હસમુખ બારાડી

ઉપગ્રહ-પ્રસારણ

ઉપગ્રહ-પ્રસારણ : કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ધ્વનિ, ચિત્ર, સંકેતો, આંકડાઓ કે માહિતીનું પ્રસારણ. પૃથ્વીના ભ્રમણ સાથે એકધારો સતત અંતરે ઘૂમતો ઉપગ્રહ પૃથ્વી પરના કેન્દ્રથી સંકેતો ઝીલી વિશાળ વિસ્તારોમાં પાછા ફેંકે છે. ઉપગ્રહમાં એવી વ્યવસ્થા પણ હોય છે કે દ્વિમાર્ગી ટેલિફોન, ટેલેક્સ વગેરે માટે એકથી વધુ સંદેશાઓની સમાંતરે આપ-લે કરી શકાય. આ…

વધુ વાંચો >

ઉર્વશી(2) (1934)

ઉર્વશી(2) (1934) : ગુજરાતી પદ્યનાટિકા. લેખક દુર્ગેશ શુક્લ. અવનવી નાટ્ય-અભિવ્યક્તિ શોધવાના સાહિત્ય અને રંગભૂમિના તત્કાલીન પ્રયત્નોમાં કવિ દુર્ગેશ શુક્લના આ ઊર્મિનાટકમાં પૃથ્વી છંદ પ્રયોજાયો છે. જાણીતી પુરાણકથા અને કવિકુલગુરુ કાલિદાસની ‘વિક્રમોર્વશીય’ની નાટ્યકથામાં ગ્રીક પ્રોસરપિની(Proserpine)ની રૂપકથા તથા નૉર્વેજિયન નાટ્યકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટકનાં ઊર્મિતત્વો સંમાર્જી, રાજા વિક્રમ અને ઉર્વશીના…

વધુ વાંચો >

એક ઉંદર અને જદુનાથ

એક ઉંદર અને જદુનાથ (1966) : પહેલું ગુજરાતી ઍબ્સર્ડ નાટક. લેખકો લાભશંકર ઠાકર અને સુભાષ શાહ. જીવનની વ્યર્થતા સૂચવતી કલા-ફિલસૂફીના યુરોપીય વિચારપ્રવાહના અનુસરણ રૂપે ગુજરાતમાં અવતરેલી નાટ્યપ્રણાલીનું પ્રથમ ગણાતું ઉદભટ (absurd) નાટક. અમદાવાદની એક કૉલેજના પ્રથમ વાર્ષિક ઉત્સવમાં એ ભજવાયું ત્યારે એમાં સુસ્પષ્ટ આદિ, મધ્ય અને અંતના અભાવવાળું નાટ્યવસ્તુ, અલગારી…

વધુ વાંચો >

એકાંકી

એકાંકી એક અંકવાળું નાટક. અંગ્રેજી ઉપરાંત અર્વાચીન ભારતીય ભાષાઓમાં જોવા મળતા એકાંકીના સ્વરૂપની રચના પશ્ચિમને આભારી છે. તેના વિકાસનો ઇતિહાસ સોએક વર્ષથી વધુ જૂનો નથી. સંસ્કૃતમાં ચૌદ જેટલા એક-અંકી પ્રકારોની ગણતરી કરવામાં આવી છે. એમાં ભાણ, વીથિ, અંક, વ્યાયોગ, પ્રહસન, ઇહામૃગ, રાસક, વિલાસિકા, ઉલ્લાપ્ય, શ્રીગદિત વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ…

વધુ વાંચો >

ઍડીપોલો પ્રાણસુખ

ઍડીપોલો પ્રાણસુખ (જ. 1883, ઝુલાસણ તા. વિસનગર; અ. 1955) : ગુજરાતી રગંભૂમિના એક મહાન નટ. મૂળ નામ નાયક પ્રાણસુખ હરિચંદ. 1891માં આઠ વર્ષની વયે મોરબી આર્યસુબોધ નાટક મંડળીમાં કવિનાટ્યકાર વાઘજી આશારામ ઓઝાએ પ્રાણસુખની પસંદગી કરી. કસરત કરી તેણે શરીર મજબૂત કર્યું. ‘મહમદ ગિઝની’ નાટકમાં ઇમરાજની ભૂમિકાના ગીતમાં ત્રણ વખત ‘વન્સમોર’…

