મોહિયુદ્દીન બૉમ્બેવાલા

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સજ્જાદ હૈદર, યલદ્દમ

સજ્જાદ હૈદર, યલદ્દમ (જ. 1880, લખનૌ; અ. 11 એપ્રિલ 1943, લખનૌ) : ઉર્દૂ ગદ્યના શ્રેષ્ઠ શૈલીકાર અને ઉર્દૂ ટૂંકી વાર્તાના અગ્રયાયી. તેમણે 1901માં અલીગઢની એમ.એ.ઓ. કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. 1904થી 1907 તેઓ બગદાદ ખાતે બ્રિટિશ કૉન્સલમાં તુર્કીના દુભાષિયા તરીકે અને 1908થી 1914 સુધી અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ સુલતાન અમીર યાકુબખાનના આસિસ્ટન્ટ પોલિટિકલ…

વધુ વાંચો >

સફી લખનવી

સફી લખનવી (જ. 3 જાન્યુઆરી 1862, લખનૌ; અ. 25 જૂન 1950) : સૂફી કવિ. તેમણે ‘સફી’ તખલ્લુસથી કાવ્યરચનાઓ કરી. તેમનું મૂળ નામ સૈયદઅલી નકી સૈયદ ફઝલહુસેન હતું. તેમના પિતા લખનૌના અંતિમ શાસકના દરબારમાં પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. આ કારણે ‘સફી’ શાહી કુટુંબના નિકટના પરિચયમાં આવ્યા અને તેઓના સહાધ્યાયી બન્યા. દરબારનો અને…

વધુ વાંચો >

સિદ્દીકી અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર)

સિદ્દીકી, અબ્દુલ સત્તાર (અબ્દુલ ગફ્ફાર) (જ. 26 ડિસેમ્બર 1885, સુંદેલા, જિ. હરદોઈ, ઉત્તરપ્રદેશ; અ. 28 જુલાઈ 1972, અલ્લાહાબાદ) : અરબી-ફારસી-ઉર્દૂના મહાન સંશોધક વિદ્વાન અને ભાષાવિદ. તેમના પિતા હૈદરાબાદ રાજ્યમાં નાણાખાતાના અફસર હતા. તેથી તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ હૈદરાબાદમાં અને ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં થયું. 1907માં બી.એ., 1912માં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા…

વધુ વાંચો >

સિદ્દીકી રશીદ અહમદ

સિદ્દીકી, રશીદ અહમદ (જ. 24 સપ્ટેમ્બર 1892, મેરીહુ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂના વિદ્વાન, વિવેચક અને નિબંધકાર. જૌનપુર અને એમ. એ. ઓ. કૉલેજ, અલીગઢ ખાતે શિક્ષણ લીધા પછી, જૌનપુર કોર્ટ ખાતે વકીલાત કર્યા બાદ અલીગઢ ખાતે અરબી અને ઉર્દૂના શિક્ષક બન્યા. 1954માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ…

વધુ વાંચો >

સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’

સિરાજુદ્દીન અલીખાન ‘આરઝૂ’ (જ. 1689, આગ્રા; અ. 1756, લખનૌ) : ફારસીના કવિ અને સમીક્ષક. તેમના પિતા હુસામુદ્દીન એક પ્રતિષ્ઠિત કવિ અને વિદ્વાન હતા. સિરાજુદ્દીને તેમના પિતા પાસેથી ધાર્મિક ગ્રંથોના અભ્યાસ દ્વારા કાવ્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રમાં નિપુણતા મેળવી. અમીર ખુસરો પછી ફારસીના મહાન કવિ અને સમીક્ષક તરીકે તેમની પ્રતિભા સર્વસ્વીકૃત બની હતી.…

વધુ વાંચો >

સૈયદ આબિદ હુસેન

સૈયદ, આબિદ હુસેન (જ. જુલાઈ, 1896, ભોપાલ, મધ્યપ્રદેશ; અ. ?) : અરબી-ફારસીના વિદ્વાન. તેઓ પોતે કવિ અને લેખક હતા. તેમનું બાળપણનું શિક્ષણ ઘેર બેઠાં કુરાને શરીફ અને અરબી-ફારસીના અભ્યાસથી શરૂ થયું. 1910માં તેઓ ભોપાલની હાઈસ્કૂલમાં જોડાયા અને 1916માં મૅટ્રિક થયા પછી ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદની કૉલેજમાંથી ફિલસૂફી અને સાહિત્યના વિષય…

વધુ વાંચો >

સૈયદ એહતિશામ હુસેન

સૈયદ, એહતિશામ હુસેન (જ. એપ્રિલ 1912, આઝમગઢ, જિ. અટ્ટરડેહ; અ. 1 ડિસેમ્બર 1972, અલ્લાહાબાદ) : ઉર્દૂ-ફારસીના વિદ્વાન. તેમણે આઝમગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી, 1934માં ગવર્નમેન્ટ કૉલેજ, અલ્લાહાબાદમાંથી બી.એ. અને 1936માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી લખનૌ યુનિવર્સિટીમાં ઉર્દૂ-ફારસી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1952માં અમેરિકાની એક સંસ્થાએ તેમને…

વધુ વાંચો >

સૈયદ યાકુબ અબુલ હસન (મૌલાના)

સૈયદ, યાકુબ અબુલ હસન (મૌલાના) (જ. ?; અ. ઈ. સ. 1395, પાટણ) : ગુજરાતના 14મી સદીના જાણીતા સૂફી, વલી (પીર) અને આલિમ (વિદ્વાન). સુપ્રસિદ્ધ વિદ્વાન સૈયદ મુર્તુઝા તેમના પિતામહ અને સૈયદ અબુલ હસન તેમના પિતા હતા. સૈયદ યાકુબ ધર્મશાસ્ત્રમાં નિપુણ હતા. તેમનાં લખેલાં પુસ્તકો જાણીતાં છે. ખ્યાતનામ સૂફી અને ફિલસૂફ…

વધુ વાંચો >

સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન

સૈયદ, સબાહુદ્દીન અબ્દુલરહમાન મોહિયુદ્દીન (જ. 1911, દેસ્ના, જિ. નાલંદા, બિહાર) : ફારસી-ઉર્દૂના લેખક, સંશોધક અને ઇતિહાસકાર. પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ વતનમાં પૂરો કર્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસાર્થે અલીગઢ ગયા. ફારસી-ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આઝમગઢની પ્રસિદ્ધ સંસ્થા ‘દારૂલ મુરાન્નિફીન’માં ‘નાઝિમેઆલા’ એટલે સર્વોચ્ચ વ્યવસ્થાપક તરીકે જોડાયા. તેઓ ‘મુઆરિફ’ના સંપાદક રહેલા. વિવિધ વિષયોને આવરી…

વધુ વાંચો >