સંગીતકલા

રાગ

રાગ : સ્વર તથા વર્ણથી વિભૂષિત થઈ મનનું રંજન કરે તેવો, અથવા તો મનોરંજન અને રસ નિર્માણ કરે તેવો સ્વરસમૂહ . એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે ‘रञजयति इति रागः’ દરેક રાગનું વિશિષ્ટ બંધારણ હોય છે, જેને અનુસરીને રાગ ગાવા કે વગાડવામાં આવે છે અને ત્યારે તે શ્રોતાના…

વધુ વાંચો >

રાજમ્, એન.

રાજમ્, એન. (જ. 10 માર્ચ 1939, એર્નાકુલમ, કેરળ) : ભારતનાં અગ્રણી વાયોલિનવાદક તથા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના દૃશ્ય-શ્રાવ્ય કલાવિભાગનાં વડાં. પિતાનું નામ એ. નારાયણ ઐયર અને માતાનું નામ અમ્મની અમ્મલ. પિતા પોતે સારા વાયોલિનવાદક હતા. રાજમ્ ચાર વર્ષનાં હતાં ત્યારથી તેમની વાયોલિન વગાડવાની તકનીક અંગેની તાલીમની શરૂઆત થયેલી. શરૂઆતમાં આ તાલીમ…

વધુ વાંચો >

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ

રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ (જ. 31 ડિસેમ્બર 1900, મુંબઈ; અ. 14 ફેબ્રુઆરી 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતક્ષેત્રના શિક્ષણયોગી, સંશોધક, પ્રચારક અને પ્રસારક તથા સંગીત-શિક્ષણસંસ્થાઓના સફળ સંચાલક. અંગત વર્તુળમાં ‘અણ્ણાસાહેબ’ નામથી વધુ પ્રચલિત. પિતા નારાયણરાવ રાતંજનકર સરકારના જાસૂસી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર આસન્ન હતા, પરંતુ સંગીતકલામાં રુચિ હોવાથી પુત્રને પિતા…

વધુ વાંચો >

રાનડે, જી. એચ.

રાનડે, જી. એચ. (જ. 1 ઑક્ટોબર 1897, સાંગલી; અ. 10 માર્ચ 1966) : ભારતીય શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ તથા ગાયક કલાકાર. બાળપણથી સંગીતમાં રુચિ હોવાને કારણે શાલેય અભ્યાસની સાથોસાથ સંગીતનો અભ્યાસ પણ તેમણે ખૂબ લગન સાથે કર્યો. તેમની તાલીમ ગ્વાલિયર ગાયકીની હતી. પં. બાલકૃષ્ણબુવા ઈચલકરંજીકરના શિષ્ય પં. ગણપતિબુવા ભિલવડીકર તથા પં.…

વધુ વાંચો >

રામકૃષ્ણ દેવ

રામકૃષ્ણ દેવ (જ.  અ. ?) : ધ્રુપદ તથા ખયાલ ગાયકીના જાણીતા કલાકાર. તેઓ મધ્યભારતની ધાર રિયાસતના રહેવાસી હતા. સંગીતની ઉચ્ચ તાલીમ મેળવવા તેઓ ગ્વાલિયર ગયા અને ત્યાં તેમણે ધ્રુપદ તથા ખયાલ-શૈલીના સંગીતની ઉચ્ચ તાલીમ મેળવી. તેમનો અવાજ બારીક હોવાથી અને તેમની ફિરત જોરદાર હોવાને કારણે ટપ્પાની તાલીમ લેવાની તેમને સલાહ…

વધુ વાંચો >

રામદાસ

રામદાસ (જ. 1876; અ. 12 જાન્યુઆરી 1960) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. તેમના પિતા પં. શિવનંદન મિશ્ર એક સારા સંગીતકાર હતા. કહેવાય છે કે પં. શિવનંદનનું સંગીત સાંભળી શ્રી ભાસ્કરાનંદ સ્વામી નામે મહાત્મા ખૂબ પ્રસન્ન થયા હતા અને તેમણે આપેલ આશીર્વાદ બાદ રામદાસજીનો જન્મ થયો હતો. બાળપણથી…

વધુ વાંચો >

રામનારાયણ

રામનારાયણ (જ. 1927, ઉદેપુર) : ભારતના પ્રખ્યાત સારંગીવાદક. તેમના પિતા નાથુરામજી દિલરુબા વગાડતા હતા. કહેવાય છે કે તેમના ઘરમાં કોઈ સાધુએ આપેલ રાવણહથ્થો હતો. ચારપાંચ વર્ષના બાળક રામનારાયણ એ રાવણહથ્થો લઈ વગાડવાનો પ્રયત્ન કરતા. તેમને ત્રણ-ચાર સૂર વગાડવા જેટલી સફળતા પણ મળી. આમ બાળકની રુચિ જોઈને તેમના પિતાએ તેમને સંગીતની…

વધુ વાંચો >

રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ

રામ્પાલ, ઝાં-પિયેરે, લુઈ (Rampal, Jean-Pierre, Louis) (જ. 7 જાન્યુઆરી 1922, મર્સાઇલ, ફ્રાંસ) : વિશ્વપ્રસિદ્ધ વાંસળીવાદક અને સ્વરનિયોજક (composer). મર્સાઇલ કૉન્સર્વેટરીમાં પિતા પાસે વાંસળીવાદન શીખી રામ્પાલ પૅરિસ કૉન્સર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અભ્યાસ પૂરો કર્યા પછી, 1947માં વીશી (Vichy) ઑપેરા ઑર્કેસ્ટ્રામાં વાંસળીવાદક તરીકે જોડાયા અને 1951 લગી તેમાં રહ્યા. આ પછી 1956થી…

વધુ વાંચો >

રાય, કલ્યાણી

રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત…

વધુ વાંચો >

રાવ, રજનીકાંત બલંતરપુ

રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’)…

વધુ વાંચો >