મરાઠી સાહિત્ય

દળવી, જયવંત

દળવી, જયવંત (જ. 1925, અરવલી, કોંકણ; અ. 1994, મુંબઈ) : વિખ્યાત મરાઠી લેખક. તેમણે નવલકથા, નાટક, નવલિકા, પ્રવાસવર્ણન તથા એકાંકી – એમ સાહિત્યના અનેક પ્રકારો ખેડ્યા. કૉલેજના પ્રથમ વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું એટલે કૉલેજ છોડી આંદોલનમાં ભાગ લીધો. આંદોલન પૂરું થતાં લોકસેવામાં સક્રિય બન્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસમાં…

વધુ વાંચો >

દાંડેકર, ગોપાલ નીલકંઠ

દાંડેકર, ગોપાલ નીલકંઠ (જ. 8 જુલાઈ 1916, પરતવાડા, જિ. અમરાવતી; અ. 1 જૂન 1998) : મરાઠી લેખક. વાર્તા, નવલકથા, ઇતિહાસ, સંસ્કૃતિના અભ્યાસી તથા કીર્તનકાર. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું…

વધુ વાંચો >

દેવી, ગણેશ નારાયણદાસ

દેવી, ગણેશ નારાયણદાસ (જ. 1950, ભોર, મહારાષ્ટ્ર) : જાણીતા વિવેચક અને પ્રાધ્યાપક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘આફ્ટર એમ્નીસિયા : ટ્રેડિશન ઍન્ડ ચેંજ ઇન ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમ’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે તેમનું ઉચ્ચ શિક્ષણ શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુર તથા લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાં મેળવ્યું છે. 1979માં તેમણે…

વધુ વાંચો >

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’

દેશપાંડે, આત્મારામ રાવજી, ‘અનિલ’ (જ. 11 સપ્ટેમ્બર 1901, મૂર્તિજાપુર; અ. 1982; નાગપુર) : મરાઠી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ નાગપુરમાં. બી.એ., એલએલ.બી. થયા પછી ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી. ત્યારપછી નાગપુર ખાતે સમાજશિક્ષણ-વિભાગના સંચાલક તરીકે કામ કર્યું. ત્યાર બાદ દિલ્હી ખાતેના નૅશનલ ફંડામેન્ટલ એજ્યુકેશન સેન્ટરના નિયામક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી…

વધુ વાંચો >

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ

દેશપાંડે, કુસુમાવતી આત્મારામ (જ.10 નવેમ્બર 1904, નાગપુર; અ. 17 નવેમ્બર 1961, દિલ્હી) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. અંગ્રેજી વિષય લઈને બી.એ. નાગપુર વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ ક્રમે પાસ થયાં. પછી અંગ્રેજી સાહિત્યના વિશેષ અધ્યયન માટે લંડન ગયાં. ત્યાં અંગ્રેજીમાં પ્રથમ વર્ગમાં બી.એ. કર્યા પછી નાગપુરની મૉરિસ કૉલેજમાં 1931–55 દરમિયાન અંગ્રેજીનાં અધ્યાપિકા રહ્યાં.…

વધુ વાંચો >

દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ

દેશપાંડે, નાગોરાવ ઘનશ્યામ (જ. 21 ઑગસ્ટ 1909, સેનદુર્જાન, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર; અ. 2000) : મરાઠીના જાણીતા કવિ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રમાં બી. એ.ની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી. તેમની કૃતિઓની વિશેષતા એ છે કે તેમાં સંગીતમયતા અને કોઈ પણ સમસ્યા પ્રત્યે તટસ્થતા અથવા કોઈ પ્રયોગ પ્રતિ એક પ્રકારની અલિપ્તતા…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત

દેશપાંડે, પુરુષોત્તમ યશવંત (જ. 11 ડિસેમ્બર 1899, અમરાવતી; અ. 1986) : મરાઠી લેખક. મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. (1925) અને પછી પુણે વિશ્વવિદ્યાલયમાંથી એલએલ.બી.-(1927)ની પરીક્ષા આપ્યા પછી વકીલાત શરૂ કરી. યુવાનવયથી જ રાજકારણમાં રસ હતો. અને એથી 1921, 1932 અને 1942ના સ્વાતંત્ર્યસંગ્રામમાં એમણે ભાગ લીધો. 1932 અને 1942ના આંદોલનમાં ભાગ લેવા બદલ…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ (જ. 8 નવેમ્બર 1919, મુંબઈ; અ. 12 જૂન 2000, પુણે) : મરાઠીના ઉત્કૃષ્ટ કોટિના હાસ્યલેખક, નાટ્યકાર, રંગભૂમિ તથા ચલચિત્ર જગત સાથે અભિનેતા, સંગીતકાર, પટકથાલેખક તથા દિગ્દર્શક તરીકે નજીકથી સંકળાયેલા કલાકાર. શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત છે. પિતાના મૃત્યુને કારણે બી.એ. થયા પછી નોકરીએ લાગી ગયા. સાથે સાથે મહાન…

વધુ વાંચો >

દેશમુખ, સદાનંદ નામદેવરાવ

દેશમુખ, સદાનંદ નામદેવરાવ (જ. 1959, અમ્દાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બારેમાસ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મરાઠી સાહિત્યમાં એમ.એ. તથા બી.એડ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ હાલ તેઓ એક જુનિયર કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો…

વધુ વાંચો >

દેસાઈ, રણજિત

દેસાઈ, રણજિત (જ. 8 એપ્રિલ 1928, કોયના; જિ. સાતારા, અ. 6 માર્ચ 1992, મુંબઈ) : મરાઠી લેખક. ટૂંકી વાર્તા, નવલકથા તથા નાટકના પ્રસિદ્ધ લેખક. એમણે માધ્યમિક શિક્ષણ સાતારામાં લીધું ને આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક પછી આગળ ભણી શક્યા નહિ. એ શાળામાં હતા ત્યારે ‘પ્રસાદ’ નામના મરાઠી માસિકે વાર્તાસ્પર્ધા યોજી હતી.…

વધુ વાંચો >