ધર્મ-પુરાણ
બીજ (મંત્ર)
બીજ (મંત્ર) : તંત્રની સાધના કરવા માટે જે મંત્રનો જપ કરવામાં આવે છે તે મંત્રનો એક ભાગ. તાંત્રિકો નિયત સિદ્ધિ મેળવવા નિયત ઇષ્ટદેવના મંત્રનો જપ કરે છે. આ મંત્રની આગળ, પાછળ કે વચ્ચે કોઈ દેવ કે દેવીના અર્થનો સંકેત ધરાવતા અક્ષરો મૂકે છે. આ અક્ષરોને ‘બીજાક્ષર’ કહે છે. અને તે…
વધુ વાંચો >બુખારી, મહેમૂદશાહ ભડિયાદી
બુખારી, મહેમૂદશાહ ભડિયાદી (સત્તરમી સદી) : હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક. તેઓ સત્તરમી સદીમાં બુખારાથી ભારત આવીને ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે રહ્યા હતા. તેઓ હિંદુ અને મુસલમાન – બધા લોકોને શાંતિથી, હળીમળીને રહેવાનો બોધ આપતા હતા. તેમના સંદેશામાં કોમી એકતાનાં દર્શન થતાં હતાં. તેથી તેમના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના ધોબી,…
વધુ વાંચો >બુદ્ધ
બુદ્ધ (જ. ઈ. પૂ. 563; અ. ઈ. પૂ. 483) : બૌદ્ધ ધર્મના સ્થાપક. ભારતમાં કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની ઉપવનમાં ઈ. પૂ. 563માં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે બુદ્ધનો જન્મ થયો. તેમના પિતાનું નામ શુદ્ધોદન; માતાનું નામ માયાદેવી. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઈ તેથી તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. તેમનું…
વધુ વાંચો >બુદ્ધઘોષ
બુદ્ધઘોષ (ઈ. સ. 380થી 440) : પ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય. તેમના જીવન વિશેની માહિતી ‘ચૂલવંશ’, ‘બુદ્ધઘોસુપ્પત્તિ’, ‘શાસનવંશ’, ‘ગ્રંથવંશ’ અને ‘સદ્ધમ્મસંગહ’માંથી મળે છે. પ્રથમ બે ગ્રંથો મહત્વના છે, બાકીના ગ્રંથો આ બે ગ્રંથોને આધારે વૃત્તાન્ત આપે છે. આ બેમાં પણ ‘ચૂલવંશ’ જ અધિક પ્રમાણભૂત ગણાય છે. બુદ્ધઘોષ જન્મે બ્રાહ્મણ હતા. તેમનો જન્મ બોધિગયા…
વધુ વાંચો >બુદ્ધચરિત
બુદ્ધચરિત : બુદ્ધના જીવન વિશે સંસ્કૃત ભાષામાં મહાકવિ અશ્વઘોષે રચેલું મહાકાવ્ય. પ્રસ્તુત મહાકાવ્ય (ઈ.સ.ની પ્રથમ સદી) ભગવાન બુદ્ધના જીવન અને ઉપદેશને રજૂ કરે છે. ‘બુદ્ધચરિત’ના તિબ્બતી અને ચીની ભાષામાં જે અનુવાદો થયા છે તેમાં 28 સર્ગો છે. જ્યારે મૂળ સંસ્કૃતમાં 17 સર્ગો છે. જોકે કેવિલ 13 અને 14મા સર્ગના કેટલાક…
વધુ વાંચો >બુદ્ધદત્ત
બુદ્ધદત્ત : જાણીતા બૌદ્ધ ટીકાકાર. બૌદ્ધ મૂળગ્રંથોના ત્રણ અતિપ્રસિદ્ધ ટીકાકારોમાં તેમનો સમાવેશ થાય છે. ઈસવી સનના પાંચમા શતકમાં દક્ષિણના ચોળ રાજાઓના રાજ્યમાં કાવેરીતટે ઉરગપુર(ઉરિયાઊર)માં તેઓ જન્મેલા અને દક્ષિણ ભારતના નૂતન વૈષ્ણવ સુધારક વેણ્હુદાસ (વિષ્ણુદાસ) કે કણ્હદાસે (કૃષ્ણદાસ) કાવેરીને કિનારે ખાસ ઊભા કરેલા પ્રખ્યાત મઠમાં રહીને જ તેમણે તેમની બધી કૃતિઓ…
વધુ વાંચો >બુદ્ધિસાગરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ (જ. 31 જાન્યુઆરી 1874, વિજાપુર; અ. 9 જૂન 1925, વિજાપુર) : જૈન ધર્મના સુપ્રસિદ્ધ કવિ, લેખક, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ તપસ્વી આચાર્ય. દીક્ષા પૂર્વેનું નામ બેચરદાસ શિવાભાઈ પટેલ. જ્ઞાતિએ કડવા પાટીદાર. વિજાપુરની ગ્રામશાળામાં ગુજરાતી છ ચોપડી સુધી અભ્યાસ. ધીમે ધીમે સ્વપ્રયત્ને સંસ્કૃત અને પ્રાકૃત શીખ્યા. પિતૃપક્ષે શિવપૂજક અને માતૃપક્ષે વૈષ્ણવ ધર્મના…
વધુ વાંચો >બુલ્લે શાહ
બુલ્લે શાહ (જ. 1680, પંડોક, પંજાબ; અ. 1758) : પંજાબી લેખક. તેઓ જાણીતા સૂફી સંત અને કવિ હતા. પંજાબી સૂફી કવિતાના એ અગ્રણી હતા. એમની કવિતામાં પરંપરાગત રહસ્યવાદ તથા આધુનિકતાનું સુખદ મિશ્રણ છે. એ સૂફી સંત એનાયત શાહના શિષ્ય અને સૂફીઓના કાદરી સંપ્રદાયના અનુયાયી હતા. આ વાત એમણે જ એમની…
વધુ વાંચો >બૃહસ્પતિ
બૃહસ્પતિ : ભારતીય વેદસાહિત્ય અને પુરાણસાહિત્યમાં આવતું પાત્ર. ઋગ્વેદમાં બૃહસ્પતિ પરાક્રમી દેવ છે. તેમણે ગાયો છોડાવી લાવવાનું પરાક્રમ કરેલું છે. તેઓ યુદ્ધમાં અજેય હોવાથી યોદ્ધાઓ બૃહસ્પતિની પાસે સહાયની પ્રાર્થના કરે છે. તેઓ પરોપકારી છે, કારણ કે પવિત્ર માણસોને મુશ્કેલીમાંથી છોડાવે છે. તેઓ ‘ગૃહપુરોહિત’ કહેવાયા છે. તેમના વગર યજ્ઞ સફળ થતા…
વધુ વાંચો >બેકેટ, સેંટ ટૉમસ
બેકેટ, સેંટ ટૉમસ (જ. 21 ડિસેમ્બર 1118, લંડન; અ. 29 ડિસેમ્બર 1170, કૅન્ટરબરી, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : ખ્રિસ્તી ધર્મના શહીદ. રોમન કૅથલિક પંથના સંત તરીકે પ્રતિષ્ઠા (1173). ચાન્સેલર ઑવ્ ઇંગ્લૅન્ડ (1155–62) અને આર્ચબિશપ ઑવ્ કૅન્ટરબરી (1162–70). રાજા હેન્રી બીજા સાથે વૈમનસ્ય થતાં કૅન્ટરબરીના દેવળમાં જ તેમની નિર્મમ હત્યા. નૉર્મન વંશના ‘લિટર…
વધુ વાંચો >