મલયાળમ સાહિત્ય

એમ. મુકુન્દન્

એમ. મુકુન્દન્ [જ. 10 સપ્ટેમ્બર 1942, મય્યષી (માહી), ભૂતપૂર્વ ફ્રેંચ વસાહત, ઉત્તર કેરળ] : મલયાળમના જાણીતા નવલકથાકાર તથા અગ્રેસર વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘દૈવત્તિન્ટે વિકૃતિકળ’ (ઈશ્વરની ચેષ્ટાઓ) માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મય્યષી શહેરની લાબોરદોને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. 1968થી તેઓ નવી દિલ્હી ખાતે…

વધુ વાંચો >

એષુત્તચ્છન, તુંચત રામાનુજન

એષુત્તચ્છન, તુંચત રામાનુજન(જ. 1595 કેરાલા,; અ.-) : મલયાળમ લેખક (પંદરમી સદી). અંગ્રેજી સાહિત્યના ચૉસરની જેમ તે મલયાળમ સાહિત્યના પિતા ગણાય છે. શૂદ્ર જાતિના હતા અને પોતાના મોટા ભાઈના શિષ્ય હતા. એમનો વ્યવસાય અધ્યાપનનો હતો અને તેમણે જ્ઞાનપ્રાપ્તિ માટે તીર્થયાત્રા-દેશભ્રમણ કરેલાં. કેરળમાં ચિટ્ટુરમાં તેમણે એક ગુરુમઠ સ્થાપ્યો હતો. ભારતીય સંત કવિઓની…

વધુ વાંચો >

એળુતચન કે. એન.

એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી…

વધુ વાંચો >

ઓટક્કુખલ

ઓટક્કુખલ : મલયાળમ કાવ્યસંગ્રહ. રચના (1920-50). ઓટક્કુખલનો અર્થ બંસરી અથવા વાંસળી. કવિ જી. શંકર કુરુપ(1901-1978)નો 60 કાવ્યોનો આ સંગ્રહ છે. 1950માં પ્રગટ થયેલા આ કાવ્યસંગ્રહને 1965માં ભારતીય જ્ઞાનપીઠનો (રૂ. એક લાખનો) પ્રથમ પુરસ્કાર અર્પણ થયેલો. આ કાવ્યો વિચાર અને ભાવની સમૃદ્ધિની ર્દષ્ટિએ મલયાળમના આ મહાન કવિના કવિત્વનું પ્રતિનિધિત્વ કરે છે.…

વધુ વાંચો >

ઓરુ દેશાથિન્તે તેયા

ઓરુ દેશાથિન્તે તેયા (1972) : એસ. કે. પોટ્ટેક્કાટ લિખિત મલયાળમ નવલકથા. આ નવલકથાને કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ(1972)થી નવાજવામાં આવેલ. કાલીકટ નજીકના અથિરાનિપ્પદમ્ નામના પરગણાના ત્રણ દશકા સુધીના સમયગાળાના શ્રમજીવીઓના જીવનનો ચિતાર આપતી આ કથા છે. અહીં મહાનગરની હરણફાળમાં એક ગ્રામીણ વસ્તી હતી-ન-હતી થઈ જાય છે.…

વધુ વાંચો >

ઓરુવિલાપમ્

ઓરુવિલાપમ્ (1905) : મલયાળમ કાવ્યકૃતિ. લેખક વી. સી. બાલકૃષ્ણ પણિક્કર. ‘ઓરુવિલાપમ્’ એટલે રુદન. લેખકે પોતાની પત્નીના કૉલેરાથી થયેલા અકાળ મૃત્યુ વિશે આ કરુણપ્રશસ્તિ (elegy) રચેલી છે. બાલકૃષ્ણ પણિક્કર મલયાળમ રંગદર્શી કવિતાના ‘શુક્રતારક’ ગણાય છે. 27 શ્લોકોની આ કૃતિ 1905માં ‘કવન કૌમુદી’ સામયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી. મલયાળમ ભાષાની આ પ્રકારની…

વધુ વાંચો >

ઓલપ્પમન્ન

ઓલપ્પમન્ન (જ. 10 જાન્યુઆરી 1923, ઓલપ્પમન્ન મના, જિ. પાલઘાટ, કેરળ; અ. 10 એપ્રિલ 2000) : મલયાળમ કવિ. તેમના ‘નિષ્લાન’ નામક કાવ્યસંગ્રહને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો એવૉર્ડ મળ્યો છે. તેમનો પરિવાર કલાપ્રેમ તથા સ્વાતંત્ર્ય-આંદોલનમાંના સક્રિય સહયોગ માટે ખૂબ પ્રખ્યાત હતો. હાલ પાલઘાટમાં નિવાસ કરી ખેતી તથા રબર-ઉત્પાદનમાં તેઓ રસ લઈ…

વધુ વાંચો >

કઝિંજ કાલમ્ (1957)

કઝિંજ કાલમ્ (1957) : મલયાળમ લેખક, કેરળના પત્રકાર અને નેતા કે. પી. કેશવ મેનન(1886-1978)ની આત્મકથા. કઝિંજ કાલમ્ એટલે ભૂતકાળ. એમાં એમના જીવનનાં 70 વર્ષ સુધીની કહાણી છે. મલબારના મધ્યમવર્ગના કુટુંબમાં જન્મેલા મેનને કેરળ અને ચેન્નાઈમાં શિક્ષણ લઈ વિલાયત જઈ બૅરિસ્ટરની પદવી મેળવી. અભિમાન કે બડાશ વિના લેખકે તેમના જીવનનાં અનેક…

વધુ વાંચો >

કણ્ણુનીર્ત્તુળિળ (1924)

કણ્ણુનીર્ત્તુળિળ (1924) : મલયાળમ ભાષાનું કરુણપ્રશસ્તિ કાવ્ય (elegy). કણ્ણુનીર્ત્તુળિળ એટલે ‘આંસુનાં બુંદ’. નાલપ્પાટ્ટુ નારાયણ મેનન(1888-1954)નું રચેલું આ શોકકાવ્ય તેમનાં પત્નીના મૃત્યુને આપેલી સ્મરણાંજલિ છે. આ સ્મરણમંદિરની ઈંટો આંસુના સિંચનથી ચણાઈ છે. આ કાવ્ય કવિ મેનનના વ્યથાપૂર્ણ જીવનની છંદોમય અભિવ્યક્તિ છે. પોતાની બાલ-સખી અને પ્રાણપ્રિય પત્નીના મૃત્યુથી જન્મેલ ભીષણ એકાંત અને…

વધુ વાંચો >

કયર

કયર : મલયાળમ નવલકથા. તફઝી શિવશંકર પિલ્લૈ(જ. 1912)ની આ છેલ્લી અને બૃહદ નવલકથા છે. આ નવલકથાએ લેખકને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારનું સન્માન અપાવ્યાં છે. આ કથામાં કેરળના આલપ્પી જિલ્લાના કાથી-વણકરો તથા કારીગરોના જીવનની ત્રણ પેઢીની વિશાળ ભૂમિકા છે. એક કલાકૃતિ તરીકે ભલે તે લેખકની શ્રેષ્ઠ નવલકથા ન ગણાય,…

વધુ વાંચો >