ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

મનોમાપનશાસ્ત્ર

મનોમાપનશાસ્ત્ર (Psychometrics) સંવેદનો, મનોવલણો, પસંદગીઓ અને વ્યક્તિત્વલક્ષણોનાં માપન અને તે માટેની અંકશાસ્ત્રીય પદ્ધતિઓના વિકાસ અને ઉપયોગ સાથે સંબંધ ધરાવતી મનોવિજ્ઞાનની શાખા. મનોમાપનનો વિકાસ બે દિશામાં થયો છે : મનોભૌતિકશાસ્ત્રમાં અને માનસિક કસોટીઓ અને તુલાઓની રચનામાં. મનોભૌતિક જેવી માપપદ્ધતિઓની મદદથી સંવેદનના અનુભવની સીમા, માંડ માંડ અનુભવાતા તફાવતો અને પ્રત્યક્ષ અનુભવોમાં થતી…

વધુ વાંચો >

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ (psychological testing) : શાબ્દિક/અશાબ્દિક પ્રતિક્રિયા વડે કે અન્ય પ્રકારના વર્તનના નમૂના વડે વ્યક્તિત્વના એક કે વધારે પાસાંને વસ્તુલક્ષી રીતે માપવા માટે રચવામાં આવેલું પ્રમાણીકૃત સાધન. આવા સાધનના વૈજ્ઞાનિક ઉપયોગ વડે વ્યક્તિનું કે સમૂહના માનસનું માપ લેવાની ક્રિયાને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કહેવાય. માનસિક કસોટી રચવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા જટિલ હોઈ તેમાં…

વધુ વાંચો >

મૅકડૂગલ, વિલિયમ

મૅકડૂગલ, વિલિયમ (જ. 22 જૂન 1871, ચેડરટન, ઇંગ્લૅન્ડ; અ. 28 નવેમ્બર 1938, ડરહામ, નૉર્થ કૅરોલાઇના, યુ.એસ.) : બ્રિટનમાં જન્મેલા અમેરિકન મનોવિજ્ઞાની અને મનોવિજ્ઞાનના હેતુવાદી સંપ્રદાયના સ્થાપક. એમનો જન્મ લૅંકેશાયર પરગણામાં ઓલ્ડહામ પાસેના ચેડરટન ગામમાં એક રસાયણશાસ્ત્રીને ત્યાં થયો. નાનપણથી જ તેમણે પોતાની બુદ્ધિ અને જ્ઞાનપિપાસાનો પરિચય આપવા માંડ્યો. 15 વર્ષની…

વધુ વાંચો >

યુંગ, કાર્લ, ગુસ્તાવ

યુંગ, કાર્લ, ગુસ્તાવ (જ. 26 જુલાઈ 1875, કેસવિલ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 6 જૂન 1961, ક્યુસનાક્ટ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ મનોવૈજ્ઞાનિક, મનશ્ચિકિત્સક અને વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પ્રસિદ્ધ મનશ્ચિકિત્સક સિંગમંડ ફ્રૉઇડના શિષ્ય અને સાથી. તેમના પિતા વ્યવસાયે પાદરી હોવા ઉપરાંત એક અચ્છા ભાષાવિજ્ઞાની પણ હતા. વિશિષ્ટ પરિસ્થિતિને લીધે કાર્લનું બાળપણ એકલતામાં વીત્યું. તેથી તેમની…

વધુ વાંચો >

લઘુતાગ્રંથિ (inferiority complex)

લઘુતાગ્રંથિ (inferiority complex) : શારીરિક/માનસિક ખોડ, કાર્યોમાં નિષ્ફળતા કે પ્રતિકૂળ વાતાવરણમાંથી ઉદભવતી અંગત હીનતાની એવી લાગણી, જેને આળા સ્વભાવ, ખિન્નતા અને નિરુત્સાહ દ્વારા અથવા આપવડાઈ કે આક્રમકતા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ ગ્રંથિનો ભોગ બનનાર વ્યક્તિને પોતાની જાતમાં અવિશ્વાસ હોય છે. પોતે ઘણાં રાબેતા મુજબનાં કામો કરવા પણ અસમર્થ…

વધુ વાંચો >

લાગણી (feeling)

લાગણી (feeling) : સંવેદનો, વિચારો કે અન્ય અનુભવોનું આત્મલક્ષી ભાવાત્મક પાસું. મનુષ્યોના મોટાભાગના અનુભવો સુખદ કે દુ:ખદ હોય છે; કેટલાક અનુભવો તટસ્થ હોય છે. અપવાદરૂપ સંજોગોમાં મનુષ્ય એકીસાથે સુખ અને દુ:ખની મિશ્ર લાગણી અનુભવે છે; દા. ત., કન્યાવિદાયની ક્ષણે અથવા ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે વિદેશગમન કરતી વખતે. મધ્યમસરનો પ્રકાશ,…

વધુ વાંચો >

વર્તન-ચિકિત્સા (behaviour therapy)

વર્તન-ચિકિત્સા (behaviour therapy) : વ્યક્તિના કુસમાયોજિત વર્તનને ઓળખીને, શિક્ષણ-સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એ વર્તનને બદલનારી ચિકિત્સા. અભિસંધિત પ્રતિક્રિયા તેમજ વર્તનવાદના બીજા ખ્યાલો ઉપર આધાર રાખતી, માનસિક સમસ્યાઓ અને રોગીની એવી ચિકિત્સા, જેનું મુખ્ય ધ્યેય વ્યક્તિની અનિષ્ટ ટેવોને બદલવાનું છે. આ ચિકિત્સાનો ઉદભવ પાવલૉવના પ્રશિષ્ટ અભિસંધાનનાં અને સ્કિનરના કારક અભિસંધાનનાં સંશોધનોનાં પરિણામોમાંથી…

વધુ વાંચો >

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology)

વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન (Analytical psychology) : મનના વિસ્તારો, વ્યક્તિત્વનું માળખું અને પ્રકારો વગેરે વિશેના મનશ્ચિકિત્સક કાર્લ યુંગના સિદ્ધાંતો, તેમજ મનોવિશ્લેષણ કરવાનો તેમનો અભિગમ અને પદ્ધતિ રજૂ કરતું મનોવિજ્ઞાન. યુંગે મનના ત્રણ વિસ્તારો દર્શાવ્યા છે : ચેતન મન, વ્યક્તિગત અચેતન મન અને સામૂહિક અચેતન મન. ચેતન મન સૌથી બહાર, સપાટી ઉપર હોય…

વધુ વાંચો >

વૃત્તિવિરેચન (catharsis)

વૃત્તિવિરેચન (catharsis) : ભૂતકાળના આઘાત આપનારા પ્રસંગોને મનમાં ફરીથી અનુભવીને, સંબંધિત આવેગોનો સંઘરાયેલો બોજો હળવો કરવાની, અને એ દ્વારા પોતાના તણાવો અને ચિંતાઓને દૂર કરવાની પ્રક્રિયા; દા. ત., એક બાળક માબાપની જાણ વિના મિત્રો સાથે નાળામાં નહાવા જાય અને અચાનક પાણીમાં તણાવા માંડે. એને મિત્રો માંડમાંડ બચાવી લે. આને લીધે…

વધુ વાંચો >

વૃદ્ધાવસ્થા (old age)

વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક…

વધુ વાંચો >