Architecture

પુંઅરાનો ગઢ

પુંઅરાનો ગઢ : કચ્છમાં ભુજની પશ્ચિમે 20 કિમી. દૂર મંજલ (તા. નખત્રાણા) ગામ પાસે આવેલો ગઢ, જેમાં ખંડિત ગઢની દીવાલો, પુંઅરેશ્વર શિવાલય, ગઢની અંદર વડી મેડી નામે ઓળખાતું સ્થાપત્ય જોઈ શકાય છે. લાખા ફૂલાણીના ભત્રીજા પુંઅની સત્તા પધર પ્રદેશમાં હતી. કેરાકોટનું નિર્માણ કરનાર સ્થપતિના પુત્રને રા’પુંઅ-એ પધરગઢમાં નિર્માણ-કામ સોંપ્યું. એ…

વધુ વાંચો >

પૅક્સટન જોસેફ

પૅક્સટન, જોસેફ (જ. 3 ઑગસ્ટ 1803 બેડફૉર્ડશાયર, યુ. કે.; અ. 8 જૂન 1865, લંડન, યુ.કે.) : ખ્યાતનામ અંગ્રેજ સ્થપતિ. 1823માં તે ચૅટ્સવર્થ ખાતે ડ્યૂક ઑવ્ ડેવનશાયરના ઉદ્યાનમાં કામે જોડાયા હતા. એમની પ્રતિભા પારખી ડ્યૂકે ટૂંકસમયમાં જ એમને ઉદ્યાનના ઉપરી બનાવ્યા. ત્યાં એમણે છોડની જાળવણી માટે મુખ્યત્વે લોખંડ અને કાચનો ઉપયોગ…

વધુ વાંચો >

પેડિમેન્ટ (2)

પેડિમેન્ટ (2) : ઇમારતના સ્થાપત્યના આગળના ભાગના શિખર પરની ત્રિકોણવાળી રચના. પાશ્ચાત્ય શૈલીના સ્થાપત્યમાં આનો ભાવાર્થ અલગ અલગ શૈલીઓમાં અલગ અલગ થાય છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં કાંગરીથી સંકળાયેલ સ્તંભશીર્ષ ઉપરની દીવાલનો ત્રિકોણાકાર ભાગ; રેનેસાં સ્થાપત્યશૈલીમાં કોઈ પણ છતના છેડાની બાજુઓ ત્રિકોણાકાર અથવા વર્તુળની ચાપના આકારનો ભાગ. ગૉથિક શૈલીના સ્થાપત્યમાં છતની બાજુનો…

વધુ વાંચો >

પૅતિયો

પૅતિયો : મકાનની અંદર ચોતરફ થાંભલીઓની રચનાથી શોભતો ખુલ્લો ચૉક. પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષા પ્રદેશાનુસાર જુદી જુદી હોય છે; પરંતુ તેના મૂળમાં લૅટિન ભાષાનો ઘણો ફાળો રહેલો છે. સમયાંતર અને વિકાસને લઈને ઐતિહાસિક સંકલનને પરિણામે પ્રાંતીય પરિભાષાઓ પણ તેટલી જ સમૃદ્ધ થઈ અને જુદા જુદા પ્રાંતોમાં સ્થાપત્યના વિકાસની સાથે સાથે આની…

વધુ વાંચો >

પૅન્થિયન (પૅરિસ)

પૅન્થિયન (પૅરિસ) (1750-90) : ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં જિનીવેવ તરીકે ઓળખાતી ઇમારત. રોમ, ઍથેન્સ અને પૅરિસ-એમ દુનિયામાં ત્રણ પૅન્થિયન આવેલાં છે. સ્થાપત્યની નિયો-ક્લાસિસિઝમ શૈલીની ઇમારતોનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં પૅરિસના પૅન્થિયનની ગણના થાય છે. ક્લાસિકલ શૈલીના ગૉથિક સ્થાપત્યની સાથે અનોખું તાલબદ્ધ સંયોજન આ દેવળમાં જોવા મળે છે. યોજનામાં કરેલા ફેરફારો અને સુધારા-વધારા છતાં…

વધુ વાંચો >

પૅન્થિયન (રોમ)

