નાટ્યકલા

ઈસ્કિલસ

ઈસ્કિલસ (જ. ઈ. પૂ. 525, ઍથેન્સ; અ. ઈ. પૂ. 456) : પ્રસિદ્ધ ગ્રીક નાટ્યકાર. જન્મ એથેન્સની નજીક આવેલ ઇલ્યુસિઝમાં. તેમણે સ્વયં પોતાના કબરલેખમાં પોતાનો ઉલ્લેખ યોદ્ધા તરીકે કર્યો છે. તેમના પિતાનું નામ યુફોરિયન. ઈસ્કિલસ કીર્તિવંત યોદ્ધા હતા અને તેમણે મૅરથનની યુદ્ધભૂમિ ઉપર તેમજ સલામિસની યુદ્ધભૂમિ ઉપર પર્શિયનો સામેનાં યુદ્ધોમાં અપાર…

વધુ વાંચો >

ઉત્તરરામચરિત

ઉત્તરરામચરિત : ‘उतरे रामचरिते भवभूतिर्विशिष्यते’ ઉક્તિને સર્વથા સાર્થક કર્યાની પ્રતીતિ આપતી ભવભૂતિ(આઠમી સદી)ની નાટ્યકૃતિ. અસામાન્ય નાટ્યસિદ્ધિ અને કાવ્યસિદ્ધિને કારણે વિદ્વાનો આને કવિની અંતિમ કૃતિ માને છે. તેમની અન્ય બે કૃતિઓ છે – સાત અંકની, નાટકપ્રકારની, વીરરસપ્રધાન ‘મહાવીરચરિત’ અને દસ અંકની, પ્રકરણ પ્રકારની શૃંગારરસપ્રધાન ‘માલતીમાધવ’. સાત અંકનું નાટક ‘ઉત્તરરામચરિત’ રામના રાજ્યાભિષેક…

વધુ વાંચો >

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં)

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં) : અજ્ઞાત લેખકના અપૂર્ણ ગ્રંથ ‘ઑન ધ સબ્લાઇમ’માં રજૂ થયેલો સાહિત્યમાં ઉદાત્તતાનો ખ્યાલ. તે પહેલી સદીમાં લખાયેલો પણ તેની હસ્તપ્રત ત્રીજી સદીમાં ઉપલબ્ધ થઈ. તેનું પ્રથમ અંગ્રેજી ભાષાંતર 1652માં જૉન હૉલે કર્યું હતું. ફ્રેન્ચ અનુવાદ 1674માં બુવાલોએ કર્યો હતો. ઉદાત્ત તત્વનો ખ્યાલ વિશાળતા, પ્રાકૃતિક ભવ્યતા અને ધાર્મિક…

વધુ વાંચો >

ઉદ્યાચા સંસાર (1936)

‘ઉદ્યાચા સંસાર’ (1936) : પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર પ્રહલાદ કેશવ અત્રેનું નાટક. કરુણ અને ગંભીર સ્વરૂપના આ નાટકમાં ડૉ. વિશ્રામ અને કરુણાના દુ:ખપૂર્ણ સંસારનું ચિત્રણ છે. કરુણાનો પતિ ડૉ. વિશ્રામ બુદ્ધિમાન પણ વ્યસની ને બેજવાબદાર હોવાને લીધે સાત્વિક તથા માયાળુ સ્વભાવની કરુણાનું સુખમય સંસાર વિશેનું સ્વપ્ન છિન્નભિન્ન થાય છે, એટલું જ…

વધુ વાંચો >

ઉપરૂપક

ઉપરૂપક : રૂપક(drama)નો પેટાપ્રકાર. તેમાં લંબાણ ઓછું હોય છે અને સંગીત સાથે નૃત્ય પ્રસ્તુત થતું હોય છે. ભારતના ‘નાટ્યશાસ્ત્ર’માં ઉપરૂપકનો ઉલ્લેખ નથી, પરંતુ ‘અગ્નિપુરાણ’ અને વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’માં ઉપરૂપકના અઢાર પ્રકાર દર્શાવાયા છે : (1) નાટિકા, (2) ત્રોટક, (3) ગોષ્ઠિ, (4) સક, (5) નાટ્યરાસક, (6) પ્રસ્થાન, (7) ઉલ્લાવ્ય, (8) કાવ્ય, (9)…

