ગુજરાતી સાહિત્ય

વાલેસ, કાર્લોસ (ફાધર)

વાલેસ, કાર્લોસ (ફાધર) (જ. 4 નવેમ્બર 1925; લા ગ્રોન્યો, સ્પેન) : મૌલિક ચિંતક અને નિબંધકાર. એમનું પૂરું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ઈસુસંઘની સાધુસંસ્થામાં ઈ. સ. 1941માં પ્રવેશ કરી, ઈ. સ. 1958માં દીક્ષિત થઈ ફાધર વાલેસ બન્યા. લૅટિન અને ગ્રીક સાહિત્યનો તેમજ તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરી, ઈ. સ. 1949માં તેઓ ભારતમાં…

વધુ વાંચો >

વાળંદ, નરોત્તમ માધવલાલ

વાળંદ, નરોત્તમ માધવલાલ (જ. 18 સપ્ટેમ્બર 1931, બહુચરાજી, જિ. મહેસાણા) : ગુજરાતી વિવેચક-સંશોધક, હાસ્યસાહિત્ય સર્જક-મીમાંસક, બાળસાહિત્ય-આલેખક. પ્રાથમિક શિક્ષણ આરંભમાં વતનમાં, બાકીનું અમદાવાદમાં, માધ્યમિક શિક્ષણ પણ અમદાવાદમાં. 1950માં એસ. એસ. સી.. શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી. નલિનકાન્ત નરસિંહરાવ દિવેટિયા મેરિટ સ્કૉલરશિપ સાથે 1954માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી. એ. 1955-1956 દરમિયાન અનુક્રમે ગુજરાત…

વધુ વાંચો >

વાંક, બહાદુરભાઈ જગાભાઈ

વાંક, બહાદુરભાઈ જગાભાઈ (જ. 13 મે 1937, જેતપુર, કાઠી, રાજકોટ) : ગુજરાતી વાર્તાકાર, ચિત્રકાર. મૂળ વતન ખારચિયા, વાંકના, જૂનાગઢ. હાલ નિવાસ જૂનાગઢમાં. પિતા સરકારી નોકરીમાં વહીવટદાર. આર્થિક વિષમ પરિસ્થિતિને કારણે શાળામાં મોડો પ્રવેશ. એસ. એસ. સી. 1958માં, સાહિત્યરત્ન (સંસ્કૃત). કુમાર-અવસ્થામાં સ્લેટ પર કે ધૂળ પર ચિત્રાંકનની રમતમાં ભાવિ સમર્થ ચિત્રકારનાં…

વધુ વાંચો >

વિતાન સુદ બીજ (1989)

વિતાન સુદ બીજ (1989) : ગુજરાતી કવિ શ્રી રમેશ પારેખનો સાતમો કાવ્યસંગ્રહ. સાતત્યપૂર્ણ કાવ્યયાત્રાના આ કવિએ તે પછી પણ અન્ય કાવ્યસંગ્રહો આપ્યા છે. પોતાના જ નામમાં નહિ સમાઈ શકતા આ કવિએ સુમાર વિનાના વિષયો ઉપર કવિતા કરી છે. સંવેદનની અનેક લીલાઓને તેમણે શબ્દમાં ઉતારી છે ને એમ ભાષાક્રીડાનાં પણ પાર…

વધુ વાંચો >

વિદ્વાંસ, ગોપાળરાવ

વિદ્વાંસ, ગોપાળરાવ (જ. 16 નવેમ્બર 1896, આંજર્લા, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 23 મે 1980, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા અનૂદિત સાહિત્યના ભેખધારી. પિતા ગજાનનરાવ ભાવનગર પાસેની વલ્લભીપુર રિયાસતમાં ઓરવસિયર હતા. માતાનું નામ સરસ્વતી. ગોપાળરાવનું બાળપણ વલ્લભીપુરમાં વીત્યું. ત્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. 1916માં ભાવનગર…

વધુ વાંચો >

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન (જ. 12 જુલાઈ 1903, વલ્લભીપુર, સૌરાષ્ટ્ર; અ. 2 ડિસેમ્બર 1984, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની તથા શાળાસ્તરે ઉપયોગી થાય તેવા સાહિત્યના સર્જક. પિતા ભાવનગર નજીકના પૂર્વ વલ્લભીપુર રિયાસતમાં ઓવરસિયર હતા. માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુરમાં. ત્યારબાદ ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. ત્યાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને હરભાઈ…

વધુ વાંચો >

વિમલપ્રબંધ

વિમલપ્રબંધ : વિમલ મંત્રી વિશે કવિ લાવણ્યસમયે ગુજરાતી ભાષામાં રચેલી કૃતિ. આ ગ્રંથની રચના મધ્યકાળમાં થયેલા તપગચ્છના શ્રી સોમસુંદરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય લાવણ્યસમયે ઈ. સ. 1512/સં. 1568માં કરી છે. એમણે રચેલી નાનીમોટી કથામૂલક કૃતિઓમાં ‘વિમલપ્રબંધ’ સૌથી મહત્વની કૃતિ છે. આ કૃતિ ‘વિમલરાસ’ એવા અપરનામે પણ ઓળખાયેલી છે. પ્રબંધ, રાસ અને…

વધુ વાંચો >

વિરાટપર્વ-1 (નાકરકૃત)

વિરાટપર્વ-1 (નાકરકૃત) : ગુજરાતીમાં મહાભારતના આધારે રચાયેલી આખ્યાનકૃતિ. વડોદરાના વણિક કવિ નાકરે મહાભારતકથાનાં વિવિધ પર્વો ગુજરાતીમાં પ્રથમ વાર પોતીકી રીતે અવતાર્યાં છે. એમાં એનું ‘વિરાટપર્વ’ કવિની પ્રૌઢિ અને શક્તિનું દર્શન કરાવે છે. 65 કડવાંની આ કૃતિના આરંભમાં આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વની કથા ભૂમિકા રૂપે આવે છે અને 22મા કડવાથી ‘વિરાટપર્વ’નો…

વધુ વાંચો >

વિષ્ણુદાસ

વિષ્ણુદાસ (અનુમાને ઈ. સ. 1578-1612ના ગાળામાં હયાત) : 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધમાં હયાત મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિ, જે પ્રેમાનંદના પુરોગામી તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન-પ્રવાહમાં નાકર પછી નોંધપાત્ર પ્રદાન કરનાર આ કવિ ખંભાતના નાગર બ્રાહ્મણ છે. એમની સમયદર્શક કૃતિઓને આધારે એમનો કવનકાળ ઈ. 1578થી ઈ. 1612 સુધીનો…

વધુ વાંચો >

વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ

વીમાવાળા (માળવી), નટવરલાલ મૂળચંદ (જ. 20 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 6 એપ્રિલ 1973) : બાલસાહિત્યકાર. ઉપનામો : ‘કે. જી. પંડિત’, ‘પ્રયોગી’, ‘મયૂરક’, ‘મંગો પાર્ક’, ‘સુધન્વા’. પિતાનું નામ : મૂળચંદ ઘેલાભાઈ વીમાવાળા. માતા : વિજયાલક્ષ્મી ત્રિભોવનદાસ. જ્ઞાતિએ સૂરતી તળપદા દશા શ્રીમાળી વણિક; એમના પિતાના વીમાના વ્યવસાયને કારણે ‘મહેતા’ અટક ગઈ અને…

વધુ વાંચો >