વનસ્પતિરોગશાસ્ત્ર

વનસ્પતિરોગશાસ્ત્ર

વનસ્પતિરોગશાસ્ત્ર વનસ્પતિ-રોગો સાથે સંકળાયેલું વિજ્ઞાન. વનસ્પતિરોગશાસ્ત્રનું એટલે કે રોગિષ્ઠ છોડનું જ્ઞાન થોડાંક હજાર વર્ષ પુરાણું છે; તેમ છતાં તેના વિશે ચોક્કસ જાણ નથી કે માણસે ક્યારે વ્યાધિજનની અસરકારકતાને ધ્યાનમાં લીધી એવા કોઈ લેખિત પુરાવાઓ મળતા નથી; પરંતુ જીવાશ્મીય (palaeontological) અભ્યાસ એવો પુરાવો આપે છે કે કેટલાક છોડનાં મૂળના અવશેષોમાં ફૂગના…

વધુ વાંચો >

વાનસ્પતિક રોગકારકો

વાનસ્પતિક રોગકારકો : વનસ્પતિની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા કરીને તેની વૃદ્ધિ અને ઉત્પાદન ઉપર માઠી અસર માટે કારણભૂત સૂક્ષ્મજીવો (microbes) અને વિપરીત પર્યાવરણિક પરિબળો જેવા ઘટકો. રોગકારક સૂક્ષ્મજીવોમાં મુખ્યત્વે જીવાણુ (bacteria), ફૂગ (fungus), લીલ (alga), પ્રજીવો, કૃમિ, વિષાણુ, રિકેટ્સિયા, માઇક્રોપ્લાઝ્મા અને સ્પાઇરોપ્લાઝ્માનો સમાવેશ થાય છે. જ્યારે નિર્જીવ રોગકારકોમાં નીચે જણાવેલ…

વધુ વાંચો >

વાનસ્પતિક રોગનિવારકો

વાનસ્પતિક રોગનિવારકો : પરોપજીવી સૂક્ષ્મજીવો તેમજ વિપરીત પર્યાવરણિક અસર હેઠળ કૃષિપાકમાં ઉદભવતા વિવિધ પ્રકારના રોગોના નિયંત્રણાર્થે યોજતા ઉપચારો. રોગનિયંત્રણનો મુખ્ય હેતુ રોગને અટકાવવાનો અથવા ઘટાડવાનો છે; જેથી પાકના નુકસાનનું પ્રમાણ ઘટાડી શકાય. રોગનો સંપૂર્ણ નાશ કરવો એ ઘણું જ કઠિન છે. કેટલાક રોગોને કાબૂમાં લેવા ફક્ત એક જ રોગનિવારકનો ઉપયોગ…

વધુ વાંચો >

વાનસ્પતિક વંધ્યત્વ

વાનસ્પતિક વંધ્યત્વ : કેટલાક સૂક્ષ્મજીવો(microbes)ના ચેપની વિપરીત અસર હેઠળ કૃષિપાકોમાં ઉદભવતું વંધ્યત્વ. વનસ્પતિ પર ઊગતાં ફૂલો અથવા ફૂલ પેદા કરતી કૂંપળોમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ થતાં પ્રજનન માટેનાં ફૂલોના જેવા ભાગોમાં દેહધાર્મિક વિકૃતિ પેદા થાય છે. આવી વિકૃતિ પેદા કરવામાં વિષાણુ, માઇક્રોપ્લાઝ્મા (MLO) જેવા અતિસૂક્ષ્મજીવો ઇતડી(mite)ના આક્રમણથી વનસ્પતિમાં દાખલ થતાં છોડ વંધ્ય…

વધુ વાંચો >

વિશીર્ણતા (wilting)

