય કરતું રાજ્ય. સાંપ્રદાયિક રાજ્યમાં કોઈ ચોક્કસ ધર્મનો પ્રભાવ અથવા તો તેનું શાસન હોય છે. આ પ્રકારના રાજ્યમાં ધર્મગુરુઓ, પુરોહિતો, ધાર્મિક વડાઓના હાથમાં શાસન હોય છે અથવા તો તેમનો અસાધારણ પ્રભાવ હોય છે.…
વધુ વાંચો >સિન્હા, યશવંત
સિન્હા, યશવંત (જ. 6 નવેમ્બર 1937, પટણા, બિહાર) : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી, પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી, નિવૃત્ત આઈએએસ અધિકારી, તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. 1958માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલા યશવંત સિન્હા 1960માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પાસ થઈને આઈએએસ બન્યા હતા. 1984 સુધી સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્ય કરનારા…
વધુ વાંચો >સિબ્બલ, કપિલ
સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં…
વધુ વાંચો >સિમલા કરાર
સિમલા કરાર : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે 3જી જુલાઈ, 1972ના રોજ સિમલા ખાતે થયેલો કરાર. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વારંવાર સિમલા કરારનો ઉલ્લેખ થાય છે. પ્રશ્ન એ છે કે આ કરાર પર બંને દેશોના વડાઓએ સહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સંચાલનમાં તેને…
વધુ વાંચો >સિયેટો (South East Asia Treaty Organization)
સિયેટો (South East Asia Treaty Organization) : સામ્યવાદનો ફેલાવો રોકવા અને એશિયાખંડમાં પ્રાદેશિક સલામતીની વ્યવસ્થા સ્થાપવા માટેની વિવિધ દેશો વચ્ચેની સામૂહિક સંરક્ષણ સંધિ, જેનું નેતૃત્વ અમેરિકાએ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછીની અમેરિકાની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય સોવિયેત સંઘની રાજકીય, લશ્કરી, આર્થિક વગના વધતા વિસ્તારને રોકવાનું (containment) હતું. 1947માં ટ્રુમેને જાહેરાત કરેલી…
વધુ વાંચો >સિંધસભા (1882)
સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ…
વધુ વાંચો >સિંધિયા, જ્યોતિરાદિત્ય
સિંધિયા, જ્યોતિરાદિત્ય (જ. 1 જાન્યુઆરી 1971, મુંબઈ) : જાણીતા રાજકારણી. તેમનો જન્મ કુર્મી મરાઠા પરિવારમાં થયો હતો. પિતા માધવરાવ સિંધિયા અને માતા માધવી રાજે સિંધિયા. તેઓ સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ, ઉત્તરપ્રદેશમાં એક…
વધુ વાંચો >