વધુ વાંચો >

ઍદમૉવ, આર્થર

ઍદમૉવ, આર્થર (જ. 23 ઑગસ્ટ 1908, કિસ્લૉવૉસ્ક, રશિયા; અ. 16 માર્ચ 1970, પૅરિસ) : ઍબ્સર્ડ નાટ્યના પ્રણેતા અને તે શૈલીના મહત્વના અને અગ્રેસર લેખક. 1912માં તેમનો ધનાઢ્ય અમેરિકન પરિવાર રશિયા છોડી જર્મનીમાં સ્થાયી થયો. તેમણે જિનીવા, કૉન્ઝ અને પૅરિસમાં શિક્ષણ લીધું. ફ્રેન્ચ ભાષામાં પ્રભુત્વ મેળવી 1924માં તેમણે પૅરિસમાં કાયમી વસવાટ…

વધુ વાંચો >

ઍબી થિયેટર

ઍબી થિયેટર : આયર્લૅન્ડમાં ડબલિનની ખૂબ જાણીતી રંગભૂમિ અને આયરિશ નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર. આઇરિશ નૅશનલ થિયેટર સોસાયટી લિ. લોકોમાં ઍબી થિયેટર તરીકે જાણીતી છે. સુપ્રસિદ્ધ આયરિશ કવિ ડબ્લ્યૂ. બી. યેટ્સ અને ઑગસ્ટા ગ્રેગરીએ 1899માં એની સ્થાપના કરી હતી. જાનપદી નાટ્યવસ્તુને કાવ્યાત્મક રીતે રજૂ કરવાના ઉદ્દેશથી સ્થાનિક નટો માટે એની સ્થાપના કરવામાં…

વધુ વાંચો >

ઍબ્સર્ડ નાટક અને થિયેટર

ઍબ્સર્ડ નાટક અને થિયેટર : બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં હતાશા અને વ્યર્થતાનો ઓથાર અનુભવતા સંવેદનશીલ સર્જકોએ શરૂ કરેલી નાટ્યપરંપરા. તેનો સૌપ્રથમ પ્રયોગ ‘ધ થિયેટર ઑવ્ ઍબ્સર્ડ’માં 1961માં માર્ટિન એસલિને તેમના પુસ્તકમાં કર્યો. અલબત્ત, ઍબ્સર્ડવાદીઓનું કોઈ વિધિવત્ જૂથ કે એવી ઝુંબેશ અસ્તિત્વમાં ન હતાં; પરંતુ 1942માં આલ્બેર કૅમ્યૂએ પ્રગટ કરેલા ‘ધ…

વધુ વાંચો >

ઓઝા, પ્રતાપ

ઓઝા, પ્રતાપ (જ. 20 જુલાઈ 1920) : નૂતન ગુજરાતી રંગભૂમિમાં મહત્વનું પ્રદાન કરનારા ગુજરાતી નટ અને દિગ્દર્શક. રંગભૂમિપ્રવૃત્તિનો પ્રારંભ 1937થી ગુજરાત કૉલેજ અમદાવાદથી. પારિવારિક વાતાવરણ રાષ્ટ્રપ્રીતિ તેમજ સંસ્કારપ્રીતિનું હોઈ તેમનામાં અંકુરિત થયેલી ભાવનાઓ અમદાવાદ-મુંબઈના શિક્ષણ તથા સંસ્કાર-પ્રવૃત્તિઓના કાર્યે મુક્તપણે વિકસી. તેમણે 1943થી 1948 દરમિયાન ધી ઇન્ડિયન પીપલ્સ થિયેટરમાં સક્રિય રસ…

વધુ વાંચો >

કલાકેન્દ્ર – સૂરત

કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…

વધુ વાંચો >