વિશીર્ણતા (wilting) : વનસ્પતિઓને થતો એક રોગ. આ રોગમાં વનસ્પતિઓ નિર્જલીકરણ (dehydration) અનુભવે છે અને શુષ્કતા (draught) દર્શાવે છે. રોગજન (pathogen) નિર્જીવ જલવાહિનીમાં વસાહત બનાવે છે. તેમના પ્રવર્ધ્યો (propagules) અને ચયાપચયકો (metabolites) ઉત્સ્વેદન-બળ(transpiration-pull)ને કારણે ઉપરની દિશામાં વહન પામે છે. રોગજન જલવાહક મૃદુતક (xylem parenchyma), મજ્જાકિરણો (medullary rays), અન્નવાહક (phloem) અને…

વધુ વાંચો >

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરટેટીને થતા રોગો. તેને ફૂગ અને બૅક્ટેરિયા દ્વારા રોગો થાય છે. કેટલાક જાણીતા રોગો આ પ્રમાણે છે : (1) તળછારો (downy mildew) (સ્યૂડોપેરોનોસ્પોરા ક્યુબે-નસિસ) : આ એક ફૂગજન્ય રોગ છે. આ રોગની શરૂઆતમાં પરિપક્વ પાનની ઉપરની બાજુએ અનિયમિત આકારનાં પીળાશ પડતાં ધાબાં પડે છે.…

વધુ વાંચો >

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ

શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરિયાને થતા રોગો. તેને ફૂગ દ્વારા રોગો થાય છે. કેટલાક રોગો આ પ્રમાણે છે : (1) સફેદ ગેરુ : આ રોગ આલ્બ્યુગો આઇપૉમી (Albugo ipomoea) નામની ફૂગથી થાય છે. આ રોગનું આક્રમણ છોડની પાછલી અવસ્થામાં થાય છે. પાન પર તેની અસર થાય તે પહેલાં…

વધુ વાંચો >

શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar)

શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar) : ડાંગરના પાકમાં નુકસાન કરતી માથા પર લાલ રંગનાં બે શિંગડાં જેવી રચનાવાળી જીવાત. ભારતના ડાંગર પકવતાં લગભગ બધાં જ રાજ્યોમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તે એક ગૌણ જીવાત છે. તેનું વૈજ્ઞાનિક નામ મેલાનિટિસ લેડા ઇસ્મેન (Melanitis Leda ismene, Cramer) છે. તેનો રોમપક્ષ (Lepidoptera)…

વધુ વાંચો >

શિંગનો સુકારો

શિંગનો સુકારો : શિંગો અગર અન્ય વનસ્પતિના ફળ કે બીજ ઉપરનો ફૂગ કે વિષાણુજન્ય રોગ. કઠોળ વર્ગની કેટલીક વનસ્પતિ ઉપર ફલિનીકરણ થયા બાદ વ્યાધિજનક જીવાણુઓ, ફૂગ કે વિષાણુના આક્રમણથી શિંગોનો વિકાસ અટકી જાય છે. પાકના આ રોગને શિંગનો સુકારો કહે છે. શિંગની શરૂઆતની કુમળી અવસ્થામાં આ આક્રમણ થવાથી બીજાશય અપરિપક્વ…

વધુ વાંચો >

શ્યામ છારો

શ્યામ છારો : વનસ્પતિની પ્રકાશ-સંશ્લેષણની પ્રક્રિયામાં અવરોધ પેદા કરનાર ફૂગજન્ય રોગ. વનસ્પતિના વિવિધ ભાગો (જેવાં કે પાન, ડાળી, ફળ અથવા શિંગ) ઉપર કાળા પાઉડરસ્વરૂપે પરોપજીવી અથવા મૃતોપજીવી ફૂગની વૃદ્ધિ અથવા ફૂગના બીજાણુ દંડ અથવા બીજાણુઓ પેદા થાય છે. આ ફૂગની વૃદ્ધિ મુખ્યત્વે ચોમાસા દરમિયાન અથવા શિયાળાના ઝાકળવાળા દિવસોમાં વધુ જોવા…

વધુ વાંચો >