બીજલ બુટાલા
ખાન અબ્દુલ રાશીદ
ખાન અબ્દુલ રાશીદ (જ. 19 ઓગસ્ટ, 1908; અ. 18 ફેબ્રુઆરી, 2016) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ગાયક. તાનસેન(સોળમી સદીના બાદશાહ અકબરના નવરત્નોમાંના એક)ની વંશાવલીના અબ્દુલ રાશીદ ખાનનો જન્મ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં, સંગીતકારોના કુટુંબમાં થયો હતો. તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ પિતા છોટે યુસુફ ખાન અને કાકા બડે યુસુફ ખાન પાસે લીધી.…
વધુ વાંચો >ખાન (ઉસ્તાદ) સુલતાન
ખાન (ઉસ્તાદ) સુલતાન (જ. 15 એપ્રિલ, 1940; અ. 27 નવેમ્બર, 2011) : સારંગીમાં પ્રાણ ફૂંકીને બોલતી કરનાર અદ્ભુત સારંગીવાદક. રાજસ્થાનના સિકર જિલ્લામાં જન્મેલા સુલતાન ખાને નાનપણમાં પિતા શ્રી ગુલાબ ખાન પાસે સારંગી શીખવાનું શરૂ કર્યું. તેમના કાકા, પ્રસિદ્ધ સારંગીવાદક અઝીમ ખાન પાસે પણ તેઓ કેળવાયા. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમણે…
વધુ વાંચો >ગુલામ મોહમ્મદ
ગુલામ મોહમ્મદ (જ. 1904, બિકાનેર; અ. 17 માર્ચ 1968, મુંબઈ) : સુમધુર ગીતોના અમર સર્જક. સંગીતજ્ઞોના કુટુંબમાં જન્મેલા ઉસ્તાદ ગુલામ મોહમ્મદના પિતા નબી બક્ષ, કુશળ તબલાવાદક હતા, જે નાટકોમાં સંગીત આપતા. ગુલામમાં નાનપણથી જ તબલાં પ્રત્યેનું આકર્ષણ જોઈને પિતાએ તેમને તબલાં શિખવાડ્યાં. માત્ર છ વર્ષની ઉંમરે ગુલામે ન્યૂ આલ્બર્ટ થિએટ્રિકલ…
વધુ વાંચો >ત્રિપાઠી, એસ. એન.
ત્રિપાઠી, એસ. એન. (જ. 14 માર્ચ 1913, કાશી, ઉત્તરપ્રદેશ; અ. 28 માર્ચ 1988, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રખ્યાત સંગીતકાર, લેખક, અભિનેતા, ફિલ્મનિર્માતા તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિત્વ. ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ જે દિવસે રજૂ થઈ હતી, તે દિવસે બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ શ્રીનાથ ત્રિપાઠી, દાદા પંડિત ગણેશદત્ત ત્રિપાઠી અને પિતા…
વધુ વાંચો >દાસગુપ્તા, કમલ
દાસગુપ્તા, કમલ (જ. 28 જુલાઈ 1912, બાંગ્લાદેશ; અ. 20 જુલાઈ 1974, ઢાકા) : બંગાળી અને હિન્દી સિનેમાના લોકલાડીલા સંગીતસર્જક. મૂળ નામ કમલપ્રસન્ન દાસગુપ્તા. જન્મ વૈદ્ય બ્રાહ્મણ કુટુંબમાં. પિતાનું નામ તારાપ્રસન્ન દાસગુપ્તા અને માતાનું નામ કામિનીરંજન દાસગુપ્તા. માતા-પિતા શાસ્ત્રીય સંગીતમાં કુશળ હતા. કમલદાસ તેમના નાના ભાઈ શુબલ સાથે રેડિયોમાં ચાંદ-સૂરજ નામે…
વધુ વાંચો >નદીમ-શ્રવણ
નદીમ-શ્રવણ : નદીમ અખ્તર સૈફી (જ. 6 ઑગસ્ટ 1954, મુંબઈ); શ્રવણકુમાર રાઠોડ (જ. 13 નવેમ્બર 1954, રાજસ્થાન; અ. 22 એપ્રિલ 2021, મુંબઈ) : પરંપરાગત ભારતીય વાજિંત્રોનો સમકાલીન સંગીત સાથે સમન્વય કરનાર સંગીતકાર બેલડી. શ્રી નદીમ સૈફીના પિતા મુંબઈમાં વ્યવસાયી હતા. તેમના દાદાને અંગ્રેજ સરકાર તરફથી ‘ખાન બહાદુરસાહેબ’નું બિરુદ મળેલું. બાળપણથી…
વધુ વાંચો >નૈયર, ઓ. પી.
નૈયર, ઓ. પી. (જ. 16 જાન્યુઆરી 1926, લાહોર; અ. 28 જાન્યુઆરી 2007, મુંબઈ) : હિન્દી ફિલ્મજગતનાં રિધમકિંગ. બાળપણમાં સંગીત સાંભળવાનો શોખ ધરાવનાર ઓમકારપ્રસાદ નૈયરે સંગીતનું કોઈ પણ પ્રકારનું વિધિવત શિક્ષણ લીધું ન હતું. તે સમયનાં ન્યૂ થિયેટર્સના સંગીતકારો તથા ગાયકોથી તેઓ ઘણા જ પ્રભાવિત હતા. ફક્ત 11 વર્ષની વયે લાહોરના…
વધુ વાંચો >પૌડવાલ, અનુરાધા
પૌડવાલ, અનુરાધા (જ. 27 ઑકટોબર, 1954) : હિન્દી સિનેમાના ભજન સમ્રાજ્ઞી, સુમધુર ગાયિકા. મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલાં અનુરાધાનું મૂળ નામ અલકા નાડકર્ણી. માતાના પ્રોત્સાહનથી તેમણે નાની ઉંમરમાં જ સંગીત પ્રત્યે રુચિ કેળવી હતી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાંથી તેઓ સ્નાતક થયાં. તે શાસ્ત્રીય સંગીતનુ શિક્ષણ ન લઈ શકેલાં પણ લતાજીને કલાકોના…
વધુ વાંચો >બહેલ, હંસરાજ
બહેલ, હંસરાજ (જ. 19 નવેમ્બર 1916, બ્રિટિશ પંજાબ; અ. 20 મે, 1984) : પોતાની કેડી જાતે જ કંડારનાર સંગીતકાર. જમીનદાર પિતાના પુત્ર હંસરાજ બહેલે સંગીતનું પ્રાથમિક શિક્ષણ પંડિત ચુનીલાલ પાસેથી લીધું હતું. શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ પંડિત આચાર્ય ચિરંજીવીલાલ (જિજ્ઞાસુ) પાસે લીધી હતી. લાહોરમાં તેમણે સંગીતશાળાની શરૂઆત કરી અને એચ.એમ.વી.…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, તિમિર બરન
ભટ્ટાચાર્ય, તિમિર બરન (જ. 10 જુલાઈ, 1901, કૉલકાતા અ. 29 માર્ચ 1989, કૉલકાતા) : ભારતીય ઑરકેસ્ટ્રાનો પાયો નાંખનાર. તિમિર બરન ભટ્ટાચાર્ય સંસ્કૃત ભાષાના પંડિત પરિવારનું સંતાન હતા. દાદા મિહિર ભટ્ટાચાર્ય અને પિતા જ્ઞાનેન્દ્રનાથ ભટ્ટાચાર્ય – બંને પ્રખર સંગીતજ્ઞ હતા. ઘરનું સંગીતમય વાતાવરણ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું. ચૌદ વર્ષની ઉંમરે…
વધુ વાંચો >