રાજ્યશાસ્ત્ર
મુખરજી, હિરેન
મુખરજી, હિરેન (જ. 23 નવેમ્બર 1907; અ. 30 જુલાઈ 2004, કૉલકાતા) : ભારતના અગ્રણી સામ્યવાદી નેતા તથા વિખ્યાત સાંસદ. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયા પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી. લિટ. અને ત્યારબાદ બાર-એટ-લૉ થયા. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન સામ્યવાદી વિચારસરણી પ્રત્યે આકર્ષાયા, જેમાં ઇંગ્લૅન્ડની સામ્યવાદી પાર્ટીના પ્રમુખ નેતા રજની…
વધુ વાંચો >મુખ્ય મંત્રી
મુખ્ય મંત્રી : ભારતમાં ઘટક રાજ્યની સરકારના ચૂંટાયેલા રાજકીય વડા. સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણે ભારતને ‘રાજ્યોના સંઘ’ તરીકે ઓળખાવેલ છે. 1956ના સાતમા બંધારણીય સુધારાથી ભારતના રાજ્યવિસ્તારોની બે શ્રેણી બતાવાઈ છે : (અ) રાજ્ય અને (બ) સંઘ રાજ્યક્ષેત્ર. હાલમાં ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ,…
વધુ વાંચો >મુત્સદ્દીગીરી
મુત્સદ્દીગીરી : સ્વતંત્ર રાજ્યની ઓળખનું તથા અન્ય રાજ્યો સાથેના સંબંધોનું સંચાલન કરવા માટેનું રાષ્ટ્રીય નીતિનું મહત્વનું સાધન. ઑક્સફર્ડ કોશ મંત્રણાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધોનું સંચાલન કરતી એક પદ્ધતિ તરીકે તેનો પરિચય કરાવે છે. પ્રાચીન સમયમાં ગડીબંધ દસ્તાવેજ માટે ‘diplous’ શબ્દ ઉપયોગમાં લેવાતો, જેના પરથી ‘diplomacy’ શબ્દ પ્રચલિત બન્યો. પ્રારંભે તે માત્ર…
વધુ વાંચો >મુનશી, કનૈયાલાલ માણેકલાલ
મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…
વધુ વાંચો >મુબારક હોસ્ની
મુબારક હોસ્ની (જ. 4 મે 1928, ક્રાફ-અલ-મેસેલ્લાહ કેરોની ઉત્તરે 130 કિમી. પર આવેલું ગામ.) : ઇજિપ્તના પ્રમુખ 1981માં બન્યા તે પૂર્વે અનવર સાદત સરકારમાં ઉપપ્રમુખ અને હવાઈ દળના વડા હતા. તેમણે 30 વર્ષ સુધી ઇજિપ્તના ચોથા પ્રમુખ તરીકેનો કાર્યકાળ ભોગવ્યો. 14 ઑક્ટોબર, 1981થી 11 ફેબ્રુઆરી, 2011 સુધી તેઓ ઇજિપ્તના પ્રમુખ…
વધુ વાંચો >મુર્મૂ, દ્રોપદી
મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મૂનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…
વધુ વાંચો >મુલરોની, બ્રાયન
મુલરોની, બ્રાયન (જ. 20 માર્ચ 1939, બાય-કોમેયુ, ક્વિબેક) : કૅનેડાના રાજનીતિજ્ઞ. તેમણે ક્વિબેકની લૉ કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના વહીવટી અધિકારી તરીકે પોતાની કારકિર્દીનો વિકાસ કર્યો ત્યાં સુધી રાજકીય જીવનમાં પ્રવેશવાનો તેમનો ઇરાદો નહોતો. 1983માં કૅનેડાની પ્રોગ્રેસિવ કન્ઝરવેટિવ પાર્ટીમાં જોડાયા અને સક્રિય…
વધુ વાંચો >મુશર્રફ, પરવેઝ
મુશર્રફ, પરવેઝ (જ. 11 ઑગસ્ટ 1943, દિલ્હી) : પાકિસ્તાનના પ્રમુખ સર્વોચ્ચ વહીવટી અધિકારી અને લશ્કરના સરસેનાધિપતિ. પિતા સઈદ મુશરફુદ્દીન ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતે સરકારી અધિકારી હતા. હિંદુસ્તાનના વિભાજન સમયે લોહિયાળ હુલ્લડો ફાટી નીકળે તે પૂર્વે સહીસલામત પસાર થયેલી છેલ્લી ટ્રેનમાં તેમનું કુટુંબ પાકિસ્તાન રવાના થયું અને કરાંચીમાં સ્થિર થયું. જૂની દિલ્હીના,…
વધુ વાંચો >મુસ્સાદિક, મોહમ્મદ
મુસ્સાદિક, મોહમ્મદ (જ. 1880, તહેરાન; અ. 5 માર્ચ 1967, તહેરાન, ઈરાન) : ઈરાનના રાજકીય નેતા અને વડાપ્રધાન. તેમણે 1914થી ’25 દરમિયાન વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી, પરંતુ 1925માં ઈરાનના શાહે લગભગ સરમુખત્યાર જેવી સત્તાઓ હાંસલ કરતાં સરકારી હોદ્દા પરથી તેઓ ખસી ગયા. 1942માં ઈરાનની મજલિસ(સંસદ)માં તેઓ ચૂંટાયા અને…
વધુ વાંચો >મુંદ્રા કૌભાંડ
મુંદ્રા કૌભાંડ : જીવનવીમા નિગમના નાણાભંડોળનું ગેરરીતિભર્યું મૂડીરોકાણ કરવા અંગેનું કૌભાંડ. 1956ના કાયદાથી ભારતમાં સ્વાયત્ત જીવનવીમા નિગમની રચના થઈ. એથી ખાનગી ક્ષેત્ર હેઠળ ચાલતો વીમાઉદ્યોગ જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. વીમાદારોના પ્રીમિયમથી રચાયેલું ઘણું મોટું ભંડોળ આ નિગમ ધરાવતું; જેનાં નાણાંનું મૂડીરોકાણ અન્ય સંસ્થાઓમાં કરવામાં આવતું હતું. આ નાણાં રોકવા અંગે…
વધુ વાંચો >