કાયદાશાસ્ત્ર

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ :  સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UN) 1952માં માનવહક્કો અંગે ભલામણ કરવા સ્થાપેલું પંચ. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મુખ્યત્વે સાર્વભૌમ રાજ્યો જ આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો ગણાય છે. વ્યક્તિઓ કે લઘુમતી જૂથો પોતાને થયેલા અન્યાય બાબતમાં આંતરરાષ્ટ્રીય અદાલત કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આગળ સીધી ફરિયાદ કરી શકતાં નથી, પરંતુ કોઈ રાજ્ય કે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદો

આંતરરાષ્ટ્રીય કાયદો : સાર્વભૌમ રાજ્યો પરસ્પરના સંબંધોમાં પાળવા બંધાયેલા હોય એવા આચરણના સિદ્ધાંતો અને નિયમોનો સમૂહ. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પરસ્પરના સંબંધો તેમજ તેમનાં રાજ્યો તથા વ્યક્તિઓ સાથેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંબંધ ધરાવતી વ્યક્તિઓ તથા રાજ્યવિહીન એકમોને લગતા નિયમોનો સમાવેશ થાય છે. આજે તેમાં બહુરાષ્ટ્રીય નિગમો, રાજકીય પક્ષો, દબાવકર્તા જૂથો, આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો : સફરી વહાણોના ઉપયોગના તથા વહાણવટાયોગ્ય સંકલિત જળવિસ્તારને લગતા નિયમોનો બનેલો આંતરરાષ્ટ્રીય કાયદો. તે જળવિસ્તાર પર ઊડતાં વિમાનો તથા પાણીમાંની ડૂબક કિશ્તીઓ(submarines)ને પણ લાગુ પડે છે. તેને મધ્યયુગમાં પશ્ચિમ યુરોપનાં રાજ્યોએ વિકસાવ્યો. મધ્યયુગમાં પોર્ટુગલે આખા હિંદી મહાસાગર પર સાર્વભૌમત્વનો દાવો કરેલો. વિખ્યાત ડચ ન્યાયવિદ ગ્રોશિયસ(1583-1645)ના મતે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત (192૦) :  1919ના વર્સેલ્સ કરાર અન્વયે હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલત. બીજા વિશ્વયુદ્ધ પછી (1945થી) સંયુક્ત રાષ્ટ્ર સંઘના હકનામાની કલમ 92થી 96 અન્વયે રાષ્ટ્ર સંઘના એક મુખ્ય અંગ તરીકે તેનો સમાવેશ થયેલો છે. આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ માટેનું આ કાયમી સાધન છે. તે જાહેર સુનાવણી કરીને આંતરરાષ્ટ્રીય કાયદા…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય લવાદી

આંતરરાષ્ટ્રીય લવાદી : રાજ્યોના પરસ્પરના ઝઘડાઓના નિરાકરણ માટેના શાંતિમય અને મૈત્રીભર્યા ઉપાયો માટે રચવામાં આવેલું તંત્ર. તેમાં બંને પક્ષકારો પોતાના દાવાઓ કાયદેસર નિકાલ માટે પરસ્પરની સંમતિથી ત્રાહિત વ્યક્તિ કે વ્યક્તિઓના પંચને સોંપે છે, તેમની આગળ રજૂઆત કરે છે અને ચુકાદો માગે છે. ચુકાદાનો અમલ પક્ષકાર રાજ્યોનાં સૌજન્ય અને સદ્વ્યવહાર પર…

વધુ વાંચો >

ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો

ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો (MRTP Act) : ઇજારો અને આર્થિક સત્તાના કેન્દ્રીકરણની અયોગ્ય અસરો અટકાવવા માટે ભારતીય લોકસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો. ઇજારા તપાસપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કાયદાનું સ્વરૂપ આપવાના ઇરાદાથી ડિસેમ્બર 1969માં તે અંગેનો ખરડો મંજૂર કરવામાં આવ્યો, જે જૂન 1970થી કાયદો બન્યો. ઉક્ત કાયદાને ઇજારા અને…

વધુ વાંચો >

ઇન્ટરપૉલ

ઇન્ટરપૉલ : વિશ્વના જુદા જુદા સભ્ય દેશોના પરસ્પર સહકાર દ્વારા રચવામાં આવેલ પોલીસ-સંગઠન. તેનું આખું નામ ‘ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગનાઇઝેશન’ છે. આવું સંગઠન સ્થાપવાનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પહેલાં આવેલો, પરંતુ તેની વિધિસર સ્થાપના 1923માં કરવામાં આવી હતી. સ્થાપના-સમયે તેની સભ્ય સંખ્યા માત્ર વીસ હતી, પરંતુ હવે તે વધીને 140…

વધુ વાંચો >

ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ ઍક્ટ

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ઍક્ટ : ભારતના સ્વાતંત્ર્યને લગતો કાયદો. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ (ઑગસ્ટ, 1945) બાદ હિન્દને સ્વાતંત્ર્ય આપવાની પ્રક્રિયા વિશેષ વેગીલી બની. હિન્દના મુખ્ય રાજકીય પક્ષોમાં એકતાના અભાવને લીધે તથા મુસ્લિમ લીગ પાકિસ્તાનની પ્રાપ્તિ માટે આગ્રહી હોવાને કારણે ભારતને અખંડિત રાખીને સ્વરાજ્ય આપવાની કૅબિનેટ મિશન યોજના નિષ્ફળ ગઈ. આ સંજોગોમાં લૉર્ડ…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861 : ભારતમાં બ્રિટિશ સરકારના માળખામાં પરિવર્તન લાવતો અને ભારતીયોના ધારાસભાના અધિકારોને લગતો કાયદો. ભારતમાંની કંપની સરકારના અંત બાદ બ્રિટિશ સરકારનું શાસન સ્થપાયું. તે પછી દેશના કાયદા ઘડવાના કાર્યમાં ભારતીયોનો સહકાર મેળવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. આ કાયદા મુજબ ગવર્નર જનરલની કારોબારી સમિતિ પાંચ સભ્યોની કરવામાં આવી.…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ-1892

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1892 : ભારતમાં ધારાસમિતિઓને વિસ્તૃત કરતો અને ધારાસભ્યોને ચૂંટણી સહિતના વધુ અધિકારો આપતો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની માગણી, સર જ્યૉર્જ ચેઝનીની સમિતિની ભલામણો તથા બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય ચાર્લ્સ બ્રેડલોના પ્રયાસોથી બ્રિટિશ પાર્લમેન્ટે 1892નો ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ પસાર કર્યો. તે મુજબ ગવર્નર જનરલની ધારાસમિતિમાં…

વધુ વાંચો >