Allopathy
મૉર્ટન, વિલિયમ ટૉમસ ગ્રીન
મૉર્ટન, વિલિયમ ટૉમસ ગ્રીન (જ. 9 ઑગસ્ટ 1819; અ. 15 જુલાઈ 1868, ન્યૂયૉર્ક) : શસ્ત્રક્રિયામાં દરદીને સંવેદના બહેરી કરવા ઈથરનો પ્રથમ પ્રયોગ કરનાર અમેરિકાના દંતચિકિત્સક. તેમનો જન્મ મૅસેચૂસેટ્સ રાજ્યના કાર્લટન ખાતે એક સાધનસંપન્ન ખેડૂત અને દુકાન ધરાવનારના કુટુંબમાં થયો હતો. તેમણે સામાન્ય શાલેય શિક્ષણ નૉર્થ-ફીલ્ડ એકૅડેમીમાંથી પ્રાપ્ત કર્યું. 1840માં અમેરિકાની…
વધુ વાંચો >મૉર્ફિન (આયુર્વિજ્ઞાન)
મૉર્ફિન (આયુર્વિજ્ઞાન) : અફીણ-જૂથની પીડાશામક દવા. (જુઓ અફીણ). હૃદયના સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ જવાથી હૃદયના સ્નાયુનો કેટલોક ભાગ મૃત્યુ પામે છે. તેને હૃદ્-સ્નાયુ-પ્રણાશ (myocardial infarction) અથવા સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો કહે છે. તેમાં થતી પીડાના શમન માટે મૉર્ફિન પ્રથમ પસંદગીની દવા છે. હૃદયનું ડાબું ક્ષેપક જ્યારે ક્રિયાનિષ્ફળતા પામે ત્યારે…
વધુ વાંચો >યકૃત (liver)
યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…
વધુ વાંચો >યકૃત અર્બુદ
યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ
વધુ વાંચો >યકૃતકાઠિન્ય (liver cirrhosis)
યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…
વધુ વાંચો >યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું
યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…
વધુ વાંચો >યકૃતક્ષમતા-કસોટીઓ
યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…
વધુ વાંચો >યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)
યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…
વધુ વાંચો >યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)
યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…
વધુ વાંચો >યકૃતમાં ગાંઠ
યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…
વધુ વાંચો >