સમાજશાસ્ત્ર

સારડા હરવિલાસ

સારડા, હરવિલાસ (જ. 3 જૂન 1867, અજમેર, રાજસ્થાન; અ. 1952) : પ્રખર સમાજસુધારક, વિદ્વાન અને બાળલગ્નપ્રતિબંધક ધારાના જનક. તેમના પિતા હરનારાયણ સારડા અજમેરની ગવર્નમેન્ટ કૉલેજના ગ્રંથાલયી અને વડાકારકુન હોવા ઉપરાંત સંસ્કૃતના વિદ્વાન હતા. એથી ફાજલ સમયમાં તેઓ ઉપનિષદ, ગીતા અને યોગવસિષ્ઠ જેવા સંસ્કૃત ગ્રંથોના અભ્યાસમાં રત રહેતા અને તેના પઠન-પાઠનનો…

વધુ વાંચો >

સારાભાઈ અનસૂયાબહેન

સારાભાઈ અનસૂયાબહેન : જુઓ અનસૂયાબહેન સારાભાઈ.

વધુ વાંચો >

સારાભાઈ મૃદુલાબહેન

સારાભાઈ મૃદુલાબહેન : જુઓ મૃદુલા સારાભાઈ.

વધુ વાંચો >

સિમેલ જ્યૉર્જ

સિમેલ, જ્યૉર્જ (જ. 1858; અ. 1918) : જર્મન તત્વચિંતક અને સમાજશાસ્ત્રી. જ્યૉર્જ સિમેલ જન્મે યહૂદી હતા; પરંતુ પાછળથી તેઓ લ્યૂથેરાન ખ્રિસ્તી બન્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમનાં વિદ્વત્તાપૂર્ણ 31 નાનાંમોટાં પુસ્તકો અને 256 નિબંધો/લેખો પ્રકાશિત થયાં હતાં. તેમનાં 100 જેટલાં લખાણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. આવા એક પ્રખર વિચારક…

વધુ વાંચો >

સિંગ રાજેન્દ્ર

સિંગ, રાજેન્દ્ર (જ. 1957, ઉત્તરપ્રદેશ) : જળસંપત્તિના સંગ્રહ માટે સાધારણ ખર્ચની પદ્ધતિઓ વિકસાવી જનસમુદાયનું નેતૃત્વ કરી, રાજસ્થાનના સૂકા પ્રદેશોને હર્યાભર્યા કરનાર અને 2002ના મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા જનસેવક. ઉત્તરપ્રદેશના જમીનદાર કુટુંબમાં જન્મેલા સિંગ અલ્લાહાબાદ યુનિવર્સિટીની હિંદી વિષય સાથેની અનુસ્નાતક ઉપાધિ ધરાવે છે. આ સાથે તેઓ આયુર્વેદિક તબીબ છે અને ઋષિકુલ આયુર્વેદિક…

વધુ વાંચો >

સિંધસભા (1882)

સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ…

વધુ વાંચો >

સિંહા અનુગ્રહ નારાયણ

સિંહા, અનુગ્રહ નારાયણ (જ. 18 જૂન 1887, પોઈઆનવર, જિલ્લો ગયા, બિહાર; અ. 5 જુલાઈ 1957, પટણા) : સ્વાતંત્ર્યસૈનિક, બિહાર રાજ્યના નાણાપ્રધાન અને સમાજસુધારક. તેમનો જન્મ રજપૂત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી વિપુલ શારીરિક તાકાત ધરાવતા હતા અને જિલ્લાના જાણીતા કુસ્તીબાજ હતા. અનુગ્રહ નારાયણના પિતા આધુનિક શિક્ષણ આપવામાં માનતા ન…

વધુ વાંચો >

સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC)

સી.ઈ.આર.સી. (કન્ઝ્યુમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર – CERC) : ગ્રાહક શિક્ષણ, સંશોધન અને સુરક્ષાને વરેલી અમદાવાદ ખાતેની વિશ્વભરમાં વિખ્યાત બનેલી સંસ્થા. સ્થાપના : 1978. પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને લગતા કાયદા હેઠળ તેની નોંધણી થયેલી છે. સંશોધન-સંસ્થા તરીકે તે માન્યતા ધરાવે છે. બિન-નફાલક્ષી ધોરણે તે પોતાની પ્રવૃત્તિઓ કરતી હોય છે. ગ્રાહક-સુરક્ષા અંગે…

વધુ વાંચો >

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી)

સુલોચનાદેવી આરાધ્ય (શ્રીમતી) (જ. 30 ડિસેમ્બર 1930, હરપાનહલ્લી, જિ. બેલ્લરી, કર્ણાટક) : કન્નડ કવયિત્રી અને સમાજસેવિકા. તેઓ સેવાદળ, હરિજનકલ્યાણ, પ્રૌઢશિક્ષણ, રેડક્રોસ સોસાયટી અને અન્ય સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલાં રહેલાં. તેઓ કન્યા પર્વતારોહકોનાં કમિશનર રહેલાં. તેમણે 14 જેટલી કૃતિઓ આપી છે. તેમાં ‘જ્યોતિપથ’ (1974); ‘તેજસ્વિની’ (1976); ‘ઓજસ્વિની’ (1976) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે.…

વધુ વાંચો >

સેડલર માઇકલ થૉમસ

સેડલર, માઇકલ થૉમસ (જ. 3 જાન્યુઆરી 1780, સ્નેલસ્ટન, ડર્બીશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 જુલાઈ 1835, બેલફાસ્ટ, અલસ્ટર, આયર્લૅન્ડ) : ઉદ્દામવાદી રાજનીતિજ્ઞ, ઉદાર વ્યાપારી અને ફૅક્ટરીસુધાર આંદોલનના નેતા. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પગલે આર્થિક ઉત્પાદનના વિકાસ સાથે ઘણી નવી સમસ્યાઓ પણ ઇંગ્લૅન્ડમાં ઊભી થઈ. ઇંગ્લૅન્ડ ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર હતું; એથી આ સમસ્યાઓ…

વધુ વાંચો >