માનવશાસ્ત્ર

શિગ્રુ (જાતિ)

શિગ્રુ (જાતિ) : ઋગ્વેદના સમયની એક જાતિ. ઋગ્વેદમાં દશરાગ્ન અથવા તો દશ રાજાઓની લડાઈ વિશેની માહિતી આપવામાં આવી છે. આ લડાઈમાં જુદી જુદી જાતિના લોકોએ ભાગ લીધો હતો. સુદાસ ત્રિત્સુ કુળનો ભરત જાતિનો રાજા હતો. તેનું રાજ્ય બ્રહ્માવર્તમાં હતું. પરુષ્ણી (આધુનિક રાવિ) નદી પરના ખૂનખાર જંગમાં ભરતો જીત્યા. રાજા સુદાસ…

વધુ વાંચો >

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર : માનવશાસ્ત્રની (નૃવંશશાસ્ત્રની) શાખાઓ. સામાજિક વિજ્ઞાનોમાં માનવશાસ્ત્ર ઘણું મોડું વિકસેલું શાસ્ત્ર છે. તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે અને માનવજાતિ-વર્ણન (ethno-graphy), પ્રજાતિશાસ્ત્ર (ethnology), સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર – એમ વિવિધ રીતે ઓળખાતું રહ્યું છે. આજે તેની ઘણીબધી પ્રશાખાઓ વિકાસ પામી છે અને એક અગત્યના વિજ્ઞાન…

વધુ વાંચો >

સિંહા સુરજિત

સિંહા, સુરજિત (જ. 1 ઑગસ્ટ 1926, કોલકાતા) : ભારતીય માનવશાસ્ત્રી. તેઓ મુખ્યત્વે ભારતના ઓરિસાના આદિવાસીઓ તથા મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારમાં સંશોધનકાર્યથી જાણીતા છે. તેમણે અમેરિકન માનવશાસ્ત્રી રેડફિલ્ડની લોક-ગ્રામ શહેરી સાતત્યની વિભાવનાને આધારે ભારતીય સમાજના અભ્યાસ માટે એક આગવા સંશોધનાત્મક અભિગમને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. કોલકાતા યુનિવર્સિટીમાં એમ.એસસી. કર્યા પછી તેમણે અમેરિકામાં…

વધુ વાંચો >

સેપીર એડવર્ડ

સેપીર એડવર્ડ (જ. 26 જાન્યુઆરી 1884, બ્યુએનબર્ગ, પોમેરાનિયા, જર્મની; અ. 4 ફેબ્રુઆરી 1939, ન્યૂ હેવન, કનેક્ટિકટ, અમેરિકા) : અમેરિકાના એક અગ્રણી ભાષાવિશારદ અને માનવશાસ્ત્રી. સેપીર રૂઢિચુસ્ત યહૂદી ધર્મગુરુના સંતાન હતા. પાંચ વર્ષની વયે માતાપિતા સાથે અમેરિકા જવાનું બન્યું. કોલંબિયા યુનિવર્સિટી ખાતે સ્નાતક કક્ષાના વિદ્યાર્થી તરીકે તેઓ નામાંકિત માનવશાસ્ત્રી ફ્રાન્ઝ બુઆના…

વધુ વાંચો >

સેમ્પલ ઍૅલન ચર્ચિલ

સેમ્પલ, ઍૅલન ચર્ચિલ (જ. 8 જાન્યુઆરી 1863, લુઇસવીલે; અ. 8 મે 1932, પામ બીચ, ફ્લૉરિડા, યુ.એસ.) : તેઓ નૃવંશશાસ્ત્રનાં જાણીતાં વિદુષી છે. તેઓ મોટેભાગે કુમારી સેમ્પલ તરીકે વધુ જાણીતાં છે. તેઓ સંસ્કારી કુટુંબમાં જન્મ્યાં હતાં. તેઓ ન્યૂયૉર્કની વસાર (Vassar) કૉલેજમાંથી સ્નાતક (1882) થયેલાં, ત્યાર પછી તેમણે 1891માં અનુસ્નાતકની પદવી પણ…

