કાયદાશાસ્ત્ર

સૂચનાપત્ર (notice) (વાણિજ્ય)

સૂચનાપત્ર (notice) (વાણિજ્ય) : તથ્ય/હકીકતની જાણ ધરાવતી વ્યક્તિ દ્વારા તે અંગેનો સંદેશો વૈધિક રીતે અન્ય સંબંધિત વ્યક્તિને જણાવવા માટે લખવામાં આવતો પત્ર. કોઈ પણ સંબંધિત વ્યક્તિ જેને તથ્ય/હકીકત અંગેનો સંદેશો મોકલવાનો હોય તે વ્યક્તિ ત્રણ પ્રકારના સંજોગોમાં આ પ્રકારના તથ્ય/હકીકત અંગે માહિતગાર છે જ, – તેમ કાનૂન દ્વારા માનવામાં આવે…

વધુ વાંચો >

સેઠ લીલા

સેઠ, લીલા (જ. 20 ઑક્ટોબર 1930, કોલકાતા) : કાનૂની ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી ધરાવનાર, વડી અદાલતોમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિનું સ્થાન હાંસલ કરનાર તેજસ્વી નારી. તેમનાં પ્રારંભિક વર્ષો આશ્રયવિહીનતાને કારણે (homelessness) સંઘર્ષનાં હતાં. દાર્જિલિંગની કૉન્વેન્ટ સ્કૂલમાં શાલેય શિક્ષણ મેળવી તેઓ કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં અને 1954માં પ્રેમનાથ સેઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પતિ…

વધુ વાંચો >

સેતલવાડ ચિમનલાલ હરિલાલ (સર)

સેતલવાડ, ચિમનલાલ હરિલાલ (સર) (જ. 1866, ભરૂચ, ગુજરાત; અ. 1947, મુંબઈ) : ભારતના પ્રખર ધારાશાસ્ત્રી, મુંબઈ ઇલાકાના પૂર્વ ઍડ્વોકેટ જનરલ અને મુંબઈ વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી તેની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી જે પોતે તેમના જમાનાના જાણીતા ધારાશાસ્ત્રી હતા. ચિમનલાલનું પ્રાથમિક…

વધુ વાંચો >

સેતલવાડ મોતીલાલ ચિમનલાલ

સેતલવાડ, મોતીલાલ ચિમનલાલ (જ. 12 નવેમ્બર 1884, અમદાવાદ; અ. ઑગસ્ટ 1974, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી, પ્રથમ પંક્તિના ન્યાયવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ. કાયદા અને વકીલાત સાથે ઘનિષ્ઠ અને પરંપરાગત સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પ્રપિતામહ અંબાશંકર શરૂઆતમાં મુંબઈમાં સદર દીવાની અદાલતના શિરસ્તેદાર અને નિવૃત્તિ ટાણે અમદાવાદમાં મુખ્ય…

વધુ વાંચો >

સેનવર્મા એસ. પી.

સેનવર્મા, એસ. પી. (જ. 1 ફેબ્રુઆરી 1909, બારીસાલ, બાંગ્લાદેશ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી અને કાયદાપંચના સભ્ય. પિતા અમૃતલાલ અને માતા સોનાલક્ષ્મી દેવી. પત્ની આરતી સેનવર્મા. કોલકાતા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ કાયદાના અનુસ્નાતક (એલએલ.એમ.) થયા. 1942માં પશ્ચિમ બંગાળ સરકારની ન્યાયિક સેવામાં જોડાયા. તે પછી સ્વતંત્ર ભારત સરકારમાં કાયદા-મંત્રાલયમાં વિશેષ સચિવ…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોરાબજી સોલી જહાંગીર

સોરાબજી, સોલી જહાંગીર (જ. 9 માર્ચ 1930, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી અને દેશના પૂર્વ ઍટર્ની-જનરલ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. તથા એલએલ.બી.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી 1953માં તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને તરત જ એક અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી. શરૂઆતમાં 1953–1970 દરમિયાન મુંબઈની વડી અદાલતમાં કામ…

વધુ વાંચો >

હિદાયતુલ્લાહ મોહમ્મદ

હિદાયતુલ્લાહ, મોહમ્મદ (જ. 17 ડિસેમ્બર 1905; અ. 18 સપ્ટેમ્બર 1992) : ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડ ગયા. કેમ્બ્રિજમાંથી બૅરિસ્ટર ઍટ લૉ થયા. હિન્દુ મહિલા પુષ્પાબહેન સાથે તેમણે આંતરધર્મીય લગ્ન કર્યા હતા. ભારત આવી ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી. 1930–1946ના…

વધુ વાંચો >

હિંદુ કાયદો

હિંદુ કાયદો : હિંદુ લગ્ન અધિનિયમ, 1955માં આપેલ વ્યાખ્યા મુજબ જે હિંદુ છે તેને લાગુ પડતો કાયદો; જેમાં હિંદુઓ ઉપરાંત જૈનો, શીખો અને બૌદ્ધોનો પણ સમાવેશ થાય છે. ભારતની ભૂમિએ જગતના ધર્મોના સ્થાપકો જ માત્ર પેદા નથી કર્યા; તેણે કાયદાની એક એવી વ્યવસ્થા ઉત્પન્ન કરી જે ભરતખંડ ઉપરાંત બર્મા (હવે…

વધુ વાંચો >

હિંસા

હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય…

વધુ વાંચો >