History of India

રાજ્યપાલ (1)

રાજ્યપાલ (1) (શાસનકાળ ઈ. સ. 960-1018) : પ્રતીહાર વંશનો કનોજનો રાજા. વિજયપાલ પછી તે કનોજની ગાદીએ બેઠો. તેના રાજ્યનો વિસ્તાર ગંગા અને યમુના નદીઓ વચ્ચેના પ્રદેશ પૂરતો મર્યાદિત થઈ ગયો હતો. બ્રાહ્મણ શાહિય વંશના રાજા જયપાલે સ્વદેશના રક્ષણ માટે હિંદુ રાજાઓનો સંઘ સ્થાપ્યો. રાજ્યપાલ પણ તેમાં જોડાયો. અફઘાનિસ્તાનમાં ગઝ્નાના સુલતાન…

વધુ વાંચો >

રાજ્યવર્ધન (પ્રથમ)

રાજ્યવર્ધન (પ્રથમ) (શાસનકાળ ઈ. સ. 549 – આશરે 600) : પુષ્પભૂતિ વંશનો થાણેશ્વરનો બીજો રાજા. હર્ષના બાંસખેડા અને મધુવન તામ્રપત્રો તેમજ સોનપત અને નાલંદા  મુદ્રા-મહોર પરથી થાણેશ્વરના પુષ્પભૂતિ રાજવંશના પ્રારંભિક રાજાઓની જે સૂચિ મળે છે, તેમાં પ્રથમ નામ છે નરવર્ધનનું. આનો ઉત્તરાધિકારી વજ્રિણીદેવીનો પુત્ર, તે રાજ્યવર્ધન (પ્રથમ). અભિલેખોમાં તેને ‘પરમાદિત્યભક્ત’…

વધુ વાંચો >

રાજ્યવર્ધન (દ્વિતીય)

રાજ્યવર્ધન (દ્વિતીય) (શાસનકાળ : ઈ. સ. 604 – આશરે 606) : પુષ્પભૂતિ વંશના પ્રભાકરવર્ધનનો જ્યેષ્ઠ પુત્ર અને હર્ષવર્ધનનો ભાઈ. ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના પ્રભાકરવર્ધનનાં યશોમતી રાણીથી થયેલ ત્રણ સંતાન તે રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને પુત્રી રાજ્યશ્રી. ઉત્તરાધિકારી રાજ્યવર્ધન(જન્મ આશરે ઈ. સ. 586માં)ને પ્રારંભથી જ સંસાર તરફ વિરક્તિ હતી. તેના યુવરાજકાળ…

વધુ વાંચો >

રાજ્યશ્રી

રાજ્યશ્રી (જ. આશરે ઈ. સ. 590) : થાણેશ્વરના રાજા પ્રભાકરવર્ધનની પુત્રી અને સમ્રાટ હર્ષની બહેન. તેનાં લગ્ન કનોજના મૌખરિવંશના શાસક ગ્રહવર્મા સાથે થયેલાં. લગ્નસમયે તે માત્ર 12-13 વર્ષની હતી તો ગ્રહવર્મા આધેડ વયના હતા. સ્પષ્ટતયા આ એક રાજકીય લગ્ન-સંબંધ હતો. આનાથી થાણેશ્વર અને કનોજ વચ્ચે મૈત્રી સ્થપાઈ. ભારતનાં આ બંને…

વધુ વાંચો >

રાઠોડ

રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના…

વધુ વાંચો >

રાઠોડ, દુર્ગાદાસ

રાઠોડ, દુર્ગાદાસ (જ. 13 ઑગસ્ટ 1638; અ. 22 નવેમ્બર 1718, રામપુર) : દક્ષ સેનાપતિ, દૂરદર્શી રાજનીતિજ્ઞ તથા નિષ્ઠાવાન રાજભક્ત. તે મારવાડના રાજા જશવંતસિંહના મંત્રી અશકરણનો પુત્ર હતો. વાયવ્ય (ઉત્તર–પશ્ચિમ) સરહદ પર 1678માં જમરૂદ મુકામે જશવંતસિંહનું મૃત્યુ થયું, ત્યારે કૂટનીતિજ્ઞ મુઘલ બાદશાહ ઔરંગઝેબે મારવાડ કબજે કરવા વાસ્તે તેના બાળપુત્ર અજિતસિંહને દિલ્હીમાં…

વધુ વાંચો >

રાણા, સરદારસિંહ

રાણા, સરદારસિંહ (જ. 1870, કંથારિયા, લીંબડી; અ. ડિસેમ્બર 1955, પૅરિસ, ફ્રાન્સ) : વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ઝૂઝનાર ગુજરાતી ક્રાંતિકાર. તેમના પિતા રેવાભાઈ રાણા તત્કાલીન લીંબડી દેશી રાજ્યના ભાયાત હતા. સરદારસિંહે પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને સારંગપુરમાં તથા માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. તેઓ મૅટ્રિકની પરીક્ષા 1891માં પાસ કરીને મુંબઈની એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

રાણી અબ્બક્કા

રાણી અબ્બક્કા : ભારતનાં મહાન મહિલાસ્વાધીનતાસેનાની, કુશળ પ્રશાસનિક અને નીડર યોદ્ધા. ચૌટા કુળની રાજધાની મૂડબિદ્રીમાં અત્યંત પ્રસિદ્ધ એવું હજાર સ્તંભનું મંદિર અહીં આવેલું છે. અનેક જૈન મંદિરો પણ અહીં આવેલાં છે. અનેક જૈન મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે. રાણી જૈન હોવા છતાં તે પોતાના નામની પાછળ મહાદેવી વિશેષણ લખાવતાં. રાણીએ…

વધુ વાંચો >

રાણી ચન્નમ્મા

રાણી ચન્નમ્મા (જ. 1778; અ. 21 ફેબ્રુઆરી 1829, બૈલહોંગલ કિલ્લો) : અંગ્રેજો સામે સ્વતંત્રતા વાસ્તે વીરતાથી લડનાર બેલગામ જિલ્લાના કિત્તૂર રાજ્યની રાણી. તેણે ધનુર્વિદ્યા, તલવારબાજી, ઘોડેસવારી તથા રાજવહીવટનું શિક્ષણ મેળવ્યું હતું. રાણી ચન્નમ્માનું લગ્ન બેલગામ જિલ્લાના એક નાના રાજ્ય કિત્તૂરના રાજા મલ્લસર્જા સાથે થયું હતું. તે એક પતિવ્રતા સ્ત્રી હતી.…

વધુ વાંચો >

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 :

રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 : ઇંગ્લૅન્ડના તાજની ભારત માટેની નીતિવિષયક જાહેરાત. 1857ના વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડના તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો અને લૉર્ડ કૅનિંગ ભારતના પ્રથમ વાઇસરૉય અને ગવર્નર-જનરલ બન્યા. વાઇસરૉય લૉર્ડ કૅનિંગે 1 નવેમ્બર, 1858ના રોજ ભારતના રાજાઓનો અલ્લાહાબાદ મુકામે દરબાર ભર્યો અને તેમાં રાણી વિક્ટોરિયાનો…

વધુ વાંચો >