વધુ વાંચો >

સોલો માનવ

સોલો માનવ : માનવ-ઉત્ક્રાંતિ પૈકીના પ્રાગ્ઐતિહાસિક કાળ દરમિયાનનો એક માનવપ્રકાર. 1931–1932માં જાવાના અંગાનદોંગ સ્થળ ખાતેથી પસાર થતી સોલો નદીના સીડીદાર ઢોળાવોમાંથી માનવખોપરીના 11 અવશેષો (જેમાં ચહેરાના અસ્થિભાગો ન હતા.) તથા પગના 2 અસ્થિ-અવશેષો મળેલા. આજના માનવની 1,350 ઘન સેમી. કદની ખોપરીની સરખામણીમાં સોલો માનવની ખોપરીનું કદ 1,150થી 1,300 ઘન સેમી.…

વધુ વાંચો >

સ્ટ્રોસ લૅવી

સ્ટ્રોસ, લૅવી (જ. 28 નવેમ્બર 1908, બ્રસેલ્સ, બેલ્જિયમ) : ખ્યાતનામ ફ્રેન્ચ સમાજમાનવશાસ્ત્રી. તેમના માનવશાસ્ત્રીય વિચારોનું નિરૂપણ ઉચ્ચ કક્ષાના તાત્વિક અભિગમવાળું છે. તેમનું મોટા ભાગનું લખાણ ફ્રેન્ચ ભાષામાં છે. તેમના સંરચના-કાર્યાત્મકતા વિશેના વિચારો બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી રેડક્લીફ બ્રાઉન કરતાં જુદા સ્વરૂપે ભાષાશાસ્ત્રીય પાયા પર આધારિત છે. તેમનું કુટુંબ 19મી સદીની શરૂઆતમાં પૅરિસમાં…

વધુ વાંચો >

સ્મૉલ ઇઝ બ્યુટીફૂલ

સ્મૉલ ઇઝ બ્યુટીફૂલ : ઇ. એફ. શુમાકર દ્વારા લિખિત બહુચર્ચિત લોકપ્રિય પુસ્તક. પ્રકાશનવર્ષ 1972. તેમાં લેખકે માનવજાતિ પર આવી પડેલાં ત્રણ સંકટોના પરિપ્રેક્ષ્યમાં પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા છે. શુમાકરના મત મુજબ આ ત્રણ સંકટો છે : (1) પ્રાકૃતિક સંપત્તિનું સંકટ, (2) પરિસર કે આપણી આસપાસની સજીવ સૃષ્ટિનું સંકટ અને…

વધુ વાંચો >

હક્સલી જુલિયન (Sir Julien Huxley)

હક્સલી, જુલિયન (Sir Julien Huxley) (જ. જૂન 1887, લંડન; અ. 14 ફેબ્રુઆરી 1975, લંડન) : પ્રખર અંગ્રેજ જીવવિજ્ઞાની અને જાણીતા માનવશાસ્ત્રી. તેમણે પક્ષીવિદ્યા(ornithology)માં સંશોધનકાર્ય કર્યું હતું. પ્રાણીવિકાસનો પ્રાયોગિક વિશ્લેષણ દ્વારા અભ્યાસ કરી, શરીરનાં અંગોની વૃદ્ધિના દર અને વિકાસની પ્રક્રિયાનું ગણિતના પાયા ઉપર તેમણે અર્થઘટન કર્યું અને તે બંને વચ્ચેના સંબંધો…

વધુ વાંચો >

હટન જ્હૉન હેન્રી

હટન, જ્હૉન હેન્રી (જ. 27 જૂન 1885; અ. 1968) : ઇંગ્લૅન્ડના નૃવંશશાસ્ત્રી. તેમણે શાળાનું શિક્ષણ ચિંગવેલ (Chingwell) અને કૉલેજનું શિક્ષણ વુસ્ટર (Worcestor) અને ઑક્સફર્ડ (Oxford) યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું. અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી નૃવંશશાસ્ત્રી તરીકેની તાલીમ તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી લીધી. ત્યાર પછી તેઓ ભારતમાં આવ્યા. સને 1909માં તેમની નિમણૂક બંગાળના…

વધુ વાંચો >