વધુ વાંચો >

ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ

ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ (જ. 13 જુલાઈ 1899, વેડછી (જિ. સૂરત); અ. 18 જાન્યુઆરી 1950, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. મુંબઈમાંથી બી.એ. 1920, એલએલ.બી. 1927. વકીલાત તેમજ સરકારી અને અન્ય નોકરીઓ કરી, જેમાં અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી (1936-1949) તરીકેની સેવાઓ નોંધપાત્ર. સૂરતમાં વકીલાત વેળા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો અને ક. મા.…

વધુ વાંચો >

ઉમેશ કવિ

ઉમેશ કવિ (જ. 31 જાન્યુઆરી 1909, ગોમટા, તા. ગોંડલ, જિ. રાજકોટ) : ગુજરાતી કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ઉમેશ ગૌરીશંકર મહેતા. ઉછેર અને પ્રાથમિક શિક્ષણ ગોંડલ રાજ્યના ગોમટા ગામમાં. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. શિક્ષણ પૂરું કરી આજીવિકા માટે ગોંડલ રાજ્યની રેલવેમાં જોડાયા. તે પછી થોડો સમય ભાવનગર બંદર કાર્યાલયમાં…

વધુ વાંચો >

ઉયિરોવિયમ (1948)

ઉયિરોવિયમ (1948) : તમિળ નાટક. ‘ઉયિરોવિયમ’નો અર્થ થાય સજીવ ચિત્ર. એ વિશિષ્ટ પ્રકારનું સામાજિક નાટક છે. લેખક નારણ દુરૈ કૃષ્ણને આ કૃતિની રચના અગાઉ નવલકથાના રૂપમાં કરી હતી. 1948માં એ નવલકથાને એમણે નાટ્યરૂપ આપ્યું. પ્રાચીન તમિળ સાહિત્યમાં વર્ણવેલા નરનારીના સ્વૈચ્છિક પ્રેમની વર્તમાન સમયને અનુરૂપ ફેરફાર કરીને રજૂઆત કરી છે. નાયિકા…

વધુ વાંચો >

ઉર્વશી(2) (1934)

ઉર્વશી(2) (1934) : ગુજરાતી પદ્યનાટિકા. લેખક દુર્ગેશ શુક્લ. અવનવી નાટ્ય-અભિવ્યક્તિ શોધવાના સાહિત્ય અને રંગભૂમિના તત્કાલીન પ્રયત્નોમાં કવિ દુર્ગેશ શુક્લના આ ઊર્મિનાટકમાં પૃથ્વી છંદ પ્રયોજાયો છે. જાણીતી પુરાણકથા અને કવિકુલગુરુ કાલિદાસની ‘વિક્રમોર્વશીય’ની નાટ્યકથામાં ગ્રીક પ્રોસરપિની(Proserpine)ની રૂપકથા તથા નૉર્વેજિયન નાટ્યકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટકનાં ઊર્મિતત્વો સંમાર્જી, રાજા વિક્રમ અને ઉર્વશીના…

વધુ વાંચો >

ઉર્વશી(3) (1961)

ઉર્વશી(3) (1961) : હિન્દી કાવ્યનાટક. લેખક રામધારીસિંહ દિનકર (1908-1974). આ કૃતિને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમાં શૈલીનો નવીન પ્રયોગ છે, તેથી એ કૃતિ બહુચર્ચિત રહી છે. ઋગ્વેદના દશમા મંડળમાં ઉર્વશી-પુરુરવા-સંવાદ નિરૂપાયો છે. કાલિદાસ તથા રવીન્દ્રનાથ ટાગોરે પણ એને આધારે પોતાની લાક્ષણિક શૈલીમાં કૃતિઓ રચી છે. આ કથાનકને દિનકરજીએ નવીન…

વધુ વાંચો >