આયુર્વિજ્ઞાન

સંવનન (courtship)

સંવનન (courtship) : પ્રજનનાર્થે દ્વિલિંગી પ્રાણીઓના નર અને માદા પ્રજનકો એકબીજાના સંપર્કમાં આવે એ હેતુસર તેમને આકર્ષવા માટેની કુદરતી સંઘટનાત્મક કાર્યવિધિ. મૃત્યુ એક અનિવાર્ય ઘટના હોવાથી વંશવેલો ચાલુ રાખવા સંતતિનું નિર્માણ થાય તે આવદૃશ્યક છે. એક જ જાતના નર અને માદા સભ્યો એકઠાં થતાં સંગમ(mating)ના પરિણામે જનનકોષોના યુગ્મનથી નવી પ્રજા…

વધુ વાંચો >

સંવર્ધન અને વશ્યતા-કસોટી (culture and sensitivity test)

સંવર્ધન અને વશ્યતા–કસોટી (culture and sensitivity test) : જીવાણુઓને સંવર્ધન-માધ્યમ પર ઉછેરીને તેમની ઍન્ટિબાયૉટિક પરત્વેની ઔષધવશ્યતા (drug sensitivity) તપાસવી તે. જીવાણુઓના અભ્યાસ તથા તેમના દ્વારા થતા ચેપના નિદાન માટે આ ઉપયોગી પદ્ધતિ છે. તેની મદદથી જે તે ચેપ કરતા જીવાણુને ઓળખી શકાય છે તથા તેના પર કયું ઔષધ કારગત નીવડશે…

વધુ વાંચો >

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators)

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators) : કૃત્રિમ શ્વસન તથા શ્વસનસહાય માટે વપરાતાં સાધનો. શ્વસનકો (ventilators) અને સંવાતકો (respirators) માનવજાતની લાંબા સમયથી ચાલી આવતી મૃત્યુ સામેની લડત માટેના પ્રયત્નોનો એક આધુનિક વિકલ્પ છે. જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક શ્વાસનું અંતર હોય છે ત્યારે, વેન્ટિલેટરો અને રેસ્પિરેટરો સાચા સમયે…

વધુ વાંચો >

સામાજિક તબીબી સુરક્ષા

સામાજિક તબીબી સુરક્ષા : રોગો અને બીમારીઓ સામે આર્થિક રક્ષણની સામાજિક વ્યવસ્થા. સામાજિક સુરક્ષા એટલે યોગ્ય સંસ્થા દ્વારા સમાજ તેના સભ્યને કેટલાંક ચોક્કસ જોખમો સામે રક્ષણ આપે તેવી વ્યવસ્થા. સામાન્ય રીતે આ જોખમો સામે સામાન્ય માણસ તેનાં ટાંચાં સાધનો અને અલ્પ આર્થિક સધ્ધરતાને કારણે ટકી શકે તેમ હોતો નથી. આવી…

વધુ વાંચો >

સામા, સુરેન્દ્ર કુમાર

સામા, સુરેન્દ્ર કુમાર (ડૉ.) (જ. 31 મે 1934; અ. 2017) : પ્રખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ. તેઓ સર ગંગારામ હૉસ્પિટલના પ્રબંધન મંડળ(management)ના અધ્યક્ષ હતા. તેમણે અમૃતસરથી મેડિસિનમાં સ્નાતક અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)માંથી 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે જી.બી.પી. હૉસ્પિટલ અને એઇમ્સની ફૅકલ્ટીમાં 1974 સુધી કામ કરેલું. તેમણે યકૃતની બીમારીઓ પર…

વધુ વાંચો >

સારણગાંઠ (hernia)

સારણગાંઠ (hernia) : કોઈ પોલાણમાંના અવયવનું પોલાણની દીવાલમાંના વિષમ છિદ્રમાંથી બહાર સરકીને આવવું તે. તેમાં કોઈ ગાંઠ (tumour) હોતી નથી માટે તેને સારણિકા (hernia) અથવા અવયવની સારણિકા (hernia of a viscus) પણ કહેવાય. પેટના પોલાણમાંથી આંતરડું છિદ્રમાંથી બહાર આવે તે સૌથી વધુ જોવા મળતી સ્વયંભૂ સારણિકાનું ઉદાહરણ છે. તેના મુખ્ય…

વધુ વાંચો >

સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia)

સારણગાંઠ, ઉરોદરપટલીય (hiatus hernia) : અન્નનળી અને/અથવા જઠરના ઘુમ્મટ(fundus)ના ભાગનો છાતીના પોલાણમાં સમયાંતરિત (intermittant) અથવા કાયમી પ્રવેશ. એક અભ્યાસ પ્રમાણે ઉરોદરપટલીય સારણગાંઠનું પ્રમાણ 5 %થી 70 % હોય છે. ટકાવારીમાં વધુ પડતા તફાવતનું કારણ આ પ્રકારના વસ્તીરોગવિદ્યાના અભ્યાસો ઓછા થાય છે તે અને નિદાન ચોક્કસ કરવાના અલગ અલગ માપદંડો છે.…

વધુ વાંચો >

સાલ્ક જોનાસ

સાલ્ક, જોનાસ (જ. 28 ઑક્ટોબર 1914, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 23 જૂન 1995, અમેરિકા) : બાળલકવો(poliomyelitis)ના રોગ સામે રસી વિકસાવનાર. તેમનાં માતા-પિતા રશિયન-યહૂદીઓ હતાં જે અમેરિકા આવીને વસ્યાં હતાં. તેઓ ખાસ ભણેલાં ન હતાં, પરંતુ તેમણે તેમનાં બાળકોને શિક્ષણ અપાવ્યું. જોનાસ સાલ્ક તેમના કુટુંબની પ્રથમ વ્યક્તિ હતી, જે કૉલેજમાં ભણવા ગઈ…

વધુ વાંચો >

સિડેનહામ થૉમસ

સિડેનહામ થૉમસ (જ. 1624, વિન્ફોર્ડ ઈગલ, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 29 ડિસેમ્બર 1689, લંડન) : ચિકિત્સક. તેઓ નિદાનાત્મક આયુર્વિજ્ઞાન (clinical medicine) અને મહામારીવિજ્ઞાન-(epidemiology)ના સ્થાપક તરીકે જાણીતા હતા. તે દર્દીઓનાં વિસ્તૃત અવલોકનો પર ભાર મૂકતા હતા અને તેમણે તે વિશેની સચોટ નોંધો જાળવી હતી. તેમને ‘અંગ્રેજ હિપૉક્રટીસ’ તરીકે ઓળખાવવામાં આવે છે. સિડેનહામ…

વધુ વાંચો >

સિન્હા, ગોપાલ પ્રસાદ

સિન્હા, ગોપાલ પ્રસાદ (ડૉ.) (જ. 25 માર્ચ 1943, પટણા, બિહાર, ભારત) : પ્રખ્યાત ચિકિત્સક અને ન્યુરોલૉજિસ્ટ. તેઓ પટના મેડિકલ કૉલેજના મેડિસિન અને ન્યુરોલૉજી વિભાગના ભૂતપૂર્વ વિભાગ-અધ્યક્ષ છે. તેમણે 1965માં પટના મેડિકલ કૉલેજમાંથી સ્નાતક અને 1968માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેઓએ વિયેના, ઑસ્ટ્રિયા તથા ઇંગ્લૅન્ડમાંથી ન્યુરોલૉજીમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમને 1990માં…

વધુ વાંચો >