ધર્મ-પુરાણ

રાણકપુરનું મંદિર

રાણકપુરનું મંદિર : રાજસ્થાનનું એક જાણીતું કલાસમૃદ્ધ જૈન તીર્થ. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી 22 માઈલ દૂર રાણકપુર આવેલું છે. રાણા કુંભાના મંત્રી ધરણ શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ ચતુર્મુખ (ચોમુખ) મંદિર બંધાવ્યું હતું. શિલ્પી દેવા અથવા દેપાક આ મંદિરના સ્થપતિ હતા. વિ. સં. 1446માં શરૂ કરવામાં આવેલા આ મંદિરનું બાંધકામ 50…

વધુ વાંચો >

રાત્રિ-દેવતા

રાત્રિ-દેવતા : એક વૈદિક દેવી. ઋગ્વેદમાં ઉષા વગેરે દેવીઓની વાત કરવામાં આવી છે તેમાં રાત્રિ પણ એક દેવી છે. ઉષા જેમ પ્રકૃતિનું તત્વ છે, તેમ રાત્રિ પણ પ્રકૃતિનું તત્વ છે. દિવસને અંતે આવતી રાત્રિ પણ દિવસની પૂર્વે આવતી ઉષાની જેમ દ્યુની એટલે અંતરિક્ષની દીકરી છે. ઋગ્વેદમાં જે દેવદેવીઓ પોતાના મૂળ…

વધુ વાંચો >

રાધા (રાધિકા)

રાધા (રાધિકા) : શ્રીકૃષ્ણની પ્રેયસી અને કૃષ્ણલીલામાં ભાગ લેનાર ગોપીવિશેષ. વૈષ્ણવ ધર્મમાં, ખાસ કરીને ભાગવત સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવનારા અને વસુદેવપુત્ર શ્રીકૃષ્ણની સાથે બાલલીલાઓમાં રાધા કેન્દ્રસ્થાને રહેલાં છે. રાધાના ઉલ્લેખો પ્રાચીન લોકસાહિત્યમાં ત્રીજીથી પાંચમી સદીના ગ્રંથોમાં ઉપલબ્ધ છે; પરંતુ મહાભારત અને અષ્ટાદશ પુરાણો પૈકી પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ ભાગ્યે જ…

વધુ વાંચો >

રાધાવલ્લભીય સંપ્રદાય

રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર…

વધુ વાંચો >

રાધાસ્વામી સંપ્રદાય

રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની…

વધુ વાંચો >

રાબિયા બસરી

રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી…

વધુ વાંચો >

રામ

રામ : સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’નું મુખ્ય પાત્ર. સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર. મહામાનવ, મર્યાદાપુરુષોત્તમ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ. એ જ આત્મારામ, અન્તર્યામી, પરમાત્મા. મહાતેજસ્વી અને સત્યપરાક્રમી. ગાંધીજીને પ્રિય ધૂન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને સ્વામી રામદાસની પ્રસિદ્ધ ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ’…

વધુ વાંચો >

રામકૃષ્ણ પરમહંસ

રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

રામચરણ

રામચરણ (જ. 1719, સૂરસેન, રાજસ્થાન; અ. 1798) : રામસનેહી સંપ્રદાયના સ્થાપક સંત. પૂર્વ કાળનું નામ રામકૃષ્ણ. વૈશ્ય પરિવારમાં જન્મ. મોટા થયે જયપુરના દરબારમાં નોકરી લીધી. 21મે વર્ષે એક ઘટનાથી જીવનપલટો આવ્યો. સ્વપ્નમાં પોતે નદીમાં તણાતા હતા ત્યારે કોઈ સાધુએ બચાવી લીધાનું દૃશ્ય જોયું. ઘર છોડી એ સાધુને શોધવા નીકળી પડ્યા.…

વધુ વાંચો >

રામતીર્થ, સ્વામી

રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા…

વધુ વાંચો >