નૃત્યકલા

જોશી, દમયંતી

જોશી, દમયંતી (જ. 5 સપ્ટેમ્બર 1930, મુંબઈ અ. 19 સપ્ટેમ્બર 2004) : કથકલી તથા ભરતનાટ્યમના નૃત્યાંગના. માતા વત્સલા અને પિતા રામચંદ્ર ડી. જોશીનું એકમાત્ર સંતાન. સાધારણ સ્થિતિના મરાઠી કુટુંબમાં જન્મ છતાં બાળપણથી જ નૃત્ય વિશે અભિરુચિ હતી. આથી માત્ર 4 વર્ષની ઉંમરમાં લેડી લીલા સોખીનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે દમયંતીની…

વધુ વાંચો >

ઝવેરી બહેનો

ઝવેરી બહેનો : મણિપુરી નર્તનક્ષેત્રની કલાકાર બહેનો. ઝવેરી બહેનોમાં સૌથી નાનાં તે દર્શના (જ. 1939). બીજી 3 બહેનોનાં નામ નયના (1927–1986), રંજના (1930–) તથા સુવર્ણા (1935). ચારેય બહેનો નાની વયમાં મણિપુરી નૃત્યશૈલીની સુકુમારતા, મૃદુતા તથા ભક્તિસભરતાથી પ્રભાવિત થઈ તેના પ્રત્યે આકર્ષાઈ. એવામાં સર્જક પ્રતિભાવાળા ગુરુ બિપિનસિંહને ગુરુ રૂપે મેળવવા તેઓ…

વધુ વાંચો >

ઠાકોર, ઇલાક્ષી

ઠાકોર, ઇલાક્ષી (જ. 12 એપ્રિલ 1936, પુણે) : ભરતનાટ્યમનાં વિખ્યાત નૃત્યાંગના. પિતા ઠાકોરદાસ જયકિસનદાસ. તેઓ નામાંકિત હસ્તાક્ષરનિષ્ણાત હતા. તેમની તથા બહેન જયબાળાની પ્રેરણાથી તેમણે શાસ્ત્રીય નૃત્યક્ષેત્રમાં નાની ઉંમરે પદાર્પણ કર્યું. માતાનું નામ ધનલક્ષ્મી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પુણે ખાતે થયું હતું. કથક નૃત્યની પ્રારંભિક તાલીમ તેમણે 6–7 વર્ષ સુધી…

વધુ વાંચો >

દુર્ગાલાલ

દુર્ગાલાલ (જ. 9 સપ્ટેમ્બર 1948, મહેન્દ્રગઢ, રાજસ્થાન; અ. 31 જાન્યુઆરી 1990, લખનૌ) : ભારતના કથકનૃત્યકાર. પિતા ઓમકારલાલ અજમેર દરબારના રાજગાયક અને નર્તક હતા. તેમના બંને પુત્રો દેવીલાલ અને દુર્ગાલાલને ગળથૂથીમાં જ સંગીત અને કથક નૃત્યના સંસ્કાર મળ્યા હતા. દુર્ગાલાલે પ્રથમ પિતા પાસે અને પછી મોટા ભાઈ દેવીલાલ પાસે સંગીત-નૃત્યની તાલીમ…

વધુ વાંચો >

દોશી, બાબુભાઈ

દોશી, બાબુભાઈ (જ. 21 મે 1919, મોનપુર, મહુવા, ગુજરાત) : પ્રખર ક્લાસંસ્કારવિદ, ઊડિસી નૃત્યકલા અને સંસ્કૃતિમાં ગણનાપાત્ર યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના પૂર્વાંચલ પ્રદેશના અગ્રણી ગુજરાતી. ધર્મ, કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા, શિક્ષણ અને રાજકારણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અગત્યનું પ્રદાન. અડધી સદી ઉપરાંત એક ગુજરાતી તરીકે ઓરિસામાં પરપ્રાંતના…

વધુ વાંચો >

નાયર, રાઘવન્

નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર…

વધુ વાંચો >

નાંદી, અમલા

નાંદી, અમલા (જ. 27 જૂન 1919; અ. 24 જુલાઈ 2020, કૉલકાતા) : બંગાળી નૃત્યાંગના. પિતા અક્ષયકુમાર નાન્દી સંનિષ્ઠ સમાજસેવક તેમજ વિદ્યાવ્યાસંગી હતા. સંસ્કારી અને સુખી કુટુંબમાં ઊછરેલ અમલામાં બાળપણથી જ કલા, વિદ્યા તેમજ વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન થયું હતું. અગિયાર વર્ષની કુમળી વયે પિતા સાથે પૅરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૉલોનિયલ પ્રદર્શન…

વધુ વાંચો >

નૃત્યકલા

નૃત્યકલા : કોઈ ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા કે પછી ગતિનો જ આનંદ માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ. નૃત્ય કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી. સર્વપ્રથમ નૃત્ય-ચેષ્ટા સર્વસામાન્ય આનંદને વ્યક્ત…

વધુ વાંચો >

પરીખ, ઇષિરા

પરીખ, ઇષિરા (જ. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા…

વધુ વાંચો >

પાણિગ્રહી સંયુક્તા

પાણિગ્રહી, સંયુક્તા (જ. 24 ઑગસ્ટ 1944, બિશમપુર, ઓરિસા; અ. 24 જૂન 1997, ભુવનેશ્વર) : ઓડિસી નૃત્યશૈલીને ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાં માનવંતું સ્થાન અપાવનાર નૃત્યાંગના. પિતાનું નામ અભિરામ મિશ્રા અને માતાનું નામ શકુન્તલા. શિક્ષણ સિનિયર કેમ્બ્રિજ સુધી. બાળપણમાં ઓડિસીની પ્રારંભિક તાલીમ લીધા પછી વિખ્યાત નૃત્યકલાગુરુ રુક્મિણીદેવી ઍરુંડેલના ચેન્નઈ ખાતેના કલાક્ષેત્રમાં ભરતનાટ્યમ્ની વિશેષ…

વધુ વાંચો >