પ્રસાદ બ્રહ્મભટ્ટ

દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ

દિવેટિયા, ભોગીન્દ્રરાવ રતનલાલ (જ. 31 માર્ચ 1875, અમદાવાદ; અ. 27 નવેમ્બર 1917, મુંબઈ) : તખલ્લુસ ‘સુબંધુ’ અને ‘સાર્જન્ટ રાવ’. ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ રાધનપુરમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં, 1895માં મૅટ્રિક. 1902–1903માં, કાલોલ, રાજકોટ, ધોલેરામાં નોકરી. 1903માં ‘સુંદરીસુબોધ’નું પ્રકાશન. 1904–1906 દરમિયાન ‘સુમતિ’, ‘મેઘનાદ’, ‘નાગર’ પત્રોનું પ્રકાશન. 1905માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ., 1906–1907માં અમદાવાદમાં…

વધુ વાંચો >

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ

દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ (જ. 10 ઑગસ્ટ 1853, સૂરત; અ. 5 ડિસેમ્બર 1912) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક. અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. શાળાજીવનથી જ પુસ્તકો અને હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ લાગેલો. સૂરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં ગોઠવવાનું કામ કર્યું. 1876માં નોકરી માટે મુંબઈ ગયેલા ઇચ્છારામે થોડો સમય ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચલાવ્યું.…

વધુ વાંચો >

ધરા ગુર્જરી

ધરા ગુર્જરી (1944) : ચન્દ્રવદન ચી. મહેતાનું નવી રંગભૂમિના મંડપમુહૂર્ત અંગેનું અર્ધઐતિહાસિક કરુણાંત ત્રિઅંકી નાટક. ગુજરાતી નાટ્યસાહિત્યની આ ઉલ્લેખનીય કૃતિ છે. પ્રિયતમા ગુર્જરીના અવસાન બાદ ગૂર્જરી રંગભૂમિના ઉદ્ધારકાર્યમાં મન પરોવી ન શકતા ઓઝા ગુર્જર પુન: ધરામાં ગુર્જરીનું પ્રતિબિંબ નિહાળી સક્રિય થાય છે, પણ રંગભૂમિની સફળતા માટે આખરે ધરાને પણ ગુમાવે…

વધુ વાંચો >

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’

ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી…

વધુ વાંચો >

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય

ધ્રુવ, હરિલાલ હર્ષદરાય (જ. 10 મે 1856, બહિયેલ, સાબરકાંઠા; અ. 29 જૂન 1896) : ગુજરાતના એક સમર્થ વિદ્વાન. તેઓ કવિ, અનુવાદક, સંશોધક, પુરાતત્વવિદ અને સંપાદક હતા. 1870માં મૅટ્રિક, 1873માં બી.એ. થયા. 1880માં એલએલ.બી. 1881થી ’84 સુધી શિક્ષક. 1884થી સૂરતમાં વકીલાત. વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ. પુરાતત્વવિષયક સંશોધનલેખોને લીધે 1889માં સ્ટૉકહોમની…

વધુ વાંચો >

નરસિંહ

નરસિંહ (આશરે પંદરમી સદી) : પ્રસિદ્ધ ગુજરાતી ભક્તકવિ. નરસિંહનો જીવનકાળ નક્કી કરવા માટેનો મુખ્ય આધાર ‘હારમાળા’ની આ કડી છે : ‘‘સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિંનિ આપ્યો હાર રે.’’ એ કડીવાળું પદ જો નરસિંહનું રચેલું હોય તો માંડળિકવાળો હાર-પ્રસંગ સં. 1512(ઈ. સ. 1456)માં બન્યો એમ…

વધુ વાંચો >

નર્મદ

નર્મદ (જ. 24 ઑગસ્ટ 1833, સૂરત; અ. 25 ફેબ્રુઆરી 1886, સૂરત) : અર્વાચીનોની યુગમૂર્તિ સમા ગુજરાતી સાહિત્યસર્જક. જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા લહિયા. પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં. પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ. પછી સૂરતમાં ઇચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ. 1844માં…

વધુ વાંચો >

પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’

પટેલ, પીતાંબર નરસિંહભાઈ ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ (જ. 10 ઑગસ્ટ 1918, શેલાવી, જિ. મહેસાણા; અ. 24 મે 1977) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. 1936માં મૅટ્રિક. 1940માં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.. 1942માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ.. 1956થી કેટલાંક વર્ષ આકાશવાણી,…

વધુ વાંચો >

પદ્યવાર્તા

પદ્યવાર્તા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. મધ્યકાળ દરમિયાન વિશેષખેડાણ પામેલાં લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં આખ્યાન, રાસ અને પદ્યવાર્તાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્વરૂપોમાં વસ્તુ અને નિરૂપણરીતિને કારણે પદ્યવાર્તા રાસ અને આખ્યાનથી અલગ તરી આવે છે. સામાન્ય રીતે આખ્યાન જેવા કાવ્યપ્રકારમાં વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણાદિ પર અવલંબિત રહેતું, જ્યારે પદ્યવાર્તાઓનું  વસ્તુ ઇતિહાસ-પુરાણ પર…

વધુ વાંચો >

પાઠક રામનારાયણ વિશ્વનાથ

પાઠક, રામનારાયણ વિશ્વનાથ (જ. 8 એપ્રિલ 1887, ગણોલ, તા. ધોળકા; અ. 21 ઑગસ્ટ 1955, મુંબઈ) : ‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’. ગુજરાતના એક સર્વતોમુખી સાહિત્યસર્જક. પિતા શિક્ષક હતા. તેમની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળોએ. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. 1904માં મૅટ્રિક. 1908માં તર્કશાસ્ત્ર અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે પ્રથમ વર્ગ સાથે…

વધુ વાંચો >