રક્ષા મ. વ્યાસ
રાજ્ય
રાજ્ય : સમાજની એકમાત્ર સંસ્થા, જે સાર્વભૌમ સત્તા વાપરવાનો કાયદેસરનો ઇજારો ધરાવે છે. માનવજીવન અને સમાજ સાથે વિવિધ સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંની એક સૌથી મહત્ત્વની સંસ્થા રાજ્ય છે. સમગ્ર દુનિયા આવાં વિવિધ રાજ્યોની બનેલી છે. પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્ય હેઠળ જીવતો હોય છે. આ અર્થમાં રાજ્ય માનવજીવનની પાયાની…
વધુ વાંચો >રાજ્યપાલ
રાજ્યપાલ : ભારતનાં ઘટક રાજ્યોના વડા. રાજ્યપાલ ભારતનાં ઘટક રાજ્યોના અને રાજ્યની કારોબારીના ઔપચારિક વડા છે. કેન્દ્રશાસિત વિસ્તારોના વડા લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. આ ઉપરાંત કેટલાક નાના કેન્દ્રશાસિત વિસ્તારોના વડા વહીવટદાર (administrator) તરીકે ઓળખાય છે. દિલ્હી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને પુદુચેરીના વડાઓ લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય કેન્દ્રશાસિત વિસ્તારો લક્ષદ્વીપ, દાદરા નગરહવેલી…
વધુ વાંચો >રાજ્યવહીવટ
રાજ્યવહીવટ સરકારના કાયદાઓનો સંપૂર્ણ અને પદ્ધતિસરનો અમલ કરતું તંત્ર. રાજ્યવહીવટના સિદ્ધાંતો : રાજ્યવહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ મુખ્ય બે પ્રવાહમાં વહેંચાયેલો છે. ઈ. સ. 1910થી 1940 સુધીનો ગાળો પ્રશિષ્ટ રાજ્યવહીવટનો છે. 1940 પછીનો સમય અર્વાચીન રાજ્યવહીવટનો છે. પ્રશિષ્ટ રાજ્યવહીવટના ત્રણ દસકામાં વહીવટના ખ્યાલો ઘડાયા, વિકસ્યા તથા વ્યાપક સ્વીકૃતિ પામ્યા. અમેરિકાના યુદ્ધમંત્રી (1899-1904)…
વધુ વાંચો >રાજ્યશાસ્ત્ર
રાજ્યશાસ્ત્ર રાજ્ય, તેની સંસ્થાઓ, સત્તામાળખું, સત્તાનું કેન્દ્ર અને રાજકીય જીવનનો પદ્ધતિસરનો અભ્યાસ. માનવના સામાજિક જીવનના ભાગ રૂપે રાજકીય જીવનનો આરંભ થાય છે. કુટુંબ જેવા પ્રાથમિક સંગઠનમાંથી કાળક્રમે ગામ, નગર અને રાજ્ય વિકસ્યાં. મૂળે ગ્રીક ભાષામાં નગર માટે પ્રયોજાતા ‘પૉલિસ’ (Polis) શબ્દ પરથી ‘પોલિટિક્સ’ શબ્દ આવ્યો. આથી વ્યુત્પત્તિના સંદર્ભે રાજ્યશાસ્ત્ર નગરને…
વધુ વાંચો >રાજ્યસભા
રાજ્યસભા : ભારતીય સંસદનું ઉપલું ગૃહ, જે સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની સંસદ રાષ્ટ્રપ્રમુખ સહિત લોકસભા અને રાજ્યસભાનાં બે ગૃહોથી રચાયેલી છે. લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે અને રાજ્યસભા વિશેષે ભારતીય સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટક રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો રાજ્યસભાના પ્રતિનિધિઓ…
વધુ વાંચો >રાજ્યોની ભાષાવાર પુનર્રચના
રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને…
વધુ વાંચો >રાણા, માનસિંહજી ભાસાહેબ
રાણા, માનસિંહજી ભાસાહેબ (જ. 10 માર્ચ 1904; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ. તેમણે પ્રારંભિક અભ્યાસ ભરૂચ ખાતે કર્યો અને મૅટ્રિક થયા બાદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી 1926માં સ્નાતક થયા. 1926થી ’28 પુણે ખાતે લૉ કૉલેજમાં અભ્યાસ કરી કાયદાના સ્નાતક થવા સાથે ત્યાંની ખેતીવાડી…
વધુ વાંચો >રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.)
રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.) (જ. 5 સપ્ટેમ્બર 1888, તિરુતાની, તામિલનાડુ; અ. 16 એપ્રિલ 1975, ચેન્નાઈ) : આજન્મ શિક્ષક, સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મેધાવી ચિંતક, રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા વીર સામટ્યા તહેસીલદાર હતા અને તેઓ તેમનું બીજું સંતાન હતા. આઠ વર્ષની વય સુધી વતન તિરુતાનીમાં વસવાટ કર્યો અને બાદમાં તિરુપતિમાં અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >રાનડે, મહાદેવ ગોવિંદ
રાનડે, મહાદેવ ગોવિંદ (જ. 18 જાન્યુઆરી 1842, નિફાડ, જિ. નાશિક; અ. 17 જાન્યુઆરી 1901, મુંબઈ) : સમાજસુધારક, સ્વાતંત્ર્ય-આંદોલનના અગ્રણી મવાળ નેતા અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી. તેમના પિતા કોલ્હાપુર રિયાસતના મંત્રી હતા. તેમનાં માતાનું નામ ગોપિકાબાઈ. પ્રારંભિક શિક્ષણ તેમણે નાશિકની ઍંગ્લો-વર્નાક્યુલર શાળામાં લીધું. 14મા વર્ષે મુંબઈ યુનિવર્સિટી-સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા અને…
વધુ વાંચો >રાનડે, રમાબાઈ
રાનડે, રમાબાઈ (જ. 25 જાન્યુઆરી 1862; અ. 1924) : સમાજસુધારક અને મહિલા મતાધિકારનાં પુરસ્કર્તા નેત્રી. પિતા મહાદેવ માણિકરાવ કુર્લેકર આયુર્વેદના વૈદ્ય હતા. 11 વર્ષની વયે, 1873માં તેમનાં લગ્ન જાણીતા ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયાં. લગ્નસમયે તેમના પતિની વય 31 વર્ષની હતી અને રમાબાઈ સાવ અશિક્ષિત હતાં. રાનડે મહારાષ્ટ્રમાંના પ્રગતિશીલ…
વધુ વાંચો >