ભારતીય સંસ્કૃતિ

તળાજા

તળાજા : ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 21° 21´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.. શેત્રુંજી અને તળાજી નદીઓના સંગમ ઉપર આવેલું આ નગર પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને નરસિંહ મહેતાના જન્મસ્થળ તરીકે જાણીતું છે. અહીં પ્રાચીન કાળમાં વસતા તાલવ દૈત્યના નામ ઉપરથી તેનું ‘તાલધ્વજપુર’ નામ…

વધુ વાંચો >

તાણ્ડ્ય બ્રાહ્મણ

તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય…

વધુ વાંચો >

તામ્ર તકનીકી

તામ્ર તકનીકી : તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, માછલી પકડવાના કાંટા, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી…

વધુ વાંચો >

તામ્રપર્ણી

તામ્રપર્ણી : શ્રીલંકાનું પ્રાચીન નગર અને પ્રદેશ. શ્રીલંકાના दीपवंस તથા महावंसમાં નિરૂપિત અનુશ્રુતિ અનુસાર સિંહપુરના રાજા સિંહબાહુએ દેશવટો દીધેલો રાજપુત્ર વિજય વહાણમાં સાથીદારો સાથે, ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે દિવસે, લંકાદ્વીપમાં (શ્રીલંકામાં) તામ્રપર્ણા પ્રદેશમાં ઊતર્યો, ત્યાં તેણે તામ્રપર્ણા નામે નગર વસાવ્યું. સિંહલી વસાહત સ્થાપીને પોતાનો રાજવંશ પ્રવર્તાવ્યો. કહે છે કે…

વધુ વાંચો >

તામ્રલિપ્તિ

તામ્રલિપ્તિ : પૂર્વ ભારતમાં ગંગા નદીના મુખ પાસે આવેલું પ્રાચીન અગ્રગણ્ય વાણિજ્યિક કેન્દ્ર તથા દરિયાઈ બંદર. હાલ એ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રૂપનારાયણ નદીના પશ્ચિમ તટ પર આવેલ તામલુક નામે ગામ રૂપે જળવાઈ રહ્યું છે; પરંતુ સમય જતાં દરિયો ત્યાંથી દક્ષિણે દૂર ખસી ગયો છે. નગરના નામ પરથી તેની આસપાસનું…

વધુ વાંચો >

તિરુવલ્લુવર

તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર.…

વધુ વાંચો >

તિષ્યરક્ષિતા

તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે  શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન…

વધુ વાંચો >

તીર્થ

તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…

વધુ વાંચો >

તુષાસ્ફ

તુષાસ્ફ : સમ્રાટ અશોકના શાસન (ઈ. સ. પૂ. 273–237) દરમિયાન ગિરિનગર પ્રાંતનો સૂબો. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા 1લાના સમયમાં શક વર્ષ 72–73ના (ઈ. સ. 150-51) અરસામાં ગિરનારના સુદર્શન તળાવના લેખમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને યવનરાજ કહ્યો છે તેથી તે ગ્રીક હોવાનો સંભવ છે. સામાન્ય રીતે આયોનિયન ગ્રીક માટે આ…

વધુ વાંચો >

તૃત્સુઓ

તૃત્સુઓ : ઋગ્વેદમાં ઉલ્લિખિત એક પ્રજાવિશેષ. ભરતોના રાજા સુદાસે પરુષ્ણી (રાવી) નદીના તટે વિપક્ષની દસ ટોળીઓના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા એ ઘટના ‘દાશરાજ્ઞ યુદ્ધ’ તરીકે સુપ્રસિદ્ધ છે, જે ઋગ્વેદસંહિતાના સપ્તમ મંડલના સૂકત 18માં નિરૂપાઈ છે. આ યુદ્ધમાં તૃત્સુઓ સુદાસના પક્ષમાં હતા, જ્યારે વિપક્ષમાં  તુર્વશ, દ્રુહ્યુ, પૂરુ, અનુ વગેરેનો સમાવેશ થતો હતો.…

વધુ વાંચો >