વિજ્ઞાન (સામાન્ય)

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ : એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને અત્યારે તે માટે બુદ્ધિ-શક્તિના પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓ વચ્ચે વાંચતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત વિકાસના ઇતિહાસની ઝલક મળી રહે છે. આજે એક તરફ થોડાક લોકોને માટે મૂડીનું…

વધુ વાંચો >

વિજ્ઞાન અને સમાજ

વિજ્ઞાન અને સમાજ : વિજ્ઞાનનો સમાજ સાથે સંબંધ કાળાંતરે બદલાતો રહ્યો છે. તેથી સમાજ ઉપર વિજ્ઞાનના પ્રભાવની અસરો પણ બદલાતી રહી છે. તે જાણવાસમજવા માટે વિજ્ઞાનના ઇતિહાસની ભૂમિકા તરફ દૃષ્ટિ કરવી આવશ્યક છે. વિજ્ઞાનની વિકાસકથાનું લંબાણે નિરૂપણ ન કરતાં એટલું તો જરૂરથી કહી શકાય તેમ છે કે વિજ્ઞાનનો ઇતિહાસ અતીત…

વધુ વાંચો >

વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન (Science, Religion and Philosophy)

વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન (Science, Religion and Philosophy) : વિજ્ઞાનનું તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનનું વિજ્ઞાન એ બંને મૂળભૂત રીતે એક જ છે, કારણ કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. બંનેમાં એક બાબત સમાન છે અને તે છે અગાધ/તલસ્પર્શી વિચારચિંતન. વિજ્ઞાનનો માર્ગ ભૌતિક બાબતોને અનુલક્ષીને અને તત્વજ્ઞાનનો…

વધુ વાંચો >

વિજ્ઞાન-નીતિ અને વિજ્ઞાન-વિકાસ – ભારતના સંદર્ભે

વિજ્ઞાન-નીતિ અને વિજ્ઞાન-વિકાસ – ભારતના સંદર્ભે : રોટી, કપડાં, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંચારણ જેવી અન્ય સુવિધાઓને આધારે માણસના ચહેરાને ચમકતો રાખી શકાય તે રીતે વિજ્ઞાનશક્તિના આયોજનની રૂપરેખા. આમ તો, આર્થિક આયોજન અને રાજકીય નીતિના પાયામાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી રહેલાં હોય છે. આથી જ તો, ટૅક્નૉલૉજી-આધારિત રાજ્યવ્યવસ્થાને ‘ટેક્નૉક્રસી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

વિજ્ઞાનનું તત્વજ્ઞાન (philosophy of science)

વિજ્ઞાનનું તત્વજ્ઞાન (philosophy of science) તત્વજ્ઞાનની વિજ્ઞાનવિષયક એક શાખા છે. તેમાં પ્રાકૃતિક અને સમાજલક્ષી એમ બંને પ્રકારનાં વિજ્ઞાનોના તાર્કિક (logical) અને તાત્વિક (metaphysical) પ્રશ્નો અંગે વિચાર કરવામાં આવે છે. તેથી તેમાં તત્વજ્ઞાનની દૃષ્ટિએ થતા પદ્ધતિવિચાર(methodology)ની અને જગતના વાસ્તવિક સ્વરૂપ(reality)ની મીમાંસા કરવામાં આવે છે. (અહીં પ્રાકૃતિક વિજ્ઞાનોનું તત્વજ્ઞાન રજૂ કર્યું છે.)…

વધુ વાંચો >

વિજ્ઞાન-મેળો

વિજ્ઞાન-મેળો : શાળાના વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજનબદ્ધ પ્રદર્શન. આઝાદી બાદ રાષ્ટ્રના વિકાસ માટે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની નીતિ ઘડી કાઢવામાં આવી. તે માટે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ અને સંશોધનસંસ્થાઓ ઊભી કરવામાં આવી. તે…

વધુ વાંચો >

વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ

વિજ્ઞાનશિક્ષણની સંશોધનપદ્ધતિ : વિજ્ઞાનશિક્ષણની સરળતા અને અસરકારકતા માટે આવશ્યક ચિંતિત સંશોધનાત્મક અભ્યાસ. વીસમી સદીમાં વિજ્ઞાને માનવજીવન ઉપર જબરદસ્ત પ્રભાવ પાડ્યો છે. વિજ્ઞાનથી અત્યારે સ્વાસ્થ્ય, સંચારણ, પરિવહન અને પાવર દ્વારા માણસનો ચહેરો બદલાઈ રહ્યો છે. એક અદ્યતન ઓરડામાં બેઠે બેઠે વિજ્ઞાનનાં પરિણામો દૃષ્ટિગોચર થાય છે. પરિસર પણ વિજ્ઞાનની પ્રજાતિ કરાવે છે.…

વધુ વાંચો >

વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન

વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન : સમસ્યાઓના સમાધાન પરત્વે વાસ્તવિકતાનો અભિગમ. વૈજ્ઞાનિક પદ્ધતિઓનું નિર્માણ એ વિજ્ઞાનનું પ્રમુખ પ્રદાન રહ્યું છે. આથી જ તો વિજ્ઞાને જીવન અને વિશ્વનો બહુ પહોળો પટ આવરી લીધો છે. વિજ્ઞાનની વિશેષતાઓ માત્ર વિજ્ઞાનીઓ સુધી સીમિત નથી રહી. સમસ્યાઓ ભલે વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક, વ્યક્તિગત કે સમૂહગત હોય;…

વધુ વાંચો >

વ્હિસ્લર

વ્હિસ્લર : સુસવાટા મારતું વાતાવરણ. સંવેદનશીલ ધ્વનિવર્ધક (audioamplifier) વડે પ્રસંગોપાત્ત, ઉત્સર્જિત થતો ઉચ્ચથી નિમ્ન આવૃત્તિવાળો, હળવેથી પસાર થતો (gliding) આ ધ્વનિ છે. પ્રારંભમાં તે અડધી સેકન્ડ જેટલો ટકે છે. ત્યારબાદ સમાન અંતરાલે (સમયાંતરે) તેનું પુનરાવર્તન થતું હોય છે. તે પછી, આવો અંતરાલ લાંબો થતો અને મંદ પડતો જાય છે. વાતાવરણમાં…

વધુ વાંચો >

શ્રવણ

શ્રવણ : કર્ણ દ્વારા ધ્વનિના તરંગોને ગ્રહણ કરતાં થતો અનુભવ. (સંસ્કૃત : श्रु + अण = श्रवण ભાવવાચક નામ) કર્ણ માત્ર એવું સંવેદનાંગ છે, જેના દ્વારા મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં શ્રવણશક્તિનું આકલન થાય છે. એટલે કે અવાજનાં મોજાંને તેથી પારખી શકાય છે. અગાઉ મનુષ્ય દ્વારા સાંભળી શકાય  તેને જ ‘અવાજ’…

વધુ વાંચો >