પૅન્થિયન (રોમ) (આશરે 120-123) : કીર્તિમંદિર પ્રકારનું રોમન દેવળ. રોમન પ્રજાએ પોતાનું સામર્થ્ય દાખવવા બનાવેલી ઇમારતોમાં પૂજા-અર્ચના માટે બનાવેલી આ ઇમારત વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પૅન્થિયન નામની ઇમારત પૅરિસ અને ઍથેન્સમાં પણ આવેલી છે. આ ઇમારતનાં પ્રભાવશાળી પ્રમાણમાપ, પ્રકાશબારીવાળો ગુંબજ અને અંદરની અદભુત પ્રમાણમાપવાળી વિશાળ જગ્યાને કારણે પૅન્થિયન રોમન સ્થાપત્યકલામાં…

વધુ વાંચો >

પૅરામેટ્રિક સ્થાપત્ય

પૅરામેટ્રિક સ્થાપત્ય : મકાનનાં આકાર, માપ, માળખાકીય બંધારણ તથા અન્ય જરૂરી ગણિતીય પરિમાણો કમ્પ્યુટરનાં એલ્ગોરિધમ્સ દ્વારા નક્કી થાય તે પૅરામેટ્રિક સ્થાપત્ય. સૈદ્ધાંતિક રીતે આની શરૂઆત તો વર્ષ ૧૯૬૦ના દાયકાથી થઈ હતી પણ તેનું પ્રચલન વર્ષ ૧૯૯૦ પછી વધ્યું. સાંપ્રત સમયમાં જ્યારે ત્રિપરિમાણીય પ્રિન્ટિંગની વાત થાય છે ત્યારે પૅરામેટ્રિક સ્થાપત્યની સંભાવના…

વધુ વાંચો >

પૅલેડિયો આંદ્રે

પૅલેડિયો, આંદ્રે (જ. 30 નવેમ્બર 1508, Padua, Republic of Venice; અ. 19 ઑગસ્ટ, 1580, Maserm near Treviso, Repubik of venice) : ઇટાલિયન સ્થપતિ. સોળમી સદીના ઉન્નત રેનેસાંસ તથા રીતિવાદી પરંપરાના અગ્રેસર પ્રણેતા. માઇકલ ઍન્જેલોના આ સમકાલીને રેનેસાં સ્થાપત્યકલાને ધાર્મિક સિવાયની ઇમારતોમાં લોકભોગ્ય બનાવી. તેઓ પથ્થરના કારીગર તરીકે કામ કરતા હતા.…

વધુ વાંચો >

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852)

પ્યૂજિન, ઑગસ્ટસ વેલ્બી નૉર્થમોર (જ. 1812; અ. 1852) : ગૉથિક સ્થાપત્યના હિમાયતી આંગ્લ સ્થપતિ. ઓગણીસમી સદીમાં ખ્રિસ્તી સ્થાપત્યમાંથી તેમણે પ્રશિષ્ટ શૈલીના ગૉથિક સ્થાપત્યને પ્રચલિત કર્યું અને દેવળોના ભવનની યથાર્થ અભિવ્યક્તિ રૂપે તેને રજૂ કર્યું. બ્રિટનના રાષ્ટ્રીય સ્મારકરૂપ ધ ન્યૂ પૅલિસ ઑવ્ વેસ્ટમિન્સ્ટર અથવા હાઉસ ઑવ્ પાર્લમેન્ટ(1836–68)ની સ્થાપત્યરચનામાં સર ચાર્લ્સ બેરીકૃત…

વધુ વાંચો >

પ્રતિદ્વારરક્ષક

પ્રતિદ્વારરક્ષક : શિવ અથવા વિષ્ણુનાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ બે અથવા ચાર ભુજાવાળા રક્ષકોની પ્રતિમા. તે દ્વારશાખાના બહારના ભાગમાં કંડારવામાં આવે છે. આ પ્રતિમાઓ વિષ્ણુનાં મંદિરોમાં જય અને વિજયના નામે ઓળખાય છે. જ્યારે શિવમંદિરોમાં આવી પ્રતિમાઓનાં નામ હોતાં નથી. દેવીઓનાં મંદિરોમાં આ પ્રતિમાઓ સ્ત્રી-દ્વારરક્ષકોની હોય છે. દ્વારરક્ષકો, દ્વારપાલો વગેરે અલગ…

વધુ વાંચો >