તમિળ સાહિત્ય

લેના તમિળવનન (લક્ષ્મણન આર.એમ.)

લેના તમિળવનન (લક્ષ્મણન આર.એમ.) (જ. 1 ફેબ્રુઆરી 1954, દેવકોટ્ટઈ, જિ. પશુમ્પન, તામિલનાડુ) : તમિળ લેખક. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું અને ‘કાલકંડુ અને કુમુદમ્’ સાપ્તાહિકના સહ-સંપાદક બન્યા. તેમણે અનેક કૉલેજોમાં પત્રકારત્વના અધ્યાપક તરીકે કામગીરી કરી અને સંપાદક બૉર્ડ, મણિમેકલાઈ પ્રસુરામ, ચેન્નઈના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા. તેમણે 51…

વધુ વાંચો >

વરદરાજન્, એમ.

વરદરાજન્, એમ. (જ. 1912, વેલમ, તા. તિરુપટ્ટુર, તામિલનાડુ; અ. 1974) : તમિળ લેખક. કૌટુંબિક સંજોગોને કારણે ક્લાર્કની નોકરી સ્વીકારી. ‘તમિળ વિદ્વાન’નો અભ્યાસ પાસ કરી પ્રથમ ક્રમ તથા તિરુપનાન્દલ મટ્ટ ઍવૉર્ડ મેળવ્યા. એમ.ઓ.એલ.ની ડિગ્રી મેળવી પછૈયાપ્પા કૉલેજ, ચેન્નાઈ ખાતે તમિળના પ્રાધ્યાપક નિમાયા. ત્યાં 1939થી ’61 સુધી કામ કર્યું. પછી ચેન્નાઈ યુનિવર્સિટી…

વધુ વાંચો >

વલ્લીઅપ્પા, આલા

વલ્લીઅપ્પા, આલા (જ. 1922, રૉયવરમ, જિ. પુડુક્કોટ્ટાઈ, તામિલનાડુ; અ. 1989) : તમિળ કવિ અને લેખક. તેમનું પૂરું નામ અલગપ્પા વલ્લીઅપ્પા હતું. તેમણે 40 વર્ષ સુધી બૅંક અધિકારી તરીકે સેવા આપી. યુવાનવયે તેમને ગાંધીવાદી વિચારસરણી અને વિવેકાનંદના તત્વજ્ઞાનનો પરિચય થયો. તેઓ સુબ્રહ્મણ્ય ભારતી અને દેસિકા વિનાયકમ્ પિલ્લઈનાં કાવ્યોથી પ્રભાવિત થયા. વિદ્યાર્થી-અવસ્થાથી…

વધુ વાંચો >

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી)

વલ્લીકાન્નન્ (આર. એસ. ક્રિશ્ર્ન સ્વામી) (જ. 12 નવેમ્બર 1920, રાજાવલ્લીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ ભાષાના લેખક. પૂરું નામ આર. એસ. કૃષ્ણસ્વામી. 1939માં લેખનપ્રવૃત્તિનો પ્રારંભ. 1941માં વાચન-લેખનની પ્રવૃત્તિ પાછળ પૂરો સમય આપવા માટે સરકારી નોકરીમાંથી રાજીનામું. સાહિત્યિક કારકિર્દી શરૂ કરવા તેઓ ચેન્નઈ (મદ્રાસ) આવ્યા; 1943માં ‘સિનેમા વર્લ્ડ’ (માસિક) તથા 1944માં…

વધુ વાંચો >

વળિતુનૈવાન, એમ.

