શિક્ષણ

કેલર – હેલન ઍડૅમ્સ

કેલર, હેલન ઍડૅમ્સ (જ. 27 જૂન 1880, ટસ્કમ્બિયા, આલાબામા; અ. 1 જૂન 1968, ઇસ્ટન કનેક્ટિકટ, અમેરિકા) : દુનિયાભરનાં અંધજનો તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી. પિતાનું નામ આર્થર આદમ સંયુક્ત સંસ્થાનના ધનાઢય અધિકારી હતા. માતાનું નામ કૅથરિન. 18 માસની વયે હેલને મગજ અને…

વધુ વાંચો >

કૈવલ્યધામ

કૈવલ્યધામ : યોગવિદ્યાના શાસ્ત્રશુદ્ધ અભ્યાસ માટેની સંસ્થા. મુંબઈ-પુણે વચ્ચે આવેલા જાણીતા ગિરિમથક લોણાવળા ખાતે 1924માં સ્વામી કુવલયાનંદે (1883-1966) તેની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ યોગનો પદ્ધતિસર પ્રસાર કરવાનો છે અને તે માટે આ સંસ્થામાં પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં યોગના આધ્યાત્મિક પાસા પર વિશેષ…

વધુ વાંચો >

કોઠારી – દોલતસિંહ

કોઠારી, દોલતસિંહ (જ. 6 જુલાઈ 1906, ઉદેપુર; અ. 4 ફેબ્રુઆરી 1993, જયપુર) : ભારતની સ્વાતંત્ર્યોત્તર પેઢીના બહુમુખી પ્રતિભાશાળી ભૌતિકવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે ઉદેપુર અને ઇંદોર ખાતે શાલેય શિક્ષણ લીધું. ઉદેપુરના મહારાજા તરફથી ખાસ શિષ્યવૃત્તિ મળતાં ઉચ્ચ શિક્ષણ માટે તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભૌતિકવિજ્ઞાનના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. …

વધુ વાંચો >

કોઠારી – વિઠ્ઠલદાસ

કોઠારી, વિઠ્ઠલદાસ (જ. 28 ઑગસ્ટ 1900, કલોલ; અ. 25 ડિસેમ્બર 1972, અમદાવાદ) : ગૂજરાત વિદ્યાપીઠના આજીવન સેવક તથા અર્થશાસ્ત્રના અધ્યાપક. પિતા મગનલાલ. માતા ચંચળબા. મૅટ્રિક સુધીનું શિક્ષણ કલોલમાં. 1920માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. એ જ વર્ષે ગાંધીજીની રાષ્ટ્રીય શિક્ષણની હાકલ થતાં કૉલેજ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. 1923માં અર્થશાસ્ત્રની સ્નાતકની…

વધુ વાંચો >

કોમીનિયસ જ્હૉન એમૉસ

કોમીનિયસ, જ્હૉન એમૉસ (જ. 28 માર્ચ 1592; અ. 15 નવેમ્બર 1670) : સત્તરમી સદીનો જાણીતા ચેક શિક્ષણશાસ્ત્રી. સમાજસુધારક અને બોહેમિયન ચર્ચના બિશપ. વતન નીનનીક. સ્વદેશ છોડીને પોલૅન્ડ, ઇંગ્લૅન્ડ, હંગેરી તથા સ્વીડનમાં શિક્ષણશાસ્ત્રી તરીકે કામ કર્યું. સુધરેલ શિક્ષણપદ્ધતિ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય હોવાની  તેમની માન્યતા હતી. રાષ્ટ્રના યુવાનો અને યુવતીઓ માટે…

