શિલ્પકલા

ઇજિપ્તની કલા

ઇજિપ્તની કલા (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) : ઇજિપ્તની કલા ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીથી શરૂ થઈ હોવાનું મનાય છે અને તે ઈસુ પછી ત્રીજી શતાબ્દી સુધી, એમ કુલ 5,300 વરસના લાંબા ગાળાનો વિસ્તૃત ઇતિહાસ ધરાવે છે. અત્યંત મૌલિક હોવા ઉપરાંત ઇજિપ્તની કલાનો ગ્રીક કલા ઉપર પણ ઊંડો પ્રભાવ પડ્યો છે. ચિત્રકલા…

વધુ વાંચો >

એમ્માનેતી, બાતૉર્લૉમ્યો

એમ્માનેતી, બાતૉર્લૉમ્યો (જ. 18 જૂન 1511, ફ્લૉરેન્સ નજીક, સેત્તિન્યાનો, ઇટાલી; અ. 22 એપ્રિલ 1592, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. ફ્લૉરેન્ટાઇન રેનેસાંસના વિકાસના અંતિમ તબક્કામાં એમ્માનેતીનું યોગદાન મહત્ત્વનું છે. કલાપુરસ્કર્તા મેદિચી પરિવારે તેમને આશ્રય આપેલો. એમ્માનેતીની પ્રથમ રચના ફલૉરેન્સના પિયાત્ઝા દેલ્લા સિન્યૉરા ચોક માટેનો નેપ્ચૂન નામનો ફુવારો છે. સ્થપતિ જૅકોપો…

વધુ વાંચો >

ઍશલર

ઍશલર : પથ્થરની દીવાલોની રચનામાં પથ્થરના દરેક એકમને ખાસ ઘડવાની પદ્ધતિ. એમાં પથ્થરની દરેક બાજુ એકબીજા સાથે બંધબેસી જાય તે રીતે ઘડી અને સપાટ કરવામાં આવે છે. તેથી દીવાલના બાંધકામમાં સુગમતા રહે છે. રેતિયા પથ્થરને આ રીતે ઘડવામાં આવે છે, જ્યારે ખડકાળ પથ્થરને ઘડવામાં નથી આવતા કારણ કે તેની મજબૂતાઈ…

વધુ વાંચો >

ઓડિસાની શિલ્પકલા

ઓડિસાની શિલ્પકલા : કલિંગ(ઓડિસા)માં શુંગકાલ (ઈ. સ. પૂર્વે 2જીથી ઈ. સ. પહેલી સદી) દરમિયાન આમ જનસમાજને સ્પર્શતી શિલ્પકલાનો વિકાસ થયેલો જોવામાં આવે છે. આ કાલનાં શિલ્પોમાં નાજુક સપ્રમાણતા અને વૈવિધ્ય વધતું નજરે પડે છે. વાસ્તવમાં ભારતીય પ્રશિષ્ટ શિલ્પકલાનો સમય અહીંથી શરૂ થાય છે. અંશમૂર્ત સ્વરૂપનાં આ શિલ્પોમાં કોઈ એક સમ્માનનીય…

વધુ વાંચો >

કદવારનું શિલ્પસ્થાપત્ય

કદવારનું શિલ્પસ્થાપત્ય : ગુજરાતમાં ગુપ્તકાલીન સ્થાપત્યની પરંપરાનાં અવશેષરૂપ શિલ્પો. જૂનાગઢ જિલ્લામાં આવેલું કદવાર, સૂત્રાપાડાથી 3 કિમી. પશ્ચિમે અને સોમનાથથી 13 કિમી. દૂર આવેલું છે. અહીં નૃવરાહનું વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. વરાહની મૂર્તિ ઉપરાંત વામન અને નરસિંહ અવતારની મૂર્તિઓ છે. તે સૂચવે છે કે દશાવતારની બધી મૂર્તિઓ હશે. લંબચોરસ ગર્ભગૃહ અને…

