સંગીતકલા
મિશ્ર, અનોખેલાલ
મિશ્ર, અનોખેલાલ (જ. 1914, કાશી; અ. 10 માર્ચ 1958, કાશી) : ભારતના અગ્રણી તબલાવાદકોમાંના એક. પિતાનું નામ બુદ્ધપ્રસાદ. બાળપણમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થવાને કારણે જાતમહેનત-મજૂરી કરીને દાદીએ તેમને ઉછેર્યા. બનારસ ઘરાનાના આ તબલાવાદકે આશરે છ વર્ષની ઉંમરે તબલાંની તાલીમ શરૂ કરી હતી. ગુરુ પંડિત ભૈરોપ્રસાદ મિશ્ર પાસે પંદર વર્ષ સુધી…
વધુ વાંચો >મિશ્ર, ગોપાલ
મિશ્ર, ગોપાલ (જ. 1921; અ. 1977) : ભારતના અગ્રણી સારંગીવાદક. સારંગીવાદનમાં તેમની ગણના દેશના ટોચના કલાકારોમાં થાય છે. તેમના પિતા પંડિત સુરસહાય મિશ્ર એ સમયના પ્રખ્યાત સારંગીવાદક હતા. દસેક વર્ષની ઉંમરથી જ ગોપાલ મિશ્રે પિતા પાસે સારંગીવાદન શીખવાની શરૂઆત કરી. સારંગીવાદનની ખૂબીઓનો બરાબર અભ્યાસ કર્યા પછી સંગીત-સમ્રાટ બડે રામદાસજી પાસેથી…
વધુ વાંચો >મિશ્ર, રાજન
મિશ્ર, રાજન (જ. 1 ઑગસ્ટ 1951, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. પિતાનું નામ હનુમાનપ્રસાદ, જેઓ પોતે વિખ્યાત સારંગીવાદક અને સંગીતકાર હતા. માતાનું નામ ગગનદેવી, જેઓ સંગીતકારોના પરિવારમાં જન્મેલાં. રાજન મિશ્રે બાળપણથી જ સંગીતની સાધનાની શરૂઆત કરેલી. તેમના પરિવારમાં છેલ્લાં ત્રણ સો વર્ષોથી શાસ્ત્રીય સંગીતનો વારસો ચાલતો…
વધુ વાંચો >મિશ્ર, સાજન
મિશ્ર, સાજન (જ. 7 જાન્યુઆરી 1956, વારાણસી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના વિખ્યાત ગાયક. છેલ્લાં લગભગ ત્રણસો વર્ષથી શાસ્ત્રીય સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતા પંડિત હનુમાનપ્રસાદ મિશ્ર પોતે અગ્રણી સારંગીવાદક હતા, જેમની પાસેથી તેમણે શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી હતી. માતાનું નામ ગગનદેવી. પિતા ઉપરાંત જાણીતા…
વધુ વાંચો >મિશ્રા, હીરાદેવી
મિશ્રા, હીરાદેવી (જ. બનારસ) : ભારતનાં જાણીતાં ઠૂમરી-નિષ્ણાત અને અભિનેત્રી. પિતા સ્વરૂપસિંહ અને માતા મૌનાદેવી સંગીતનાં ભારે રસિયાં. બે ભાઈ – કેદારનાથ અને અમરનાથ – પણ અચ્છા તબલાવાદક. આમ તેમને વારસામાં સંગીત મળેલું. માત્ર 7 વર્ષની વયે તેમણે બનારસના પં. સરજૂપ્રસાદના હસ્તે ગંડાબંધન કરાવ્યું ને થોડો વખત તાલીમ લીધી. ત્યારબાદ…
વધુ વાંચો >મુદગલ, શુભા
મુદગલ, શુભા (જ. 1959 – અલ્લાહાબાદ, યુ.પી.) : ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીના ગ્વાલિયર ઘરાણાની શાસ્ત્રીય શૈલી તથા પાશ્ચાત્ય પૉપ સંગીત – આ બંનેમાં નિપુણતા ધરાવતાં ગાયિકા. બે જુદી જુદી સંગીતશૈલીઓ –ભારતીય અને પાશ્ચાત્ય–નું જોડાણ તેમના જેવા કોઈ એક જ કલાકારમાં હોય તે એક વિરલ ઘટના ગણાય. સમગ્ર બાળપણ અને શિક્ષણ…
વધુ વાંચો >મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ
મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ : ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલા બે ભાઈઓ. સૌમિલ મુનશીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960ના રોજ અને શ્યામલ મુનશીનો જન્મ 14 એપ્રિલ 1962ના રોજ થયેલો. પિતાનું નામ પરેશભાઈ અને માતાનું નામ ભક્તિબહેન. આ બંને પતિ-પત્નીએ તેમના આ બંને પુત્રોમાં નાનપણથી જ સંગીતના સંસ્કાર સિંચ્યા હતા. ગુજરાતી…
વધુ વાંચો >મુર્ડેશ્વર, દેવેન્દ્ર
મુર્ડેશ્વર, દેવેન્દ્ર (જ. 19 સપ્ટેમ્બર 1923; અ. 29 જાન્યુઆરી 2000, મુંબઈ) : પ્રસિદ્ધ વાંસળીવાદક. પિતા શંકર મુર્ડેશ્વર સંગીતપ્રેમી તો હતા જ, પરંતુ પોતે કેટલાંક વાદ્યો વગાડતા હતા. પુત્ર દેવેન્દ્રને પણ બાળપણથી જ સંગીત પ્રત્યે અને ખાસ કરી વાંસળી પ્રત્યે વિશેષ રુચિ હતી. 1941માં તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં 1944–47 દરમિયાન…
વધુ વાંચો >મુશ્તાકઅલીખાં
મુશ્તાકઅલીખાં : સેનિયા ઘરાણાના ઉચ્ચ કુળના સિતારવાદક. મુશ્તાકઅલીએ સંગીતની તાલીમ પોતાના પિતા આશીકઅલીખાં પાસેથી મેળવી હતી. મુશ્તાકઅલી સાતમી માત્રાથી ગત શરૂ કરતા એ તેમની વિશેષતા હતી. તેમણે પોતે સિતારની 400 ગતોની રચના કરી છે, જે બધી જ સાતમી માત્રાથી શરૂ થાય છે. તેઓ હંમેશાં પોતાના ઘરાણાની શુદ્ધતા સાચવતા અને શ્રોતાઓને…
વધુ વાંચો >મુશ્તાકહુસેન
મુશ્તાકહુસેન : શાસ્ત્રીય સંગીતના સહસવાન ઘરાણાના ગાયક. તે ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ઇનાયતખાં ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સહસવાન ગામમાં રહેતા હતા તે કારણે તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘સહસવાન ઘરાણા’ પડ્યું. આ ઘરાણાના ગાયકોની ગુરુ-શિષ્ય-પરંપરા છેક તાનસેનથી ઊતરી આવી હોવાનો તેઓ દાવો કરે છે. મુશ્તાકહુસેનનો જન્મ સહસવાનમાં થયો હતો. તેમના મુખ્ય ગુરુ…
વધુ વાંચો >