વધુ વાંચો >

કોલંબિયા યુનિવર્સિટી

કોલંબિયા યુનિવર્સિટી : ન્યૂયૉર્ક શહેરમાં આવેલી યુનિવર્સિટી. તેની સ્થાપના કિંગ્ઝ કૉલેજ તરીકે 1754માં પ્રૉટેસ્ટન્ટ એપિસ્કોપલ ચર્ચ તરફથી થઈ હતી. અમેરિકન આંતરવિગ્રહ દરમિયાન થોડા સમય માટે બંધ રહ્યા પછી 1784માં તે ફરી ચાલુ થઈ ત્યારે તેનું નામ કોલંબિયા કૉલેજ પડ્યું. ઓગણીસમી સદી દરમિયાન તેમાં અનુસ્નાતક અને વ્યાવસાયિક કૉલેજોનો ઉમેરો થતો ગયો…

વધુ વાંચો >

કૉંદૉર્સે – મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા – માર્કિવસ દ

કૉંદૉર્સે, મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા, માર્કિવસ દ (જ. 17 સપ્ટેમ્બર 1743, રૉબેમૉન્ટ, ફ્રાન્સ; અ. 29 માર્ચ, 1794, બોર્ગલા-રાઈન) : ફ્રેન્ચ દાર્શનિક, ગણિતશાસ્ત્રી તથા શિક્ષણ-સુધારણાના પ્રખર હિમાયતી. પ્રાચીન કૅરિટાટ કુટુંબના વંશજ. ડાઉફાઇન કાઉન્ટીના કૉંદૉર્સે નગર પરથી કુટુંબનું નામ પડ્યું. રીમ્સ ખાતેની જેસ્યુઇટ કૉલેજ તથા પૅરિસની કૉલેજમાં શિક્ષણ દરમિયાન ગણિતશાસ્ત્ર પ્રત્યે અભિરુચિ થતાં…

વધુ વાંચો >

ક્વિન્ટિલિયન

ક્વિન્ટિલિયન (જ. ઈ. આશરે 35, સ્પેન; અ. ઈ. 100, રોમ) : રોમના વક્તૃત્વવિશારદ, શિક્ષક અને લેખક-વિવેચક. આખું લૅટિન નામ માર્કસ ફેબિયસ ક્વિન્ટિલિયૅનસ. તેમણે શિક્ષણ લીધું રોમમાં. ત્યાં તેમના સમયના અગ્રણી અને સમર્થ વક્તા ડોમિટિયસ એફર પાસેથી પ્રત્યક્ષ તાલીમ લેવાની તક મળી. ત્યારપછી રોમમાં વકીલાતનો વ્યવસાય કર્યો. ઈ. સ. આશરે 57થી…

વધુ વાંચો >

ક્વિન્સી યોજના

ક્વિન્સી યોજના : અનૌપચારિક શિક્ષણપ્રથાના પ્રારંભિક સ્વરૂપ જેવી મૅસેચ્યૂસેટ્સ રાજ્યના ક્વિન્સી ગામમાં ઓગણીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં શરૂ કરાયેલી યોજના. તેમાંથી કેટલીક પ્રગતિશીલ યોજનાઓનો વિકાસ થતો ગયો. તે યોજનાના આદ્યપ્રેરક ફ્રાન્સિસ પાર્કર (યુ.એસ.) (1837-1902) ફ્રોબેલના વિચારોથી પ્રભાવિત થયેલા હતા. તેમણે શાળાઓને ચીલાચાલુ ઘરેડમાંથી બહાર કાઢીને અનૌપચારિક બનાવવા માટેની યોજના તૈયાર કરીને…

વધુ વાંચો >

ખ્વાજા ગુલામુસ્સૈયદેન

ખ્વાજા ગુલામુસ્સૈયદેન (જ. 12 ઑક્ટોબર, 1904, પાણીપત; અ. 1971) : ભારતના ગણનાપાત્ર શિક્ષણશાસ્ત્રી અને ભારત સરકારના શૈક્ષણિક સલાહકાર. પિતા ખ્વાજા ગુલામુસ્સક્લિની જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પિતાની સીધી દેખરેખ નીચે શરૂ કરી કુરાને શરીફ વગેરેનો નાની વયમાં અભ્યાસ કર્યો હતો. 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઉત્તીર્ણ કરી.…

વધુ વાંચો >