વળિતુનૈવાન, એમ. (જ. 1 જૂન 1936, વેલ્લોર, જિ. નૉર્થ આર્કોટ, તામિલનાડુ) : તમિળ લેખક. તેઓ સંચાર-વિભાગના મુખ્ય સેક્શન-સુપરવાઇઝર તરીકે સેવાનિવૃત્ત થયા. સાથોસાથ તેમણે લેખનકાર્ય પણ કર્યું. અત્યાર સુધીમાં તેમણે તમિળમાં 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તિરુવલ્લુવર’ (1968) તેમનો ઉત્તમ નાટ્યસંગ્રહ છે. ‘તેન્કુમારી દૈવમ્’ (1974) તેમની લોકપ્રિય નવલકથા છે. ‘તિરુવલ્લુવર’ બે…

વધુ વાંચો >

વા. રામસ્વામી

વા. રામસ્વામી (જ. 1889, થિંગુલર, જિ. તાંજાવર, તમિલનાડુ; અ. 1951) : તમિળ નવલકથાકાર, પત્રકાર, ચરિત્રલેખક અને સ્વાતંત્ર્યવીર. સનાતની વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. 1905માં કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1909માં તેઓ બંગાળા ગયા. પુદુચેરીમાં છૂપા વેશે રહેતા અરવિંદને નાણાકીય સહાય આપવા તથા સંદેશાવાહક તરીકે કામ કરવા તેમને છૂપા દૂત…

વધુ વાંચો >

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી)

વાસન્તી (વાસન્તી સુંદરમ્) (શ્રીમતી) (જ. 26 જુલાઈ 1941, તુમકુર, કર્ણાટક) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર. તેમણે બી.એ.ની પદવી મેળવ્યા બાદ ઑસ્લો યુનિવર્સિટીમાંથી ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પી. જી. ડિપ્લોમા મેળવ્યો. પછી તમિળ સામયિક ‘ઇન્ડિયા ટુ ડે’નાં સંપાદક બન્યાં. પત્રકારત્વ સાથે તેમણે લેખનકાર્ય કર્યું. તેઓ ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા; ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ…

વધુ વાંચો >

વિકિરમણ

વિકિરમણ (જ. 19 માર્ચ 1928, તિરુચિરપલ્લી, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 47 વર્ષ સુધી તમિળ સાહિત્યિક મૅગેઝિન ‘અમુધા સુરભિ’નું સંપાદન કર્યું. તેઓ ઑલ ઇન્ડિયા તમિળ રાઇટર્સ એસોસિયેશનના પ્રમુખ; 1987-89 સુધી તમિળ ફિલ્મ ઍવૉર્ડની પસંદગી સમિતિના સભ્ય; 1991-93 સુધી ‘ઇયાલ, ઈસાઈ, બાડગ મન્રમ્’ના સભ્ય રહેલા. અત્યાર સુધીમાં તેમણે તમિળમાં…

વધુ વાંચો >

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી)

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી) : વીરાસ્વામી રેડ્ડિયાર દ્વારા રચાયેલ ઓગણીસમી સદીની પ્રથમ તમિળ ગદ્ય-કૃતિ. આ કૃતિએ તમિળમાં નવલકથા-સાહિત્ય અને અન્ય લખાણોની શૈલી સ્થાપિત કરી અને તે અગ્રેસર બની. એક સદી પહેલાં ઇટાલિયન મિશનરી વીરામા મુનિવર દ્વારા ‘અવિવેક પરમાર્થ ગુરુ કતૈ’ નામક તમિળ ગદ્ય-કૃતિ રચવામાં આવી હતી. ત્યારબાદ વીરાસ્વામી રેડ્ડિયારના સમયમાં…

વધુ વાંચો >

વિન્દન્

વિન્દન્ (જ. 1916, મેલાચ્ચેટ્ટુપ્પાટ્ટુ, તામિલનાડુ; અ. 1975) : તમિળ નવલકથાકાર અને કટાક્ષલેખક. તેમનું સાચું નામ ‘કોવિન્દન્’ હતું. સામાન્ય કુટુંબમાં જન્મ થવાથી વિધિસર શિક્ષણથી વંચિત રહ્યા. બીબાં ગોઠવનાર તરીકે જીવનની શરૂઆત કરીને 1942માં તમિળ અઠવાડિક ‘કલ્કિ’માં પ્રૂફવાચક તરીકે જોડાયા. તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિને પારખીને સંપાદક જે લોકપ્રિય લેખક હતા તેમણે તેમને…

વધુ વાંચો >