Architecture

મધ્ય એશિયાની કળા

મધ્ય એશિયાની કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકળા) આજના તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કઝાખિસ્તાન, હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરનું અફઘાનિસ્તાન તથા ચીની તુર્કમેનિસ્તાન (ચીનનો હાલમાં ઝિન્જ્યાન્ગ ઉઈગુર નામે ઓળખાતો પ્રાંત) વિસ્તારોમાં પથરાયેલ મધ્ય એશિયાની કળાઓ પ્રાચીન કાળથી આ પ્રદેશ વિવિધ કળાશૈલીઓનું મિલનસ્થળ રહ્યો છે. પશ્ચિમની ગ્રીક અને રોમન, નૈર્ઋત્યની અરબી અને ઈરાની…

વધુ વાંચો >

મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન

મન્સાર્ટ, જૂલે-હાર્ડવિન (જ. 16 એપ્રિલ 1646, પૅરિસ; અ. 2 મે 1708, માર્લી) : જાણીતા ફ્રેંચ સ્થપતિ. તેઓ ફ્રાંસ્વા મન્સાર્ટના શિષ્ય હતા અને તેમના ભત્રીજાના ભત્રીજા થતા હતા અને 1666માં તેમની અટક જૂલે અપનાવી હતી. તેમના ઉપર મોટું ઋણ તેમને તાલીમ આપવાનાર લે વૂનું હતું. તેમણે અને લેબ્મે મળીને લે વૂની…

વધુ વાંચો >

મમફર્ડ, લૂઈસ

મમફર્ડ, લૂઈસ (જ. 19 ઑક્ટોબર 1895, ફ્લશિંગ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 1990) : અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસકાર, સામાજિક તત્વચિંતક તેમજ સ્થાપત્ય અને નગર-આયોજનના નિષ્ણાત. બ્રિટનના સમાજવિજ્ઞાની પૅટ્રિક ગિડ્ઝનાં પુસ્તકો વાંચીને તેઓ માનવ-સમુદાયો તેમજ તેમના સાંસ્કૃતિક પર્યાવરણમાં રસ લેવા પ્રેરાયા. તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં અભ્યાસ કર્યો; પછી થૉર્સ્ટિન વેબ્લેનના હાથ નીચે ન્યૂ સ્કૂલ…

વધુ વાંચો >

મસ્તબા

મસ્તબા : પ્રાચીન ઇજિપ્તમાં ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દી દરમિયાન બંધાયેલી અમીરો વગેરે પ્રખ્યાત પુરુષોની વિશિષ્ટ કબરો. ભવન-સ્વરૂપની આ સમચોરસ કબરોની દીવાલો ઢળતી હોય છે. એમાં ભૂગર્ભ દફનખંડ, તેના ભોંયતળિયાને જઈ મળતું છેક ઉપરથી કરેલું સમચોરસ બાકોરું અને ઉપરની સમચોરસ અધિરચના – એમ ત્રણ અંગો જોવામાં આવે છે. દફનવિધિ વખતે શબપેટી…

વધુ વાંચો >

મહાદ્વાર

મહાદ્વાર : જુઓ ગોપુરમ્

વધુ વાંચો >

મહાબલિપુરમ્ (મમલાપુરમ્)

મહાબલિપુરમ્ (મમલાપુરમ્) : ચેન્નઈથી દક્ષિણે આવેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 12o 37´ ઉ. અ. અને 80o 12´ પૂ. રે. તે દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના ચિંગલીપુટ (હવે ચેંગાઈ અન્ના) જિલ્લામાં બંગાળના ઉપસાગરનાં કિનારે આવેલું છે. અહીં આવેલું ધર્મસ્થાનક ‘મમલા’ ઉપનામથી જાણીતા 7મી સદીના હિન્દુ પલ્લવ રાજા નૃસિંહવર્મને સ્થાપેલું.…

વધુ વાંચો >

મહામંડપ

મહામંડપ : જુઓ મંદિર-સ્થાપત્ય

વધુ વાંચો >

મહાસ્તંભ

મહાસ્તંભ : વિજયનગર-શૈલીનાં મંદિરોમાં વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલા ભવ્ય કલાત્મક સ્તંભ. આમાં મંદિરની મધ્યમાં એક સ્તંભ અને ફરતી નાની સ્તંભાવલિઓ પર દેવી-દેવતા, મનુષ્ય, પશુ તેમજ મનુષ્ય-પશુનાં મિશ્ર વ્યાલ શિલ્પો તેમજ યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં જીવંત અને સુંદર શિલ્પો કંડારેલાં હોય છે. આ શિલ્પો સાધારણ રીતે સ્તંભની કુંભી અને દંડના નીચેના…

વધુ વાંચો >

મહેલ સ્થાપત્ય

મહેલ સ્થાપત્ય : જુઓ રાજમહેલ સ્થાપત્ય

વધુ વાંચો >

મહેશ્વર

મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે. મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો. પુરાણો અનુસાર યદુવંશની હૈહય…

વધુ વાંચો >