શિક્ષણ

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)

કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…

વધુ વાંચો >

કામદાર-શિક્ષણ

કામદાર-શિક્ષણ : કાર્યક્ષેત્ર, જાગરુકતા તથા વ્યક્તિગત તેમજ કૌટુંબિક વિકાસમાં મદદરૂપ એવું કામદારોને અપાતું શિક્ષણ. આવા શિક્ષણ દ્વારા કામદારોનું કાર્યકૌશલ વધારવાનો, સંઘશક્તિ પ્રત્યે તેમને સભાન કરવાનો તથા તેમનામાં સારા નાગરિકોના ગુણ કેળવવાનો હેતુ હોય છે. કામદાર-શિક્ષણનું આયોજન કરતી વેળાએ કેટલીક અગત્યની બાબતોનો અગાઉથી વિચાર કરવામાં આવે છે, જે તેની સફળતા માટે…

વધુ વાંચો >

કારીગર તાલીમ યોજના

કારીગર તાલીમ યોજના : વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રોની ઉત્પાદન અને સેવાની લગતી બાબતોમાં ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો અને વધારો થાય તે માટેની તાલીમ યોજના. તેના મુખ્ય ઉદ્દેશો છે – (1) જરૂરી કૌશલ્યો ધરાવતું માનવબળ ઉપલબ્ધ બનાવવું, (2) જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનૉલોજીથી ઉમેદવારોને સતત સજ્જ કરતા રહેવું, તથા (3)…

વધુ વાંચો >

કાંગડી ગુરુકુળ

કાંગડી ગુરુકુળ : ગુરુને ત્યાં કુટુંબી તરીકે રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપતી આર્યસમાજીઓની એક પ્રસિદ્ધ સંસ્થા. 2 માર્ચ 1902ના રોજ મહાત્મા મુન્શીરામે (સંન્યાસી થયા પછી જેઓ સ્વામી શ્રદ્ધાનંદના નામે પ્રસિદ્ધ થયા) તેની સ્થાપના કરી. હરિદ્વારની સામે ગંગા નદીના પૂર્વીય તટ ઉપર કાંગડી નામના ગામમાં સ્થાપના થવાથી તે…

વધુ વાંચો >

કિન્ડરગાર્ટન

કિન્ડરગાર્ટન : જર્મનીમાં શરૂ કરવામાં આવેલી બાળશિક્ષણની અભિનવ પદ્ધતિ. જર્મન તત્વવેત્તા વિલ્હેમ ફ્રોબેલે અઢીથી છ વરસનાં બાળકોમાં આત્માભિવ્યક્તિ દ્વારા વ્યક્તિત્વવિકાસ થાય તે માટે તેમણે કિન્ડરગાર્ટન કે બાલોદ્યાન પદ્ધતિ યોજી હતી. શક્તિઓના કુદરતી વિકાસમાં રમત અને રમકડાંને મુખ્ય સ્થાન આપ્યું. કાગળકામ, સંગીત, નૃત્ય, સૃષ્ટિજ્ઞાન, સાદડીકામ, માટીકામ વગેરે દ્વારા હસ્તકૌશલ્ય અને વિવિધ…

વધુ વાંચો >

કુમારપ્પા જે. સી.

કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ…

વધુ વાંચો >

કુંજરુ હૃદયનાથ

કુંજરુ, હૃદયનાથ (જ. 1 ઑક્ટોબર 1887, આગ્રા; અ. 1978) : વિખ્યાત ધારાશાસ્ત્રી, કેળવણીકાર, સાંસદ તથા ઉદારમતવાદને વરેલા ભારતીય ચિંતક. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જાણીતા વકીલ. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી (1905) અને પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસસી. થયા અને તરત જ વકીલાત શરૂ કરી. 1920માં…

વધુ વાંચો >

કેન્દ્રીય વિદ્યાલયો

કેન્દ્રીય વિદ્યાલયો : બીજા પગારપંચની ભલામણને આધારે સંરક્ષણ-કાર્યમાં રોકાયેલા કર્મચારીઓનાં સંતાનો તથા બદલીને કારણે સ્થળાંતર કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓનાં સંતાનો માટે 1962થી ભારત સરકારે શરૂ કરેલાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનાં વિદ્યાલયો. તેમની સંખ્યા હાલ 500થી વધુ છે. ભારતભરમાં આ વિદ્યાલયો જ્યાં સૈન્યોની છાવણી હોય તથા કેન્દ્રીય સેવાના કર્મચારીઓ…

વધુ વાંચો >

કેમ્બ્રિજ યુનિવર્સિટી

કેમ્બ્રિજ યુનિવર્સિટી : ઇંગ્લૅન્ડની જગપ્રસિદ્ધ યુનિવર્સિટી. લંડનથી ઉત્તર દિશામાં 80 કિમી. દૂર કૅમ નદીને કાંઠે કેમ્બ્રિજ શહેરમાં આ યુનિવર્સિટી સ્વાયત્ત સંસ્થા તરીકે સદીઓ પૂર્વે સ્થપાયેલી છે. 1209ની સાલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ કેમ્બ્રિજ ચાલી આવ્યા. ઑક્સફર્ડની મર્ટન કૉલેજના મૉડલ પર 1284માં પીટર હાઉસ નામની પહેલી કૉલેજ સ્થાપવામાં આવી. ત્યારપછીનાં 300…

વધુ વાંચો >

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ)

કેમ્બ્રિજ સ્કૂલ (ઑવ્ ઇકૉનૉમિક્સ) : ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ વિકાસ પામેલી આર્થિક વિચારસરણી. 1922માં કેઇન્સે ‘કેમ્બ્રિજ ઇકૉનૉમિક હૅન્ડબુક્સ સિરીઝ’ની પ્રસ્તાવનામાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’નો શબ્દપ્રયોગ કરીને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપકોનો ઉલ્લેખ કર્યો હતો. આલ્ફ્રેડ માર્શલ અને પિગૂ બંનેને આ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. ડી. એચ. રૉબટર્સન, એફ. લેવિંગ્ટન, એચ.…

વધુ વાંચો >