વધુ વાંચો >

કનોરિયા રાઘવ

કનોરિયા, રાઘવ (જ. 19 માર્ચ 1936, અનીડાભિલોડીના, જિલ્લો રાજકોટ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી શિલ્પી, ફોટોગ્રાફર અને કલાગુરુ. વડોદરામાં મ. સ. યુનિ.ની ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં શિલ્પકલાનો અભ્યાસ કર્યો. પ્રા. શંખ ચૌધરી જેવા વિદ્વાન શિક્ષક અને શિલ્પીના હાથ નીચે ઘડાયા. શિલ્પના ડિપ્લોમામાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. બ્રિટિશ ગવર્નમેન્ટની કૉમનવેલ્થ…

વધુ વાંચો >

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ : લલિત કલાના ક્ષેત્રે અભિનવ પદ્ધતિએ શિક્ષણ આપતું અમદાવાદનું વિશિષ્ટ કલાકેન્દ્ર. 1971માં સ્થપાયેલા ‘ધ ક્રિયેટિવ આર્ટ્સ ફંડ’ તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી 1984માં આ કેન્દ્રની સ્થાપના થઈ. અહીં કયા પ્રકારની શિક્ષણપ્રથા અપનાવવી તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સપ્ટેમ્બર 1983માં વિવિધ પ્રવૃત્તિક્ષેત્રના દેશભરના અગ્રણી નિષ્ણાતોનો પરિસંવાદ યોજવામાં…

વધુ વાંચો >

કન્સ્ટ્રક્ટિવિઝમ

કન્સ્ટ્રક્ટિવિઝમ (શરૂઆત 1913, રશિયા, અંત 1937, જર્મની) : ઘનવાદ અને ફ્યુચરિઝમથી પ્રેરિત ભૌમિતિક આકારો વડે અમૂર્ત ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય રચનાઓ કરવાની કલાશૈલી. 1913માં રશિયામાં તેનો પ્રારંભ રશિયન ચિત્રકાર અને શિલ્પી વ્લાદિમીર ટાટ્લીને કર્યો. રશિયન શિલ્પીઓ નૌમ ગાબો અને ઍન્તૉની પેસ્નર પણ આ કળાશૈલીમાં જોડાયા. એ ત્રણેએ ભેગા મળીને 1920માં…

વધુ વાંચો >

કન્હેરીનાં શિલ્પો

કન્હેરીનાં શિલ્પો : મુંબઈ પાસે બોરીવલીની નજીક આવેલી કન્હેરી ગુફાઓમાંનાં શિલ્પો. તેમાં કંડારેલી સોએક જેટલી બૌદ્ધગુફાઓને લીધે પ્રસિદ્ધ છે. ગુફાની દીવાલો પર વરદ મુદ્રાવાળા ઊભેલા બુદ્ધ કે ધર્મચક્રપ્રવર્તનની મુદ્રાવાળા બેઠેલા બુદ્ધ તેમજ કરુણામૂર્તિ બોધિસત્વ અવલોકિતેશ્વર, ભક્તો વગેરેની મોટા કદની આકૃતિઓ કંડારેલી છે. ભારતીય સંસ્કૃતિ તથા પુરાતત્વની ર્દષ્ટિએ આ મહત્વનાં ગુફા…

વધુ વાંચો >

કરમરકર વિનાયક પાંડુરંગ

કરમરકર, વિનાયક પાંડુરંગ (જ. 2 ઑક્ટોબર 1891, સાસવને, જિલ્લો કોલાબા, મહારાષ્ટ્ર; અ. 13 જૂન 1967, મુંબઈ) : ભારતના વિખ્યાત શિલ્પકાર. બાલ્યાવસ્થામાં જ શિલ્પકલા પ્રત્યે અભિરુચિ પેદા થઈ. સુપ્રસિદ્ધ જર્મન શિલ્પકાર ઑટો રૉશફિલ્ડની કલાથી પ્રભાવિત થયા અને તેમની પાસેથી શિલ્પકાર થવાની પ્રેરણા મળી. શરૂઆતનું શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી મુંબઈ આવ્યા…

વધુ વાંચો >