કન્નડ સાહિત્ય

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય…

વધુ વાંચો >

ઇનામદાર વ્યંકટ માધુરાવ

ઇનામદાર વ્યંકટ માધુરાવ (1903, બૅંગાલુરુ) : કન્નડ નવલકથાકાર. બૅંગાલુરુ(બૅંગ્લોર)ના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૈસૂર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં એમ.એ.માં પ્રથમ આવ્યા. પછી બૅંગાલુરુમાં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી જ નવલકથાલેખનની શરૂઆત કરેલી. એમની લગભગ 15 નવલકથાઓ પ્રગટ થયેલી છે. તેમાં અત્યંત લોકપ્રિય બનેલી કૃતિઓ ‘શાપ’, ‘કનસિનમને’, ‘ઉર્વશી’ તથા ‘મુરાબુટ્ટે’ છે. નવલકથાઓમાં…

વધુ વાંચો >

ઇન્દિરા-એમ. કે.

ઇન્દિરા, એમ. કે. (જ. 5 જાન્યુઆરી 1917, તીર્થહળ્ળિ, જિ. શિમોગા, કર્ણાટક; અ. 15 માર્ચ 1994) : કન્નડ ભાષાનાં મહિલા નવલકથાકાર. 7 ધોરણ સુધીનો અભ્યાસ. પછી હિંદી શીખ્યાં. પાછળથી નામાંકિત નવલકથાકાર નીવડેલા ત્રિવેણીના પરિચયથી લેખનકાર્ય માટે પ્રેરાયાં. જોકે લેખન શરૂ થયું ઉત્તરાવસ્થામાં. પ્રથમ નવલ ‘તુંગભદ્રા’ને સારો આવકાર અને બહોળી ખ્યાતિ સાંપડ્યાં.…

વધુ વાંચો >

એક્કુણ્ડિ, સુબ્બન્ના રંગનાથ

એક્કુણ્ડિ, સુબ્બન્ના રંગનાથ (જ. 20 જાન્યુઆરી 1923,  રાણેબેન્નૂર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 20 ઑગસ્ટ 1995, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘બકુલદ હૂવુગળુ’ માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્રમાં વિલિંગ્ડન કૉલેજ, સાંગલીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

એમ. શિવરામ

એમ. શિવરામ (જ. 1905, બૅંગાલુરુ; અ. 26 ડિસેમ્બર 2006 ) : કન્નડ લેખક. બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી દાક્તરીમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને ત્યાં જ વ્યવસાય શરૂ કર્યો. કૉલેજમાં હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. વાર્તા, નવલકથા, હાસ્ય અને વ્યંગ્ય એમ અનેક પ્રકારોમાં એમણે પ્રતિષ્ઠિત લેખક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે ભિન્ન…

વધુ વાંચો >

કથેયાડલુ હુડુગી

કથેયાડલુ હુડુગી (1982) : કન્નડ ભાષાનો વાર્તાસંગ્રહ. લેખક યશવંત વિઠોબા ચિત્તલ. આ વાર્તાસંગ્રહ માટે એમને 1983માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ વાર્તાઓમાં આત્મકથનાત્મક, પૂર્વદીપ્તિ, ચેતનાપ્રવાહ, ઍબ્સર્ડ, મનોવિશ્લેષણાત્મક એમ વિવિધ શૈલીઓ પ્રયોજી છે. થોડી પ્રથમ પુરુષમાં અને થોડી લેખક દ્વારા કહેવાયેલી છે. પ્રતીકાત્મક વાર્તાઓમાં આધુનિક માણસોના ખોવાયેલા વ્યક્તિત્વનો…

વધુ વાંચો >

કનકદાસ

કનકદાસ (1509થી 1607) : કર્ણાટકના હરિદાસો પૈકીના એક અગ્રણી સંત અને ભક્તકવિ. તે પુરન્દરદાસ જેટલા જ લોકપ્રિય હતા. ઉત્તર કર્ણાટકના ધારવાડ જિલ્લાના બાડા ગામમાં ભગવાન વેંકટેશ્વરની કૃપાથી માતા વિરપય્યાની કૂખે તેમનો જન્મ થયાનું કહેવાય છે. પછી તેમનું તિમ્મપ્પા નાયક નામ રાખવામાં આવ્યું. તેમના પિતા વપય્યમ્મા બાડા ગામના સેનાપતિ હતા. કેટલાક…

વધુ વાંચો >

કન્નડ ભાષા અને સાહિત્ય

કન્નડ ભાષા અને સાહિત્ય દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની અને કન્નડ નામે ઓળખાતા પ્રદેશની ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. કર્ણાટકનો ઉલ્લેખ વ્યાસોક્ત મહાભારતમાં તથા તમિળ ભાષાના પ્રાચીન ગ્રંથ ‘શિલપ્પદિકારમ્’(ઈ.સ.ની બીજી સદી)માં થયેલો છે તેમજ આ જ ગાળામાં રચાયેલા એક ગ્રીક નાટકમાં કન્નડ ભાષાના કેટલાક શબ્દો મળ્યા હોવાનું કહેવાય છે. આ જોતાં…

વધુ વાંચો >

કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા

કર્ણાટક સંસ્કૃતીય પૂર્વપીઠિકા (1968) : કન્નડ ભાષાનો સંસ્કૃતિવિષયક ચિંતનગ્રંથ. તેના લેખક એસ. બી. જોશીને આ કૃતિ માટે 1970નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ પુસ્તક લેખકના જ્ઞાનની વિશાળ સીમા અને વિવિધ ક્ષેત્રોને ઊંડાણથી તાગવાની એમની ર્દષ્ટિનો પરિચય કરાવે છે. એ પ્રાચીન અને વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ અને વિશેષ કરીને…

વધુ વાંચો >

કલબુર્ગિ – મલ્લપ્પા મડિવલપ્પા

કલબુર્ગિ, મલ્લપ્પા મડિવલપ્પા (જ. 28 નવેમ્બર 1938, ગુબ્બેવાડ, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 30 ઑગસ્ટ 2015, ધારવાડ, કર્ણાટક) : કન્નડ વિદ્વાન અને સંશોધક. તેમણે સિન્દગી ખાતે પ્રાથમિક, બીજાપુર અને ધારવાડ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેઓ કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાંથી કન્નડના પ્રાધ્યાપકપદેથી…

વધુ વાંચો >