Music

પંડિત રામનારાયણ

પંડિત, રામનારાયણ (જ. 25 ડિસેમ્બર 1927, ઉદેપુર) : સારંગીના સરતાજ ગણાતા વિખ્યાત ભારતીય સંગીતકાર. તેમના પિતા નાથુરામ પોતે સારંગી તથા દિલરુબાના જાણીતા વાદક હતા. કુટુંબનું સંગીતમય વાતાવરણ તથા નિસર્ગદત્ત પ્રતિભાને કારણે ખૂબ નાનપણથી તેમણે સંગીતની સાધના શરૂ કરી હતી. 6-7 વર્ષની ઉંમરે પિતા પાસેથી સારંગી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ…

વધુ વાંચો >

પંડિત શંકરરાવ વિષ્ણુ

પંડિત, શંકરરાવ વિષ્ણુ (જ. 1863; અ. 1917) : ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ભારતીય ગાયક. ખૂબ નાની વયે પિતા પાસેથી સંગીતનું શિક્ષણ લેવાની શરૂઆત કરી. ત્યારપછી બાળકૃષ્ણબુઆ ઇચલકરંજીકર, હદ્દુખાં તથા નિસારહુસેનખાં પાસેથી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. નિસારહુસેનખાં ગ્વાલિયર દરબારમાં નિયુક્ત થયા હતા. તેમણે સંગીતના એક જલસામાં…

વધુ વાંચો >

પાગનીસ વિષ્ણુપંત

પાગનીસ, વિષ્ણુપંત (જ. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; અ. 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય…

વધુ વાંચો >

(પંડિત) પાઠક બલરામ

(પંડિત) પાઠક, બલરામ (જ. 5 નવેમ્બર 1926, બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 15 ફેબ્રુઆરી 1991, ન્યૂ દિલ્હી) : વિખ્યાત સિતારવાદક. તેમના પિતા ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. તેમના કાકા સિતારવાદક હતા. શરૂઆતમાં બલરામ પાઠકે બંને પાસેથી શાસ્ત્રીય કંઠ્યસંગીત તથા સિતારવાદનની તાલીમ લીધી હતી. તેમણે બાર વર્ષની ઉંમરે 1938માં પ્રથમ વખત લોકો સમક્ષ સંગીતની…

વધુ વાંચો >

પાર્શ્વદેવ (બારમી સદી)

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…

વધુ વાંચો >

પુરંદરદાસ

પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું…

વધુ વાંચો >

પુરોહિત યશવંત

પુરોહિત, યશવંત (જ. 27 ડિસેમ્બર 1916, ઘરશાળા, ભાવનગર; અ. 3 જાન્યુઆરી 1964, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રસંગોપાત્ત, ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને માસિક…

વધુ વાંચો >

પૂછવાલે, રાજાભૈયા

પૂછવાલે, રાજાભૈયા (જ. 12 ઑગસ્ટ 1882, લશ્કર–ગ્વાલિયર; અ. 1 એપ્રિલ 1956, લશ્કર–ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. મૂળ નામ બાળકૃષ્ણ આનંદરાવ અષ્ટેકર. રાજાભૈયાના પિતા આનંદરાવ સારા સિતારવાદક હતા તથા તેમના કાકા નિપુણ ગાયક હતા, જેને લીધે રાજાભૈયાને ગળથૂથીથી જ સંગીતનું શિક્ષણ મળ્યું હતું. તે જમાનાના વિખ્યાત…

વધુ વાંચો >

પૂર્વી

પૂર્વી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-પદ્ધતિનો એક થાટ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ જે દસ થાટની રચના કરી છે તેમાં તેનો સમાવેશ થાય છે. પૂર્વી થાટમાં ત્રણ સ્વર વિકૃત (રે – ધ અને મધ્યમ) આવે છે. રિષભ અને ધૈવત કોમલ (રે – ધ કોમળ) અને શુદ્ધ અને તીવ્ર – બંને મધ્યમનો…

વધુ વાંચો >

પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક

પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક : 1950 પછી આધુનિક ઔદ્યોગિક પશ્ચિમી સમાજનું લોકપ્રિય અને લોકભોગ્ય સંગીત. તેનું એક મુખ્ય વલણ ઍન્ટિ-ક્લાસિસિઝમ (Anti-classicism) છે. તેના ફેલાવામાં રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો અને મુદ્રિત ધ્વનિ ટૅક્નૉલૉજીનો મોટો ફાળો છે. 1950 પછી લોકભોગ્ય સંગીતના સ્વરૂપે અભૂતપૂર્વ ચાહના પ્રાપ્ત કરનાર પૉપ મ્યુઝિકની બહોળી લોકપ્રિયતા પાછળ ઇલેક્ટ્રૉનિક વાદ્યો,…

વધુ વાંચો >