અમિતાભ મડિયા

નરિણૈ

નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી…

વધુ વાંચો >

નવપ્રભાવવાદ (neo-impressionism)

નવપ્રભાવવાદ (neo-impressionism) : પ્રભાવવાદે શોધેલા ચિત્ર-સિદ્ધાંતોના આધારે ઉદ્ભવેલી ફ્રેંચ ચિત્રકલાની ઝુંબેશ. તેમાં પ્રભાવવાદના સિદ્ધાંતોને એવી ચરમસીમાએ પહોંચાડવામાં આવ્યા છે કે નવપ્રભાવવાદ અને પ્રભાવવાદ વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય જણાય. સર્શને નવપ્રભાવવાદના અગ્રણી ચિત્રકાર ગણી શકાય. આ ચિત્રશૈલીના નીતિનિયમો ઘણા ચોક્કસ અને ચુસ્ત છે અને એમાં સહજ અભિવ્યક્તિનું સ્થાન પછી આવે…

વધુ વાંચો >

નવપ્રશિષ્ટવાદ (neo-classicism)

નવપ્રશિષ્ટવાદ (neo-classicism) : અઢારમી સદીની મધ્યમાં રોમમાં ઉદ્ભવ પામીને સમસ્ત પશ્ચિમી જગતમાં પ્રસરેલો કલાવાદ. તેના ઉદ્ભવ, વિકાસ અને પ્રસાર માટે અતિ આલંકારિક તથા અતિ શણગારસજાવટવાળી બરોક અને રકોકો શૈલીઓનો અતિરેક અંશત: જવાબદાર ગણી શકાય. એ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કળાનું પુનરુત્થાન કરવાના એકનિષ્ઠ પ્રયાસો પણ આ વાદના ઉદ્ભવ માટે…

વધુ વાંચો >

નાયક, કનુ ચુનીલાલ

નાયક, કનુ ચુનીલાલ : (જ. 9 ડિસેમ્બર, 1930, પાનસર, જિલ્લો મહેસાણા) : ગુજરાતી ચિત્રકાર, કલાશિક્ષક, કલાવિષયક લેખો આપનાર, પત્રકાર. ઉપનામ : ‘અંકન’.  પિતા ચુનીલાલ નાયક દેશી નાટકમંડળીઓમાં ખલનાયકની ભૂમિકા ભજવવામાં નિષ્ણાત હતા. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1954માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1956માં આર્ટ-માસ્ટરનો…

વધુ વાંચો >

નિકોલસન બેન [Nicholson Ben]

નિકોલસન, બેન [Nicholson, Ben] (જ.  10 એપ્રિલ 1894, બકીંગહામશાયર, યુ.કે.; અ. 6 ફેબ્રુઆરી 1982, લંડન, યુ.કે.) : બ્રિટિશ અગ્રણી અમૂર્તવાદી આધુનિક (modern abstractionist) ચિત્રકાર અને શિલ્પી. તેઓ ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ચિત્રકાર સર વિલિયમ નિકોલસનના પુત્ર હતા. લંડન ખાતે સ્લેડ સ્કૂલ ઑફ ફાઇન આર્ટમાં તેમણે 1910થી 1911 સુધી કલાનું શિક્ષણ ગ્રહણ…

વધુ વાંચો >

નિસર્ગચિત્ર

નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે,…

વધુ વાંચો >

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID)

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID) : ડિઝાઇન વિષયમાં શિક્ષણ અને સેવાનું વિતરણ કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા. ઔદ્યોગિક ડિઝાઇન અને સંચાર (communication) જેવાં વ્યાપક લોકોપયોગી ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી 1961માં કેન્દ્ર-સરકાર દ્વારા અમદાવાદ ખાતે સ્થાપવામાં આવેલી સ્વાયત્ત રાષ્ટ્રીય સંસ્થા તે ‘રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન.’ તે NID તરીકે…

વધુ વાંચો >

નૅશનલ મ્યુઝિયમ – નવી દિલ્હી

નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય. 1912માં હિન્દુસ્તાનનું પાટનગર કૉલકાતા દિલ્હી ખસેડાયું ત્યારે જ દિલ્હીમાં સમસ્ત રાષ્ટ્રના પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમની જરૂર વરતાતી હતી; પણ આ અંગે સરકાર 1945થી સક્રિય બની અને નૅશનલ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું 1949માં. આ મ્યુઝિયમ ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયના…

વધુ વાંચો >

પગરખાં

પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે. પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે. કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર…

વધુ વાંચો >

પટેરિયા, રમેશ

પટેરિયા, રમેશ (જ. 1938, જબલપુર અ. 1987) : આધુનિક કળાના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી તેઓ શિલ્પ વિષયમાં 1966માં સ્નાતક થયા તથા ત્યાંથી જ 1969માં ‘મકરાણા પથ્થરમાં કોતરકામ’ – એ વિષયમાં અનુસ્નાતક થયા. તેમણે દિલ્હીમાં 1969માં અને મુંબઈમાં 1969, ’70, ’71, ’73, ’75 અને ’76માં પોતાનાં…

વધુ વાંચો >