ઇતિહાસ – ગુજરાત

કાઝી શાસકો

કાઝી શાસકો (માંગરોળ સોરઠના) : માંગરોળ અને તેની આસપાસના પ્રદેશના કાઝી કુળના રાજકર્તાઓ. ફીરોઝ તઘલખે ગુજરાતના સરનશીન તરીકે ઝફરખાન ગુજરાતીની 1371માં નિયુક્તિ કરી. 1375માં ઇઝ્-ઉદ્-દીન અને સૈયદ સિકંદરની રાહદારી નીચે સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગનો કબજો મેળવવા લશ્કર મોકલ્યું હતું. તેમની સાથે એક જલાલુદ્દીન કાઝી માંગરોળમાં આવી વસેલો. આ પછી એમના વંશજોમાંથી…

વધુ વાંચો >

કાઠિયાવાડ રાજકીય પરિષદ

કાઠિયાવાડ રાજકીય પરિષદ : પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યારપછીના સમયમાં કાઠિયાવાડના પ્રદેશના લોકોમાં જાગેલી રાષ્ટ્રીય ભાવના, સ્વદેશપ્રીતિ અને અસ્મિતાના કારણે શરૂ કરવામાં આવેલું મંડળ. તેની સ્થાપનાનાં બીજ 1914 સુધીમાં ભારતની પ્રજામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને કેળવાયેલી સ્વદેશી ભાવનામાં, બ્રિટિશ સરકારે ભારતના દેશી રાજાઓ પ્રત્યે અપનાવેલી કડક અને અંકુશોવાળી નીતિમાં તથા સ્વમાનભંગના…

વધુ વાંચો >

કાઠી

કાઠી : સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતી એક જાતિ. તેના ઉપરથી પ્રદેશનું નામાભિધાન ‘કાઠિયાવાડ’ એવું થયું. મુખ્યત્વે મધ્ય સૌરાષ્ટ્રમાં છેલ્લાં ચારસોક વર્ષથી વિકસેલી આ કાંટિયાવરણ પ્રજા ઘણું કરી મુસ્લિમોના આક્રમણને કારણે મધ્ય એશિયામાંથી નીકળી આવીને રાજસ્થાન અને કચ્છમાં આવી, ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી એવું માનવામાં આવે છે. મૂળમાં આ ગૌરાંગ પ્રજા છે અને સૌરાષ્ટ્રમાં…

વધુ વાંચો >

કાદરી સૈયદ જમાલુદ્દીન પથરી

કાદરી સૈયદ જમાલુદ્દીન પથરી (અ. 1563) : ભારતમાં આવનાર કાદરીઓના પ્રથમ પૂર્વજ. તે હજરત પીરાને પીર અબ્દુલ કાદિર જીલાનીના પ્રપૌત્ર હતા. સૈયદ જમાલુદ્દીન ઈરાની અખાતના હુરમુઝ્દ બંદરેથી દક્ષિણ હિંદમાં આવ્યા હતા. 1530માં ગુજરાતના સુલતાન બહાદુરશાહે તેમને ઘણા માનમરતબા સાથે અમદાવાદ ખાતે આમંત્ર્યા હતા. એમની કબર રાયખડમાં ગાયકવાડ હવેલીની બહાર સૈયદવાડાની…

વધુ વાંચો >

કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ

કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ (જ. 7 ડિસેમ્બર 1879, ભાવનગર; અ. 27 માર્ચ 1951, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક. તેઓ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પંદર વર્ષ સુધી કૉર્પોરેટર તથા જૈન સમાજના અગ્રણી કાર્યકર અને બી.એ.,એલએલ.બી., સૉલિસિટર હતા. મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયની તેમણે સ્થાપના કરી હતી. એમણે લખેલાં પુસ્તકોમાં ‘જૈન ર્દષ્ટિએ યોગ’,…

વધુ વાંચો >

કામદાર, કેશવલાલ હિંમતલાલ

કામદાર, કેશવલાલ હિંમતલાલ [જ. 15 એપ્રિલ 1891, રાજકોટ; અ. 25 નવેમ્બર 1976, વડોદરા (?)] : ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ. ગોંડળના વતની. દશા શ્રીમાળી સ્થાનકવાસી. એમનો પરિવાર રાવ કુંભાજીના વખતમાં બગસરાથી ગોંડળ આવી વસ્યો અને રાજ્ય તેમજ પ્રજાહિતનાં કાર્યો કરી ગોંડળમાં એક અગ્રેસર શેઠકુટુંબ તરીકે પ્રતિષ્ઠા પામ્યો. કેશવલાલનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ…

વધુ વાંચો >

કારવણ (કાયાવરોહણ)

કારવણ (કાયાવરોહણ) : વડોદરા જિલ્લામાં આવેલું શૈવ તીર્થ. 220 05’ ઉ. અ. અને 730 15’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચાંદોદ-માલસર નૅરોગેજ રેલમથક છે. મિયાંગામથી પૂર્વમાં 8 કિમી. અને ડભોઈથી તે 11 કિમી. દૂર છે. કારવણનું સત્યયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરમાં મેઘાવતી અને કલિયુગમાં કાયાવરોહણ એવાં વિવિધ નામો હોવાનો…

વધુ વાંચો >

કાર્દમક વંશ

કાર્દમક વંશ (ઈ.સ.ની 1લી સદીથી ચોથી સદી) : પશ્ચિમ ભારતનાં ક્ષત્રપ કુળોમાંનું એક. કન્હેરી ગુફાના એક લેખમાં રુદ્ર(દામા)ની પુત્રી પોતે કાર્દમક વંશની હોવાનું જણાવે છે. ગણપતિ શાસ્ત્રીની અર્થશાસ્ત્રની ટીકામાં પારસિક(ઈરાન)માં આવેલી કર્દમા નદીમાં ઉત્પન્ન થતાં કાર્દમિક મોતીની નોંધ છે. કલ્હણની ‘રાજતરંગિણી’માં કર્દમરાજનો ઉલ્લેખ છે. મહાભારતના વિરાટપર્વમાં કર્દમિલ નામના સ્થળનો નિર્દેશ…

વધુ વાંચો >

કાલકાચાર્ય

કાલકાચાર્ય (અ. ઈ.પૂ. 61) : પશ્ચિમના ક્ષત્રપો તરીકે ઓળખાતા શકોને આમંત્રણ આપનાર જૈન આચાર્ય. અનુશ્રુતિ પ્રમાણે કાલકાચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન અને ક્ષત્રિય હતા. તેમની પૂર્વાવસ્થાની બહેન સાધ્વી સરસ્વતીના રૂપથી મોહિત થઈને ઉજ્જનના રાજા ગર્દભિલ્લે તેનું અપહરણ કર્યું હતું. તેથી રોષે ભરાઈને તેનું વેર લેવા તેઓ પારસકૂલ (ઈરાન) ગયા અને ત્યાંથી 96…

વધુ વાંચો >

કાલાવડ

કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો…

વધુ વાંચો >