બળદેવભાઈ કનીજિયા

મિર્ઝા આરિફબેગ

મિર્ઝા આરિફબેગ (મિર્ઝા જી. એચ. બેગ ‘આરિફ’) (જ. 13 સપ્ટેમ્બર 1910, કદીપોરા, અનંતનાગ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમને તેમના સાહિત્યવિષયક પ્રદાન બદલ 1985ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે એ. એમ. યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. પછી રેશમ-ઉત્પાદન નિયામક તરીકે કામગીરી કરી. ત્યારબાદ કાશ્મીર…

વધુ વાંચો >

મિલર, આર્થર

મિલર, આર્થર (જ. 17 ઑક્ટોબર 1915, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 10 ફેબ્રુઆરી 2005, રોક્ષબરી, કનેકટીકટ, યુ.એસ.) : અમેરિકન નાટ્યલેખક. તેમના પિતાની નાણાકીય પાયમાલીને કારણે તેમનામાં યુવાનવયે ઉદાસી છવાઈ ગઈ અને તેમનું અસ્તિત્વ જાણે જોખમાઈ ગયું. હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ તેમણે વેરહાઉસમાં કામ કરીને મિશિગન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન નાટકો…

વધુ વાંચો >

મિશ્ર, કાશીનાથ

મિશ્ર, કાશીનાથ (જ. 1 જાન્યુઆરી 1930, રાણીટોલા, જિ. સમસ્તીપુર, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હર્ષચરિતમંજરી’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બિહાર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા બિહાર સંસ્કૃત ઍસોસિયેશન, પટણામાંથી વ્યાકરણાચાર્ય અને સાહિત્યાચાર્યની પદવી પ્રાપ્ત કરેલી. તેઓ સંસ્કૃત ઉપરાંત હિંદી,…

વધુ વાંચો >

મિશ્રમંજરી

મિશ્રમંજરી (1963) : તેલુગુ છંદ-કાવ્યોનો અદ્યતન સંગ્રહ. આ કૃતિને 1965ના વર્ષનો ભારતીય કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિના રચયિતા રાયપ્રોલુ સુબ્બારાવ આચાર્યે (જ. 1892) તેમાં પ્રેમનો વિષય છેડ્યો છે. પ્રેમ તમામ નૈતિકતાનું રહસ્ય છે અને પ્રેમનું હાસ્ય વિશ્વને પ્રકાશિત કરે છે, એવી ભાવનાની તેમાં પ્રતીતિ થાય છે.…

વધુ વાંચો >

મિશ્ર, સૌભાગ્યકુમાર

મિશ્ર, સૌભાગ્યકુમાર (જ. 1941, બરહામપુર, ઓરિસા) : ઓરિસાના જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દ્વા સુપર્ણા’ બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી અને હાલ બરહામપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરે છે. અત્યાર સુધીમાં તેમનાં 6 કાવ્યસંગ્રહો, 2 વિવેચનગ્રંથો…

વધુ વાંચો >

મિશ્રા, હીરાદેવી

મિશ્રા, હીરાદેવી (જ. બનારસ) : ભારતનાં જાણીતાં ઠૂમરી-નિષ્ણાત અને અભિનેત્રી. પિતા સ્વરૂપસિંહ અને માતા મૌનાદેવી સંગીતનાં ભારે રસિયાં. બે ભાઈ – કેદારનાથ અને અમરનાથ – પણ અચ્છા તબલાવાદક. આમ તેમને વારસામાં સંગીત મળેલું. માત્ર 7 વર્ષની વયે તેમણે બનારસના પં. સરજૂપ્રસાદના હસ્તે ગંડાબંધન કરાવ્યું ને થોડો વખત તાલીમ લીધી. ત્યારબાદ…

વધુ વાંચો >

મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ

મિસ્ત્રી, જયકિશન ફકીરભાઈ (જ. 7 એપ્રિલ 1931, લીલાપોર, જિ. વલસાડ) : વિશ્વવિખ્યાત સિંચાઈ તજ્જ્ઞ. અત્યંત ગરીબ પરિવારમાં જન્મ. ગામના રસ્તા પરની વીજળીના દીવાના અજવાળે માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યો. 1955માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાશાખાની સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને વિશેષ યોગ્યતા સાથે મેળવી, તે પણ બબ્બે સુવર્ણચંદ્રકો સાથે.…

વધુ વાંચો >

મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ

મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ (જ. 1 ઑગસ્ટ 1939, ઘોડાસર, તા. મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતના જાણીતા કાષ્ઠશિલ્પી. સુથારી કામના કસબી પરિવારમાં જન્મ. પિતા એક જમાનામાં ઘોડાસર રાજ્યનું રાચરચીલું બનાવતા. પિતાનો કલાવારસો પુત્ર ત્રિકમલાલને ગળથૂથીમાંથી જ મળેલો. કલાની તાલીમ લેવા તેમના પિતાએ તેમને વડોદરામાં સોમનાથભાઈ મેવાડાને ત્યાં મોકલ્યા. ત્યારબાદ તેઓ પંચમહાલ જિલ્લાના…

વધુ વાંચો >

મીરચંદાણી, તારા

મીરચંદાણી, તારા (જ. 6 જુલાઈ 1930, હૈદરાબાદ, સિંધ, હાલ પાકિસ્તાન) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર તથા નાટ્યકાર. તેમને ‘હઠયોગી’ નામક નવલકથા માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. માત્ર 17 વર્ષની નાની વયે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. તેમનો લખવા-વાંચવાનો સાહિત્યિક શોખ પ્રોફેસર એમ. યુ. મલકાણીના સહવાસથી કેળવાયો–પોષાયો. તેમની પ્રથમ…

વધુ વાંચો >

મીર, રસૂલ

મીર, રસૂલ (જ. સેહાપુર, શાહાબાદ, કાશ્મીર; અ. 1870) : જાણીતા કાશ્મીરી કવિ. તેમના જીવન વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેમનું અવસાન યુવાનવયે થયાનું મનાય છે. તેઓ પ્રણયકાવ્યોના ઉત્તમ રચયિતા હતા. રહસ્યવાદી પદ્યરચનાઓના પ્રભાવના યુગમાં તેમણે પાર્થિવ પ્રિયાને સંબોધીને નિર્ભીકતાથી ગઝલો લખી. તેઓ હિંદુ સ્ત્રીને ચાહતા હોવાનું મનાતું હતું. તેમની…

વધુ વાંચો >